SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કાવ્યો રચેલાં છે. તેઓ અતિ ઉદાર અને દાતાર હતા, દયાળુ અને ભક્ત હતા. તેઓએ “રહીમન વિલાસ” “રહીમ સતસઈ' વગેરે ગ્રંથો લખેલા છે. તેઓએ લોકોને બોધ આપતા અનેક કવિતો, દોહા વગેરે લખેલા છે. જેમાંના કેટલાક જોઈએ. “તે રહિમ જાન આ પુનો, કિન્હો ચારૂ ચકોર નિશિબાસર, નિરખત રહે, કૃષ્ણચંદ્રકી ઓર.” રહિમન કોઉ કા કરે, જવારી, ચોર, લબાર જો પત રાખનહાર, માખન ચાખનહાર રહિમ પાની રખીયે, બિન પાની સબ સુન, પાની ગયે ન ઉબરે, મોતી માનુષ ચુન. “બૈર, ખૂન, ખાંસી, ખુશી, મૈર, પ્રિત મધુપાન રહિમન, દાબે ના દબે, જાનત સકલ જહાન” ચિત્રકૂટર્મ રહીમ રહે, રહિમન અવધ નરેશ, જાપર વિપદા પરત હૈ, સો આવત યહી દેશ. રહિમન વે નર મર ચૂકે જો કુછ માગને જાતિ ઉનકે પહેલે વો મરે ના મુખ નિકસત નાહિ” કહે છે કે અતિ ઉદારતાના કારણે અને સમય પલ્ટો થતાં રહીમને મજૂરી કરવી પડી હતી, મજૂરી કામ કરતા હતા તેમાં કેટલાક માગનારાઓ તેને ઓળખી ગયા અને પોતાને કંઈક આપવા માટે ટોળું વળી યાચના કરવા માંડ્યા, તે સમયે રહીમજી કંઈ આપી શકે તેમ ન હોવાથી મનમાં દુઃખી થયા અને માગનારાઓને વિનંતી કરવા લાગ્યા, અને કહ્યું કે, “યે રહીમ દર દર ફિરે, માગી માધુકરી ખાઈ, યારો, યારી છોડ દો, વે રહીમ અબ નાહી” એટલે કે હું એ હવે માગી માગીને ખાઉં છું હવે હું ઈ રહીમ નથી કે તમોને કંઈ આપી શકું! આવા ઉદારદિલ અને કૃષ્ણભક્ત “રહીમનાં કવિતો, દોહાઓ વગેરે જીવનમાં ઉતારી પોતાનું અને સમાજનું કલ્યાણ કરી શકાય તેમ છે, જેઓને નાત-જાતના કોઈ ભેદભાવ નથી તેવા સંતોનાં બોધવચનો જીવનમાં ઉતારવા વિનંતી છે. સુષ્ઠાન આશરે અઢીસો વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતમાં થઈ ગયેલા મુસ્લિમ સંત “સુન્હાન' ફકીરી ધારણ કર્યા પહેલાં ખૂબ જ નિર્દય અને તેનાં કર્મો યવનને પણ શરમાવે તેવાં હતાં. તે અરસામાં ૨૫૧ ઉત્તર ગુજરાતના વંદનીય મુસ્લિમ સંત “સાંઈ દિન દરવેશ' નો ભેટો થયો અને આ પ્રભાવી સંતના ઉપદેશથી ફકીરી ધારણ કરી અને સાંઈ દિન દરવેશજીના ચરણોમાં જીવનનો મોટો ભાગ વિતાવ્યો. તેઓએ શ્રી કૃષ્ણભક્તિનાં તથા અવતાર લીલાનાં પદો તથા કલિયુગ વિશેનાં પદો રચીને લોકોને ભાઈચારો, ભક્તિભાવ, નેકી–ટેકી પર ચાલવાનો ઉપદેશ આપી સમાજને મોટું યોગદાન પુરું પાડેલ છે. તેઓશ્રી રચિત “અવતાર લીલા'ના તેમજ અન્ય વચનામૃતનું પાન કરીએ; ઝૂલણા ૧. મીનકો રૂપ હરિને લીયો, મહા પ્રલય જહાજ રત્નાકર તારે, સપ્તઋષિ સત્યવ્રત ચઢે સંગ ઔર હી ભક્ત અને ભારે મૂછ પે બાંધ જહાજ લાયે હરિ, અપને જનકો ઉબારે ખેવનહાર “સુહાન” કે સાંઈયાં મહા નિધિ સે રખવારે. ૨. કચ્છકો રૂપ બનાય હરિ, ગિરી ડુબત સાગર બીચ કાઢે, નાગકી નેવી મથાની સુમેરકી દેવ દાનવ નિધિ મંથન ગાઢે, રન સબે સુર લોક લીયા, મહા બિષ હરને પીયા અગાઢ, સુન્હાન” કે સાંઈ રમા સંગમે રત્નમણી ચાર પાયા પ્રગાઢે. કલંકિ અવતાર ધરેંગે હરિ, ખલમાન હિત પિયુરાયા પ્રાગટ્ય સંચર દેશ પછાહ બમ્મન કે દ્વારમેં રંગછાયા કલિ અર્ધ બિતસાંઈ આવે, એસી બેદ પુરાનમેં શાખ ભાયા, સુહાન” કે નાથકો આયે બિના, કૈસે મીટત યહિ પાપ પાયા. કૃષ્ણ-કરીમ એકરૂપ અંગે સાંવરિયો તોહે ઘનશ્યામ જાના, મોરે મન મુરલીધર ભાવતા હૈ યદુનંદન દુઃખ નિકંદન નાથ, મમ રસના ગોવિંદ ગાવતા હૈ, ઘોર અંધિયારા છાય રહ્યા બાલ ચમક્યો અનહન આવતા હૈ સુબહાન' કો કૃષ્ણ-કરીમ જાન, વહી દોનો એક દિખાવતા હૈ. આજના સમય અંગે તેઓ કહે છે કે, સૈયાં ઇસ કલિયુગમેં કૈસા ચલા અંધેર, રાજા-પ્રજામેં ના બને, જિત દેખું તિત બૈર, જિત દેખું તિત બૈર, હિન્દુ મુસલ્માં ન જંપે, ચલે ગગન તલવાર, સુનત હિ હૈયા કંપે કહત “સાંઈ સુષ્ઠાન' બાલમ સો અર્જ કરૈયા, કૈસ ચલા અંધેર? ઇસ કલિયુગ મેં મૈયા! આવા રામ-કૃષ્ણભક્ત ‘મુસ્લિમ સંતોનાં વચનામૃતનું પાન કરી સમાજની અજ્ઞાનતા દૂર કરી ભાઈચારો કેળવવા અપીલ છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy