SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ એકની નાદુરસ્ત તબિયતને કારણે લોચ ન થતાં મૂંઝાતાં હતાં તો પોતે લોચ કરી આપ્યો. એક વખત ગોંડલ સંપ્રદાયનાં મ.સતીજી પડી જતાં પોતાની શિષ્યાઓને તેમની સેવામાં મૂક્યાં. જામનગરમાં નાદુરસ્ત તબિયતવાળાં પૂ.શ્રી વખતબાઈ મ.સ.ને તેમની શિષ્યાઓ દ્વારા ડોળીમાં યોગ્ય સ્થાને પહોંચાડ્યાં. કેટલાંકને વ્યસનો છોડાવ્યાં. પ્રતિક્રમણના પાઠ શીખવ્યા. કંદમૂળ છોડાવ્યાં. વૈષ્ણવકુટુંબે તેમનું વ્યાખ્યાન સાંભળતાં કંદમૂળનો ત્યાગ કર્યો. તેમનું માંગલિક સાંભળતાં એક સુથારની બેભાન પત્ની સભાન થઈ સારી થઈ ગઈ. થાળીમાં હંમેશાં ઇયળો દેખાતાં ન જમી શકનાર એક ભાઈને પોતાની માળા આપી ગણવા કહ્યું અને સારું થઈ ગયું. બે દિવસ મત્સીના ઉપદ્રવને કારણે આહારપાણી વગર ચલાવ્યું. હિંસક ધંધા કરતા વેપારીને તે ધંધો કરતાં રોકતાં. જૈનશાળા તરફ સેવાતા દુર્લક્ષ પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં અને પ્રોત્સાહિત પણ કરતાં. તેમના સંસારી બે ભાઈની ચાર પુત્રી અને સંસારી બહેનની ત્રણ દીકરીઓએ દીક્ષા લીધેલી. પૂ. સંતબાલજીનું વતન પણ વાંકાનેર હતું. પૂ.શ્રી અને સંતબાલજી ચિંચણ મળ્યાં. શાસ્ત્રજ્ઞાનની ચર્ચાઓ કરી. સંતબાલજીની વિનમ્રતા એટલી બધી હતી કે દીક્ષાપર્યાયમાં જયેષ્ઠ સાધ્વીજીને વંદણા કરતા. સમાધિમરણની છેલ્લી રાતની છેલ્લી વાત : પૂ.શ્રીને બી.પી.નું દર્દ ઘણા સમયથી હતું, છતાં તેમના ઉપવાસ, વિહાર વગેરે ચાલુ જ રહેતા. સુરેન્દ્રનગર પૂ. મંજુલાબાઈ મ.સ.ને હળવો એટેક આવતાં પોતે એમની પાસે ગયાં. ત્યાં મંજુલાબાઈ મ.સ.ની તબિયત સુધરતી ગઈ પણ પૂ.શ્રીને દુઃખાવો વધતો ગયો. તે રાત્રે સાત વખત દુ:ખાવો થયો. એવી બિયતમાં પણ ત્યાંથી લખતર દીક્ષામાં આવી ત્યાંથી વઢવાણ બે બહેનોની દીક્ષાનું મંગલ કાર્ય સફળતાથી પતાવી પોતે જોરાવરનગર પધાર્યાં. ત્યાં તેમની વર્ષગાંઠ ઊજવી, પણ એક દિવસ તેમની પલ્સ તપાસતાં તે મીસ થતી હતી. ત્યારપછી પૂ.શ્રીને સખત દુખાવો ઊપડ્યો. ત્યાંથી તેમને સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં. દર્શનાર્થીઓની લાંબી કતાર લાગતી. કોઈને ના પાડી નિરાશ નહીં કરવાનાં. સ્તવનો ગવાતાં તેમાં પોતે સૂર પુરાવતાં. આનંદઘનજીનાં પદો ગવાતાં તે મસ્તીથી સાંભળી પોતે તેમાં ઊંડાં ઊતરી જતાં. દુખાવો ક્યારેક થઈ જતો. છેલ્લે પોતે દેહ-આત્માના ભેદવિજ્ઞાનમાં ઊતરી ગયાં. સર્વેને ખમાવ્યા. છ મહિનાનું છેદ પ્રાયશ્ચિત્ત લીધું. યાવત્ જીવનનો સંથારો કર્યો. Jain Education International ૨૦૧ ખરેખર! ચૈતન્યની જ્યોત જલતી હોય ત્યાં અજ્ઞાનન અંધારાં કેવી રીતે ઊભા રહી શકે! હોયંસિ નાળ અહિયાર દુઃમાં’' કર્મના ઉદય જોરદાર ભોગવવાના હોય પણ જેને જ્ઞા હોય તે દુ:ખી નથી. પૂ.શ્રી મુક્તાબાઈ મ.સ.એ આલોચના શરૂ કરી પોતાન સમય અંતિમ લાગતાં પોતે પાટ ઉપરથી નીચે ઊતરી આસ ઉપર બેસી ગયાં. ત્યાં તો મૃત્યુને મંગલ બનાવી ચૈતન્યદેવ ચાલ્ય ગયો. પૂ.શ્રી લીલાવતીબાઈ મ.સ. સમાધિમય મૃત્યુને પા ગયાં. તે સમયે પૂ.શ્રીનો લીલમબાગ ૮૬-૮૬ સતીજીઓની સુરભિથી મહેકતો હતો. પૂ.શ્રીના સંદેશાઓમાંનો એક “જો કાંઈ શક્તિ અને સફળતા તમે ઇચ્છો છો તે તમારામાં જ છે તમારે જ પ્રયાસ કરવાનો છે. જાગો, ઊઠો, ઊભા થાવ. અટકો નહીં. જ્યાં સુધી ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભગીરથ પ્રયત્ન કરવાનો છે. બેસી રહેવાનું નથી. તમે આના ઉપર ખૂબ વિચારજો. આપણે સરદાર, કેપ્ટન ન બની શકીએ તો સૈનિક થવું.” આપને અમારાં અગણિત વંદન હો! આસક્તિની બે બાજુ ઃ લાલસા અને વાસના–તેને ધીર પુરુષ દૂર કરે. આસક્તિ જ બંધન છે એમ જાણી એનાથી પર રહેવા મથે છે તે મહામુનિ છે અને તેજ બાહ્ય અને આંતરિક બંધનો છોડી લોકો સાથે રહેવા છતાં અને કર્મ કરવા છતાં નિષ્કામ રહે છે અને તે જ મુનિ નિર્ભય થઈને લોકમાંથી પરમાર્થ શોધીને એકાન્ત પ્રિય, શાન્ત, વિવેકી, અપ્રમત્ત અને સમ્યજ્ઞ થઈને ક્રમશઃ જન્મમરણની પરંપરામાંથી મુક્ત થાય છે. આચારાંગ. ઉર્ધ્વલોકની યાત્રાભણી પૂ.શ્રી કંચનબાઈ મહાસતીજી શુભ નામ : કંચનબહેન. માતાપિતા : ધર્મસંસ્કારી સમૃદ્ધ પરિવારમાં. જન્મસ્થળ : માલવ પ્રદેશ. દીક્ષા : વિ.સં. ૧૯૯૫-મહા સુદ પાંચમ (વસંત પંચમી), દોહિત્ર પારસમુનિ અને દોહિત્રી પ્રમીલાબાઈ મ.સ. સાથે દીક્ષા લીધી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy