SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૨૬૧ સ્થાનકવાસી સમાજનાં પૂર્વકાલીન સાધ્વીરત્નોની ગૌરવગાથા પાનખરમાં ખીલ્યાં ગુલાબ શ્રીમતી પ્રવીણાબહેન આર. ગાં ધી પથપ્રદર્શક પ્રતિભાઓ' ગ્રંથનું સંપાદન કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે છેક છેલ્લી ઘડીએ શ્રી પ્રવીણાબેન ગાંધી લિખિત “ગુરુ સમીપે” શીલધર્મની સુગંધ પ્રસરાવતુ સુંદર પુસ્તક અમારા હાથમાં આવ્યું, મનમંદિરમાં અજવ:વું પડ્યું. તે પુસ્તકમાં સ્થાનકવાસી સંપ્રદાયના સાધુભગવંતો વિશેની વાતો આલેખવામાં આવી છે. પણ પછી તો સ્થાન કેવાસી સમાજનાં પ્રભાવક મહાસતીજીઓ ઉપરની વાતો બહુ ઝડપથી આ લેખિકા બહેન પ્રવીણાબહેન ગાંધી પાસેથી મેળવવા અમે સભાગી બની શક્યા છીએ. શ્રીમતી પ્રવીણાબહેન છેલ્લી બે સદીમાં જલતી દીવડીઓનો પ્રકાશ શોધવા રાતત મથામણ કરતાં રહ્યાં છે. મહાસતીજીઓની જીવનમાંડણી જાણવા-સમજવા સતત પ્રયત્નશીલ છે. વેદના, સંવેદના સાથે તેમના મનમાં પ્રસંગે–પ્રસંગે જે જે સ્પંદનો જાગ્યાં તેના ભાવોના આવિર્ભાવને નિખાલસપણે વ્યક્ત કરી રહ્યાં છે. ઘરનું ધર્મમય વાતાવરણ, પૂર્વજન્મના પવિત્ર સંસ્કારોનું ભાતું લઈને જન્મેલી દીકરીના શિલ્પને કંડારતી વખતે વિધાતાએ જાણે તેમનામાં સહનશીલતા, સમજ, મીઠાશ અને મધુરતાથી જાણે રંગો ન પૂર્યા હોય તેવી સતત અનુભૂતિ પ્રાપ્ત કરનાર આ લેખિકા બહેને ભારે પુરુષાર્થ કરીને ગમે તેમ દરેક સંપ્રદાયમાંથી ધુરંધર થઈ ગયેલાં બબ્બે મહાસતીજીઓ વિશેની વિશેષતાઓને આલેખવાનો અત્રે નમ્ર પ્રયાસ કર્યો છે. આવી પ્રેરક માહિતીથી સમાજ વાકેફ બને, સંયમજીવનની વિશેષ લાક્ષણિકતાથી સમાજ અજાણ ન રહે તે માટે પ્રભાવક પાત્રોને ઉપસાવવાનો અને સંક્ષિપ્તમાં સમાવવાનો નમ્ર પ્રયાસ થયો છે. સ્થાનકવાસી સમાજનાં મહાસતીજીઓની સંયમયાત્રાને, તેમની તપસ્યાઓને, તેમની જ્ઞાનસંપદાને ભાવથી લાખ લાખ વંદના કરીએ છીએ. આ આર્યરત્નોનાં જીવનની ગૌરવગાથા રજૂ કરનાર શ્રીમતી ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમાં વઢવાણ મુકામે માતા શ્રી સરલાબહેન તથા પિતાશ્રી ભીખાભાઈ સંઘવીને હાથે સંસ્કાર પામી ૧૮મે વર્ષે દિવાણમાં માતાશ્રી ચંપાબહેન તથા પિતાશ્રી કસ્તુરચંદભાઈ ગાંધીના સુપુત્ર શ્રી રસિકભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. શ્રી રસિકભાઈ ગાંધી રાજકોટમાં આવેલી પી. ડી. માલવિયા કોલેજ તેમજ શ્રીમતી જે. જે. કુંડલિયા કોલેજના તેમ જ અમદાવાદમાં સી. યુ. શાહ કોમર્સ કોલેજના વર્ષો સુધી આચાર્યપદે રહ્યા. પ્રવીણાબહેન પણ એમ.એ., બી.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી અનેક ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યાં. રાજકોટ-અમદાવાદ રેડિયો ઉપરથી અર્થશાસ્ત્ર ઉપર, બજેટ ઉપર તેમનાં અનેક વાર્તાલાપો, સામાજિક, ધાર્મિક નાટકો વગેરે પ્રસારિત થતાં અખબારો તેમ જ મેગેઝીનમાં લેખો આપ્યા છે. લાયન્સ ક્લબ તેમ જ અન્ય સંસ્થાઓમાં વાર્તાલાપ આપ્યા છે. રાજકોટ તેમ જ અમદાવાદમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપી છે. વર્ષોથી કેન્સર (સિવિલ) હોસ્પિટલમાં દર્દીઓને અનામી સેવા આપે છે. ૨૦૦ થી વધુ ચક્ષુદાન કરાવ્યાં છે. દરિયાપુરી સંપ્રદાયના ગુરુઓથી વધારે પ્રભાવિત બન્યાં છે. ચિત્રકલાનો બચપનથી શોખ છે. લોક અદાલતમાં પણ સેવા આપી છે. કવિલોક'માં તેમનાં કાવ્યો પ્રકાશિત થયાં છે. સ્થા. જૈન ઝાલાવાડી સી. સિટિઝન્સ ગ્રુપના તેઓ ઉપપ્રમુખ છે. તેમ જ જૈન જાગૃતિ કાયમી મેરેજ બ્યુરોમાં માનદ્ સેવા આપે છે. પુત્ર ડૉ. સંજય ગાંધી આંખના નિષ્ણાંત સર્જન છે. ખૂબ સેવાભાવી અને આગળ પડતા ડૉક્ટર છે. પોતાની કારકિર્દીની શરૂઆતથી જ દરેક દહેરાવાસી કે સ્થાનકવાસી સાધુ-સંતોનાં વિના મૂલ્ય લેન્સનાં ઓપરેશન્સ કરે છે. પુત્રવધુ કલ્પના એમ.એસ.સી. (મેડિકલ) છે. પુત્રી શ્વેતા (બી. ફાર્મ) કેન્સર હોસ્પિટલમાં સેવા આપે છે. જમાઈ શ્રી કામેશભાઈ શાહ એન્જિ. છે. આમ તેમનાં સમગ્ર રાંસાર મઘમઘતો છે. સમાજને તેમની સેવા સુદીર્ધકાળ સુધી મળતી રહે તેમ આપણે સૌ પ્રાર્થીએ, – સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy