SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ પ્રતિભાઓ પરિપાક રૂપે ૧૯૪૯માં રાજસ્થાનના બાવર શહેરમાં ઐતિહાસિક સંમેલન ભરાયું. અહીં ઋષિ સંપ્રદાયના આચાર્યપદના ત્યાગનો નિર્ણય લીધો. પરંતુ સંમેલને પૂ. આનંદઋષિને પાંચે સંપ્રદાયના આચાર્ય બનાવ્યા. - ૧૯૫૨ માં એમના નેતૃત્વમાં સાદડી (રાજસ્થાન) બૃહદ્ સાધુ સંમેલનમાં ભગવાન મહાવીરની શ્રમણ પરંપરાને સંગઠિત કરવાનું સફળ કાર્ય થયું. આ સંમેલનમાં સર્વાનુમતે પૂ. આચાર્યશ્રી આત્મારામજી મહારાજ સાહેબનું નેતૃત્વ સ્વીકારવામાં આવ્યું. ૩૦ જાન્યુઆરી ૧૯૬૨ ના પૂ. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા. એ સમયે પૂ. આનંદઋષિજી મુંબઈ-ઘાટકોપરમાં બિરાજીત હતાં. કોન્ફરન્સની મિટીંગ થઈ અને અજમેર સંમેલન ૧૯૬૪માં આનંદઋષિજીને કાર્યભાર સોંપાયો અને આચાર્ય પદની ચાદર ઓઢાડી. આચાર્ય બન્યા બાદ પહેલું ચાતુર્માસ રાજસ્થાન, દિલ્હી અને પંજાબના ક્ષેત્રોની સ્પર્શના કરી જૈન સંગઠનનું ખૂબજ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું. જૈન પાઠશાળા, સ્કુલો અને હોસ્પિટલો માટે પ્રેરણા કરી દિલ્હી, લુધિયાણા, જમ્મુ, મેરઠ, બડૌત શહેરમાં ચાતુર્માસ કર્યો. ૧૯૭૪માં મુંબઈના ગુજરાતી સમાજે પૂ. આનંદ ઋષિજીની ઉપસ્થિતિમાં ૨૫મી ભગવાન મહાવીર નિર્વાણ શતાબ્દિનું સફળ આયોજન કર્યું. ૧૯૭૫નું વર્ષ આચાર્યશ્રીજીના જીવનનું ૩૫ મું વર્ષ હતું. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી વસંતરાય નાઈકની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવ ઉજવણીમાં પૂ. આનંદઋષિજીને “રાષ્ટ્રસંત’ નામથી વિભૂષિત કર્યા. જાલના ચાતુર્માસ વખતે આચાર્યશ્રી એક ઉર્દૂ ફારસી ગ્રંથનું અધ્યયન કરી રહ્યા હતા. કાંઈ તાત્ત્વિક સમાધાન મેળવવા મૌલવીને બોલાવવામાં આવ્યા. મૌલવી આવતાં વયોવૃદ્ધ આચાર્ય નીચે આસન ગ્રહણ કરવા ઊભા થયા. મૌલવીએ કહ્યું, “આપ અમારા બુઝર્ગ છો, ફકીર છો. આપ ઊંચું આસન ગ્રહણ કરો. આચાર્યશ્રીએ કહ્યું. જ્ઞાનના ક્ષેત્રમાં કોઈ ઉંચું નીચુ નથી માટે વિદ્યા પ્રાપ્ત કરવી છે જેથી જેની પાસેથી વિદ્યા મેળવવી છે તેને જ ઊંચે આસને બેસાડવા તે વિવેક-વિનય છે. આચાર્યની વિનમતાથી મોલવી દંગ થઈ ગયા. ૧૯૮૩ માં નાસીક ચાતુર્માસમાં યુવાચાર્ય શ્રી મધુકર મિશ્રીમલજી મ.સા.નું મિલન થયું. ચાતુર્માસ બાદ પૂ. મધુકરજી કાળધર્મ પામ્યા. પછી પૂના સંમેલનમાં ઉપઆચાર્ય પૂ. દેવેન્દ્રમુનિજી અને યુવાચાર્ય પૂ. શિવમુનિજી પદારૂઢ થયા. આચાર્ય ભગવંતની વૃદ્ધાવસ્થાને કારણે શરીર સાથ દેતું ન હતું. અહમદનગર ધાર્મિક પરીક્ષા બોર્ડના પરિસરમાં ન હતી આચાર્યશ્રીએ સ્થિરવાસ કર્યો અને સાધનામાં રત રહ્યા. ૨૮ માર્ચ ૧૯૯૨ માં સમાધિભાવે કાળધર્મ પામ્યા. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ભારતના અનેક પ્રાંતમાંથી આચાર્યના અંતિમ દર્શને હજારો ભાવિકો આવ્યા. શ્રાવકોએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી. ઉપાધ્યાય પૂ. અમરમુનિજી પૂજ્ય અમરમુનિનો જન્મ ૧૯૦૨માં ગોધાગ્રામ હરિયાણામાં થયો હતો. પિતા લાલસિંહ અને માતા ચમેલીદેવીના પુત્રરત્ન અમરમુનિએ ૧૯૧૭માં જૈનદીક્ષા અંગીકાર કરી હતી. શ્રમણસંઘને સંગઠિત કરવામાં એમની નોંધનીય કામગીરી હતી. એમના પ્રવચન-લેખન, નિબંધ, વિવેચન વિ. વિવિધ વિષયની સૌથી અધિક કૃતિઓ ઉપલબ્ધ છે. પૂ.શ્રીની જ્ઞાનગરિમાને કારણે સમાજે એમને ઉપાધ્યાયપદથી અલંકૃત કરેલા. એમની પ્રેરણાથી શરૂ થયેલ બિહારના રાજગીરી ક્ષેત્રમાં આવેલ વિરાયતન સંસ્થા ધર્મ-અધ્યાત્મ અને સેવાક્ષેત્રમાં સુંદર કામગીરી કરી રહેલ છે. વૈભારગીરી રાજગૃહીમાં ૧૯૨૨માં તેમનો સ્વર્ગવાસ થયો હતો. વિરાયતનની પ્રવૃત્તિનો દેશ-વિદેશ, મુંબઈ, પૂના અને કચ્છમાં વિસ્તાર થયો છે. આચાર્યાચંદનાજી આદિ તેનું સંચાલન કરે છે. યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી, પૂજ્ય કાનજીસ્વામી, પૂજ્ય દાદાભગવાન વિ.એ અધ્યાત્મક્ષેત્રે એક નવી કેડી કંડારી હતી. તેમ પૂજ્યશ્રી વિજયવલ્લભસૂરિ, મુનિ સંતબાલજી અને ઉપાધ્યાય અમરમુનિએ ધર્મ અને અધ્યાત્મ સાથે જનહિતના ક્ષેત્રને ક્રાંતિકારી વળાંક આપ્યો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy