SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પ્રવચનો આપી અમેરિકન નાગરિકોની પ્રીતિ સંપાદન કરી હતી. એ ઉપરાંત ડૉ. પંડિત ૧૯૯૮ માં અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં અને ઇ. સ. ૨૦૦૦ માં વોશિંગ્ટન શહેરમાં શ્રી કૃષ્ણ પ્રણામી એસોસિએશન દ્વારા યોજાયેલ શ્રી પ્રાણનાથ જયંતિ મહોત્સવમાં, શ્રી પદ્માવતી ધામ ટ્રસ્ટના ચેરમેન તરીકે ઉપસ્થિત રહી, પ્રણામી ધર્મના તત્ત્વજ્ઞાન અંગે પ્રશંસનીય વ્યાખ્યાનો આપ્યાં હતાં. ગુજરાતના અન્ય પ્રણામીઓ દ્વારા વિદેશોમાં ધર્મપ્રચાર : ગુજરાતના ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરત, વલસાડ વગે૨ે જિલ્લાઓના તથા સૌરાષ્ટ્ર-કચ્છના પ્રણામીઓ છેલ્લા ૪-૫ દાયકાઓથી અમેરિકા, કેનેડા અને ઇંગ્લેંડમાં કાયમી વસવાટ કરતાં કરતાં પોતપોતાના વ્યવસાયો સાથે સાથે પ્રણામી ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરે છે. તેમના અગ્રણીઓ શ્રી દિનેશ ભાવસાર, શ્રી રામજી ગોવિંદ પાનખાનીઆ, શ્રી રાજુભાઈ ચીમનભાઈ પટેલ (અલીદ્રા–જિ. ખેડા), અરૂણભાઈ ભાવસાર, રમેશ ભાવસાર, શશિકાન્ત મિસ્ત્રી, કપિલભાઈ ભાવસાર, અશોકભાઈ એન્જીનીયર (વલસાડ), સંજય પટેલ (ઓડ–ખેડા), દિનેશ શાહ (ખંભાત), નરેન્દ્ર પટેલ (ભરૂચ), રમણભાઈ પટેલ (સા.કાં.), ઇન્દ્રવદનભાઈ તથા દિલીપભાઈ પટેલ (સોજીત્રા–જિ. ખેડા) વગેરેના નેતૃત્ત્વમાં સ્થપાયેલ, ‘શ્રી કૃષ્ણ પ્રણામી એસોસિએશન ઑફ યુ.એસ.એ.’, ‘જાગણી અભિયાન' વગેરે સંસ્થાઓ દ્વારા અમેરિકા, ઇંગ્લેંડ, કેનેડા વગેરે દેશોમાં પ્રણામી-ધર્મના ધર્મોત્સવો, શ્રી પ્રાણનાથ જયંતિ, જન્માષ્ટમી, ધર્મમહોત્સવ વગેરેની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તે દરમ્યાન તારતમ સાગરનાં પારાયણ, વાણી ચર્ચા, વ્યાખ્યાનો ભજન-કિરતન, રાસ-ગરબા, નાટકો જેવા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધારતા કાર્યક્રમો યોજીને અમેરિકા, ઇંગ્લેંડ અને કેનેડામાં પ્રણામી ધર્મ અને ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવવામાં આવે છે. નેપાલમાં પ્રણામી ધર્મ : ભારતનો પડોશી દેશ નેપાલ તો હિંદુ રાષ્ટ્ર તરીકે પ્રસિદ્ધ છે. આજે પણ નેપાલમાં ૬૦ થી વધુ પ્રણામી મંદિરો આવેલાં છે. કારણ કે, પ્રણામી ધર્મના તીર્થધામો જામનગર અને સુરત તથા પન્નાજીના સાધુ-સંતો અને વિદ્વાનો અવારનવાર નેપાલમાં જઈને પ્રણામી ધર્મનો પ્રચાર કરે છે. આ લેખના લેખક ડૉ. Jain Education International પથપ્રદર્શક મહેશચંદ્ર પંડ્યાએ પણ પ્રણામી ધર્મના માન્ય વિદ્વાન તરીકે નેપાલ અને સિક્કીમમાં જઈને પ્રણામી દર્શન પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. તા. ૧૯-૨૦ મે ૧૯૯૯ ના રોજ નેપાલના પહાડી વિસ્તારમાં આવેલા પોખરા નગરમાં, ૨૧, ૨૨, ૨૩ મે ૨૫, ૨૬, ૨૭ મે-૧૯૯૯ દરમ્યાન સિક્કીમની રાજધાની ગંગટોક તથા સીંગતામ નગરમાં રોકાઈને, પ્રણામી ધર્મમાં રહેલી માનવતા, વિશ્વઐક્યની ભાવના, વસુધૈવ કુટુંબકમની ભાવના, વિશ્વપ્રેમ અને સર્વધર્મ સમભાવ વગેરે વિષયો પર મનનીય વ્યાખ્યાનો આપ્યાં હતાં. નિજાનંદ ફાઉન્ડેશન-અમેરિકા ઇ.સ. ૧૯૯૩માં અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ અને પ્રણામી ધર્મના પ્રચાર-પ્રસાર હેતુ સ્થપાયેલા નિજાનંદ ફાઉન્ડેશનનાં નેજા નીચે ગુજરાતના નીચેના મહાનુભાવો સુંદર કામગીરી બજાવી રહ્યાં છે. શ્રી રમણભાઈ પટેલ : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલ પુરાણ ગામના શ્રી રમણભાઈ પટેલ ૧૯૬૯થી અમેરિકામાં સ્થિર થઈને અમેરિકાના બાલ્ટીબોર, ચેસ્ટરસ્વર્જીનીઆ, એટલેન્ટા, મેકન બોલગ્રીન-કેન્ટકી વગેરે સ્થળે શિબિરો સતસંગ સભાઓ, પારાયણો, વિદ્યુતગોષ્ટિ વગેરે કાર્યક્રમો યોજીને તથા સાહિત્ય, કેસેટોનું વિતરણ કરીને ધર્મનો સુપેરે પ્રચાર કરી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ પટેલ: પંચમહાલ જિલ્લાના ગોધરા પાસે આવેલા ગોલી ગામના શ્રી નરેન્દ્રભાઈ પ્રણામી ધર્મનાં મેગેઝિનોમાં પ્રસિદ્ધ થતા લેખોનું સંકલન ઇન્ટરનેટ મારફતે ધર્મનો પ્રચાર કરે છે. એ ઉપરાંત ધાર્મિક સાહિત્ય, ઓડિયોવિડિયો કેસેટો જેવાં આધુનિક ઉપકરણો દ્વારા પણ અમેરિકાના લોસએન્જલસ, કેલીફોર્નિયા, ટેક્સાસ, ડલાસ શિકાગો વગેરે જગાએ શિબિરો કેમ્પો યોજીને તથા ધાર્મિક સાહિત્યના વિતરણ દ્વારા ધર્મપ્રચાર કરી રહ્યા છે. તેઓ નિજાનંદ યાદુ ગ્રુપ દ્વારા સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા યુવા વર્ગના સમસ્યાઓના સમાધાન માટે ઉપયોગી બને છે. ચંદુભાઈ ઝવેરભાઈ પટેલઃ ખેડા જિલ્લાના ભરોડા ગામના વતની શ્રી ચંદુભાઈ મોટા ઉદ્યોગપતિ હોવા છતાં અમેરિકા, બ્રિટન, કેનેડામાં હિન્દુ હેરીટેજ ફાઉન્ડેશન દ્વારા સર્વધર્મ સમભાવને કેન્દ્રમાં રાખીને ભારતીય ધર્મો તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy