SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ પથપ્રદર્શક ધાર્મિક ક્ષેત્રે વિસ્તરતી ક્ષિતિજોઅજશવના મહિલા કથાકાશે પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી તથા કિશોરચંદ્ર ર. ત્રિવેદ પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી અને કિશોરચંદ્ર ૨. ત્રિવેદીએ પ્રમાણમાં એક નવા જ વિષયની રજૂઆત કરી છે અને તે છે “ગુજરાતના મહિલા કથાકારો'. જે સ્ત્રીશક્તિનો નિર્દેશ કરે છે અને તેમની શક્તિના વધતા વ્યાપની અને સામાજિક સુધારાની ગવાહી પૂરે છે, આ બાબતની પ્રતીતિ તો લેખના પ્રારંભમાં આપેલ મહિલા કથાકારોની યાદી પરથી જ થઈ જાય છે. જો કે આ યાદીને વધુ વિસ્તૃત કરવાના બંને લેખકોના પ્રયત્નો ચાલુ રહેવાના છે. છતાં અહીં ત્રીસેક જેટલા મહિલા કથાકારોને સ્મરી લઈને લેખને સચિત્ર બનાવ્યો છે, અમુક કથાકારો અંગે વિશેષ માહિતી પણ સંકલિત કરી છે તે માત્ર મહિલાઓને, ધાર્મિક શ્રદ્ધાવાન ભાવિકોને જ નહીં પરંતુ સ્ત્રી સશક્તિકરણના હિમાયતીઓને પણ ગમશે એમ નમ્રપણે માનીએ છીએ. | [આ લેખમાં શ્રી હરિપ્રસાદ ટી. જાની-પુનિત શાસ્ત્રીજી' (કરજણ) તથા શ્રી મહેન્દ્રભાઈ પટેલ (સરભાણ) અને શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ, ગીતા વિદ્યાલય-જોડિયાના શ્રી વિનુભાઈ કાનાણીનો કેટલાંક સરનામાં પ્રાપ્તિ અંગે આભાર.] પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીનું વતન ગલસાણા (તા. ધંધુકા, જિ. અમદાવાદ) છે. જન્મ તા. ૭-૯-૧૯૪૭ના રોજ મોસાળના શિયાણી, જિ. સુરેન્દ્રનગરમાં, સૌરાષ્ટ્ર યુનિ.માંથી અર્થશાસ્ત્ર સાથે ૧૯૭૩માં એમ.એ. થયા બાદ કવિશ્રી બોટાદકર કૉલેજ-બોટાદ, સી.એન. કૉમર્સ કૉલેજ-વીસનગરમાં અને ૧૯૮૧ થી જે. એમ. શાહ આર્ટ્સકૉમર્સ કૉલેજ, જંબુસરમાં અર્થશાસ્ત્રના અધ્યાપક, અર્થશાસ્ત્ર ઉપરાંત લોકસાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ વગેરેમાં કલમ ચલાવે છે. હિંદીમાં ‘વેદવાણી’, ‘પરોપકારી’ જેવા ઉચ્ચ સામયિકોમાં લેખ પ્રકાશિત થયેલ જેના ફળસ્વરૂપે ડો. ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાનના “આર્યલેખક કોશ'માં સ્થાન મળ્યું. પર્યાવરણ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વિશે સંખ્યાબંધ વ્યાખ્યાનો તથા છ જેટલાં રેડિયો પ્રવચનો આપ્યાં છે. કેન્દ્ર દ્વારા આયુક્ત આકાશવાણીના લોકસંગીતના ગાયક કલાકારની પસંદગી સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના (૧૯૯૦ થી ૯૩) સભ્ય હતા. આ વર્ષે ગુજરાત રાજ્ય અભિલેખાગાર (આકઈઝ)માં ભરૂચ જિ.ના સભ્ય તરીકે લેવાયા છે. શિક્ષણ સાથે સમાજસેવા અને લેખન પ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રા. બી. આર. ત્રિવેદીના નાનાં-મોટાં સોળેક પુસ્તકો સંપાદિત થયેલ છે. તેમની પાસે સિક્કાસંગ્રહ અને અંગત પુસ્તકાલય છે. શ્રી દેવલુકના મોટાભાગનાં સંપાદનોમાં પ્રા. ત્રિવેદીના લેખો છે, તેમનું સરનામું : પ્રા. લિ. ૨. ત્રિવેદી, ૨૫-જયમહાદેવનગર, જંબુસર, જિ. ભરૂચ-૩૯૨૧૫૦ શ્રી કિશોરચંદ્ર ર. ત્રિવેદી–આ સંકલિત લેખના સહલેખક શ્રી છે, તેમનું વતન પણ ગલસાણા, તા. ધંધુકા છે. જન્મ તા. ૬-૫-૧૯૫૪ના રોજ મોસાળ શિયાણી (જિ. સુરેન્દ્રનગર)માં થયેલો. ગુજરાતી વિષય સાથે એમ.એ., બી.એ., ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર ઉત્તીર્ણ કિશોરભાઈ ત્રિવેદી પાસે સુંદર કંઠ છે જે લોકગીતો અને ભજનોની રજૂઆતરૂપે કયારેક જ ઉપયોગમાં લે છે. લોકકથાઓ, નવલિકાઓ, કાવ્યો અને ગઝલો જુદા જુદા સામયિકોમાં અવારનવાર આપતા શ્રી ત્રિવેદીએ કુંકાવાવના ભગત પરિવારનો ૩00 વર્ષનો ઇતિહાસ' લખેલો છે. હાલ તેઓ શ્રી એન. એમ. શેઠ કુમાર વિદ્યાલય, કુંકાવાવ, જિ. અમરેલીમાં ગ્રંથપાલ તરીકે સેવાઓ આપે છે. આ બંધુબેલડીને ખૂબ ખૂબ ધન્યવાદ. - સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy