SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ભાવવિભોર બની ગઈ હતી. આ પ્રસંગને સફળ બનાવવા માટે તળ ગુજરાતના, યુ.કે.માં વસતા શ્રી માંડવિયા પરિવારે ભારે જહેમત ઊઠાવી હતી. નોંધપાત્ર બાબત તો એ છે કે, અમેરિકાના સ્વાતંત્ર્ય દીન તા. ૪-૭-૨૦૦૩ ના રોજ, નેશવીલ શહેરમાં શ્રી કૃષ્ણ પ્રણામી મિશન અમેરિકા દ્વારા અમેરિકાની ધરતી પર પ્રણામી ધર્મનું પ્રથમમંદિર, ‘શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર” ની સ્થાપના થઈ હતી, જેમાં પ્રાણપ્રતિષ્ઠા ધર્માચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજના વરદ્ હસ્તે સંપન્ન થઈ હતી. ૮૨ એકર જમીન પર પથરાયેલ એ પરિસર ‘શ્રી કૃષ્ણધામ’ તરીકે પ્રસિદ્ધ છે. એ પરિસરમાં ચાલતા ‘પ્રણામી આશ્રમ’માં પ્રણામી-બિન પ્રણામી આબાલવૃદ્ધો, પરમધામનું, ૪ પદાર્થોનું અને પ્રાણામી સિદ્ધાંતોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જગદ્ગુરૂ ધર્માચાર્ય ૧૦૮ શ્રી સૂર્યનારાયણદાસજી મહારાજ : સુરત ઃ પ્રણામી ધર્મના મહાન પ્રવર્તક મહામતિ શ્રી પ્રાણનાથજીએ સુરત શહેરમાં સતત ૧૭ માસ સુધી ધર્મોપદેશનું કાર્ય કરીને વિ.સં. ૧૭૨૯ માં સુરતમાં પ્રણામી ધર્મની આદ્ય જાગણી પીઠની સ્થાપના કરી, જે પીઠ પ્રણામી ધર્મમાં શ્રી ૫ મહામંગપુરીધામ તરીકે પ્રસિદ્ધ છે એ જાગણી પીઠના વર્તમાન આચાર્ય-પીઠાધિશ્વર જગદ્ગુરૂ ૧૦૮ શ્રી સૂર્યનારાયણદાસ મહારાજ પણ અવારનવાર વિદેશોમાં જઈને પ્રણામી ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ પ્રણામી એસોસિએશન ઓફ યુ.એસ.એ. દ્વારા અમેરિકાના ટેક્ષાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં તા. ૪-૫ જુલાઈ ૧૯૯૮ દરમ્યાન યોજાયેલા શ્રી પ્રાણનાથજયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી સૂર્યનારાયણદાસજી મહારાજે, અમેરિકા, કેનેડા અને ઇંગ્લેન્ડનાં જુદાં જુદાં રાજ્યોમાંથી ઉપસ્થિત રહેલા વિશાળ માનવ મહેરામણને મહામતિ શ્રી પ્રાણનાથજીએ પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતોના મૂળ તત્ત્વો, વિશ્વ કલ્યાણની અને વિશ્વ ઐક્યની ભાવના, “સુખ શીતલ કરું સંસાર'' ની વિભાવના અને વિશ્વમાં એક માનવધર્મની સ્થાપના અંગે મનનીય વ્યાખ્યાનો આપી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું. શ્રી ટહલકિશોર શાસ્ત્રીજી મહારાજ ભરોડા–જિ. ખેડાઃ શ્રી રાજમંદિર-ભરોડા, જિ. ખેડાના વર્તમાન આચાર્ય શ્રી ટહલ કિશોર શાસ્ત્રીજી પણ અમેરિકામાં, શ્રી કૃષ્ણ પ્રણામી Jain Education International ૨૨૫ એસોસિએશન દ્વારા યોજાતા ધર્મોત્સવોમાં ઉપસ્થિત રહી, વ્યાખ્યાનો આપી પ્રણામી ધર્મના પ્રચારનું કાર્ય કરી રહ્યા છે. નોંધવા જેવી બાબત તો એ છે કે, શ્રી ટહલકશોર શાસ્ત્રીના પ્રયત્નોથી અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર સ્થપાયું છે, જે અમેરિકાની ધરતી પર પ્રણામી ધર્મનું બીજું મંદિર છે. આ મંદિરના વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા શાસ્ત્રીજી ભારતીય સંસ્કૃતિ અને પ્રણામી ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. ડૉ. દિનેશ પંડિત-ખંભાત, જિ. ખેડા : છેલ્લાં ૩૫ વર્ષથી ખંભાતમાં પોતાની સર્જીકલ હૉસ્પિટલ દ્વારા માનવ સેવાનું કાર્ય કરતાં ડૉ. દિનેશ પંડિત, કેમ્બે જનરલ હૉસ્પિટલ, તાલુકા કેળવણી મંડળ, રોટરી ક્લબ વગેરે ખંભાતની સંસ્થાઓ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, શ્રી ૫ પદ્માવતીપુરી ધામ પન્ના ટ્રસ્ટ જેવી સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓમાં ચાવીરૂપ હોદ્દાઓ પર રહીને અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે. ડૉ. પંડિત વ્યવસાયે ડૉક્ટર–સર્જન હોવા છતાં પ્રણામી ધર્મના ઊંડા અભ્યાસુ પણ છે. તેથી ગળથુથીમાંથી મેળવેલ પ્રણામી ધર્મના જ્ઞાનના પ્રચાર-પ્રસાર અર્થે તેઓ અવાર-નવાર ઇંગ્લેંડ અને અમેરિકાની મુલાકાત જાય છે. અને એ દેશોની જુદી જુદી સંસ્થાઓના આમંત્રણને માન આપીને, પ્રણામી દર્શન અને ભારતીય સંસ્કૃતિ પર મનનીય વ્યાખ્યાનો આપીને ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી રહ્યા છે. ઇ. સ. ૧૯૭૮ માં રોટરી ક્લબ ખંભાતના પ્રમુખ તરીકે ઇંગ્લેંડમાં યોજાયેલ રોટરી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ" માં વ્યાખ્યાનો આપવા તેમને ઇંગ્લેંડ જવાનું થયું. તે વખતે બ્રિટિશ ઉદ્યોગપતિ શ્રી બેલ ડે વિડના હોમચેપલમાં આવેલા નિવાસસ્થાને એક માસ સુધી રોકાઈને, માન્ચેસ્ટર, કારબરો, કીંગસ્ટન, મીડલેક્ષ, સાઉથહોલ, લેસ્ટર વગેરે નગરોમાં આવેલી ૧૨ રોટરી ક્લબોમાં પ્રણામી દર્શન અને ભારતીય તત્ત્વજ્ઞાન પર મનનીય વ્યાખ્યાનો આપ્યાં હતાં. “ધી એક્સપેરીમેન્ટ ઇન ઇન્ટરનેશનલ લીવીંગ સોસાયટી''ના લાઈફ મેમ્બર તરીકે ડૉ. પંડિતના એ સંસ્થાના ઉપક્રમે ઇ. સ. ૧૯૮૨ માં અમેરિકામાં વ્યાખ્યાનો ગોઠવાયાં હતાં તે વખતે અમેરિકાના ન્યૂબર્ન શહેરના અમેરિકન પરિવારમાં રહીને તેમણે નોર્થ કેરોલીના રાજ્યના ન્યૂબર્ન ટાઉન અને તેની આસપાસનાં ૧૫ શહેરોમાં “ભારતીય સંસ્કૃતિ અને પ્રણામી ધર્મ” તથા ‘“વિશ્વધર્મનું સ્વરૂપ પ્રણામી ધર્મ” વગેરે વિષયો પર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy