SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ઉપરાંત તંદુરસ્ત તબીયતને કારણે સ્પોર્ટસમાં સારો રસ કેળવ્યો, બચપણથી સ્વાભાવિક જ્ઞાનપ્રેમને કારણે સતત અભ્યાસશીલ રહેતા. બંગાલી તથા મદ્રાસી ભાષા પણ દુકાનોનાં બોર્ડ વાંચી શીખવામાં પુરૂષાર્થ કર્યો. તે ઉપરાંત માતૃભાષા, હિન્દી રાષ્ટ્રભાષા અને અંગ્રેજી ભાષા ઉપર ઠીક ઠીક કાબૂ મેળવ્યો. તે ત્રણેય ભાષામાં વાંચવા-લખવા ને બોલવાની શક્તિઓ વિકસાવી. લગભગ ૯ મા ધોરણ સુધી જૈન ધર્મ સાથે ગાઢ સંબંધ નહોતો થયો, પણ પાછળથી જીવનમાં જૈનધર્મનું ગૌરવ સમજાણું, વિકાસ થયો ને ધર્મસાધનાઓ જીવનનો મુખ્ય ભાગ બની. ધર્મપસાયે જીવનમાં નાના-મોટા ચમત્કારોનો અનુભવ થયો જેની આછી માહિતી આ પૂર્વેના દળદાર ગ્રંથ યક્ષેન્દ્રમાણિભદ્ર વીર'માં આપી છે. (૩) ધાર્મિક પલટો ઃ ટીનએજમાં જ પ્રથમવાર પૂ.મુનિ જયશેખર વિ.મ.સા. (હાલ સ્વર્ગવાસી) તથા પૂ. મુનિ જયસોમ વિ.મ.સા. (હાલ પંન્યાસ ) નાં પ્રથમ દર્શન થતાં પૂર્વભવના સંસ્કારો સ્વયં ઉદયમાં આવ્યા, ઉહાપોહ થતાં ધર્મભાવના ને વૈરાગ્ય પ્રગટ થયા. તે પછી સ્વ. પૂ. ભુવનભાનુસૂરિજી મ.સા. ના અલ્પ પરિચયમાં આવ્યા. આચાર્ય પૂ. ભદ્રંકરસૂરિજી મ.સા. નું ચાતુર્માસ પણ ઝરિયામાં થતાં સ્વ. પૂ. વીરસેન-સૂરિજી મ.સા. પાસે પણ સ્તવનસજ્ઝાયોનો અભ્યાસ થયો. તે દરમ્યાન પાંચ પ્રતિક્રમણ વગેરે ધાર્મિક અભ્યાસ થયેલ જે ધર્મ લગનીની પ્રગતિ સાથે વિકાસ પામતો ચાલ્યો. ઘરની પ્રતિકૂળતા છતાંય છૂપી રીતે સામાયિક વગેરે કરી એક એક સામાયિકમાં ૨૦-૨૫ ગાથાઓ ગોખી જવાની મેધા શક્તિનો ઉદય થયો. કોલેજના અભ્યાસ માટે અમેરિકા વસતા મામા શ્રી જગદીશભાઈ જે. શેઠ તરફથી બધીય અનુકૂળતાઓ થઈ, છતાંય હવે મનમાં જૈન ધર્મની જાગૃતિ તથા ગુરૂ મહારાજનાં સૂચનો વસ્યાં હતાં તેથી યુ.એસ.એ. ન જઈ ઇન્ડિયામાં જ અભ્યાસ પસંદ કર્યો, લાગટ પાંચ વરસ સુધી ALLOPATHY DRUG નો અભ્યાસ કરી B. PHARMA D. PHARMA DEGREE તેટલી ક્ષમતા આવી ગઈ છતાંય ધર્મભાવના ને વૈરાગ્યની પ્રબળતાથી હિંસક દવાઓના વ્યાપારને તિલાંજલિ આપી સંસારી માસા શ્રી સુમતિભાઈ એચ. મહેતાની સ્થાપેલી SAFARI BRAND SUITCASE 1 LIMITED COMPANY ની કર્નાટકની "C" AND "F" એજન્સી Jain Education International પથપ્રદર્શક સ્વીકારી નીતિનો વ્યાપાર પસંદ કર્યો. તેજ વ્યવસાયમાં શૂન્યમાંથી સર્જન કરી આગળ જતાં બાહોશી અને બુદ્ધિબળે કંપનીની ૨૧ બ્રાંચોનાં INTERNAL AUDIT કરતાં કરતાં સંપૂર્ણ ભારત ભ્રમણથી અનેક પ્રકારનો અનુભવ મેળવ્યો અને કંપનીની મોટી પોસ્ટ ઉપર રહી મહત્વની જીમ્મેદારી પાર ઉતારી. માસાના સફળ અને કુશળ પ્રોત્સાહનના વળતર રૂપે કંપનીને મોટી નુકશાનીઓથી વાકેફ કરી ઘણા લાભો પ્રાપ્ત કરાવ્યા. મદ્રાસમાં સ્વીમીંગ શીખતાં એક દિવસ એવો વિચાર આવ્યો કે શીખવું તો ભવસાગર તરતાં, જેથી તરવાની કલા શીખવાનું અધૂરું રાખી, ધાર્મિક અભ્યાસ કર્યો. ઘરમાં ટ્રેનમાં, એરપોર્ટમાં તથા પ્લેનની સફર દરમ્યાન જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે અભ્યાસ કરતા રહ્યા અને કુદરતી કવિત્વ શક્તિ તથા વચલા સ્વ. મામા શ્રી ગુલાબચંદ જે. શેઠની સાહિત્ય વિકાસધારાને લક્ષમાં રાખી દોઢસોથી વધુ સ્તવનોની રચના કરી છે. તેમના જેવી જ આદર્શ ધર્મભાવનાથી ધર્મપત્ની તરીકે જોડાયેલાં ભારતીબેનના શાંત અને શાણા સ્વભાવથી ધર્મસાધનામાં વધુ વેગ આવ્યો, જેમનો પરિચય પણ સંક્ષેપમાં આગળ વર્ણન કરેલ છે. સ્વયંના લગ્ન પછી કોઈનાય લગ્નમાં નહિ જવાની, રાત્રિ ભોજન કે પાર્ટીમાં હાજરી નહિ આપવાની, ચામડાના જૂતા ત્યાગની તથા વ્રત રક્ષા માટે એક ભાણે પાંચ દ્રવ્યથી વધુ નહિ વાપરવાની પ્રતિજ્ઞાઓ લીધી. રોજ અલગ અલગ વિગઈનો ત્યાગ રાખી છેલ્લે દૂધ વિગઈનો ત્યાગ દીક્ષા ન થાય ત્યાં સુધી મૂળથી કર્યો. પરિગ્રહ, પરિમાણ કરી સરકારી ધોરણે સાવ ચોખ્ખો ને નીતિની આવક થાય એટલો જ ધંધો વિકસાવ્યો. SIMPLE LIVING માં SMILING ગમતું હોવાથી બસો બે વારની પ્લેનની મુસાફરી વખતે પણ ૨૫૦ થી વધુ તીર્થોની અનેકવાર જાત્રાઓ કરી લીધી. ફાઈવસ્ટાર હોટલમાં પણ કારપેટ વગરની જમીન કરાવી સામાયિક તથા પ્રભુપૂજા પછી જ ઓફિસનાં કાર્ય એમનો નિત્યક્રમ બની ગયો હતો. ફક્ત માતાની સેવાભાવનાના પ્રતાપે વિકસેલી શક્તિથી સમસ્ત ભારતનાં અહિંસા સંમેલનમાં JOINT SECRETORY બની સેવા આપી. પાઠશાળાઓમાં બાળકોને અભ્યાસ સમયની અનુકૂળતા પ્રમાણે કરાવતા. અમુક વરસ પાઠશાળાના ટ્રસ્ટી રહી, પછી પદ કે હોદ્દા વગર જ્ઞાનદાનયજ્ઞ, સમૂહયાત્રા, પરમાત્મા ભક્તિ, ભાવના મંડળ તથા જ્ઞાન ભંડારની સ્થાપના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy