SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ મુનિ સંતબાલજીનો જન્મ સૌરાષ્ટ્રમાં ટંકારાથી ચાર માઈલ દૂર ટોળ ગામમાં નાગજીભાઈ દેવજીભાઈ દોશીનાં ધર્મપત્ની મોતી બહેનની કૂખે વિ.સ. ૧૯૬૦ના શ્રાવણ સુદ પૂનમ ૨૬-૮૧૯૦૪ના દિવસે થયો. સૌરાષ્ટ્રના આ વિસ્તારે જગતને ત્રણ મહાપુરુષો આપ્યા. ટોળના મુનિશ્રી સંતબાલ ઉપરાંત મોરબી પાસેના વાણીયા ગામના શ્રીમદ્ રાજચંદ્ર અને ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતી છે. સંતબાલનું સંસારી નામ શિવલાલ હતું. માતુશ્રી મોતીબહેન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન હતાં તો પિતાશ્રી નાગજીભાઈ દોશી સ્થાનવાસી જૈન હતા. નાનપણમાં શિવલાલે પિતાનું છત્ર ગુમાવ્યું. ૧૮ વર્ષની વયે માતા મોતીબાએ શિવલાલનાં વેવિશાળ માટે વચન આપી દીધેલ. થોડા સમય પછી માતાનું અવસાન થતાં વૈરાગ્યના રંગો વધુ ઘૂંટાયા. શિવલાલે કન્યાના ઘરે જઈ વાત કરી કે, મેં દીક્ષા લેવાનું નક્કી કર્યું છે, તમારે સંયમ માર્ગે આવવું હોય તો મારી અનુમોદના છે અને સંસારમાં રહેવું હોય તો તમારા ભાઈ તરીકે મારા તમને આશીર્વાદ છે. આમ કહી શિવલાલે વાગ્દત્તા દીવાળીને વીરપસલીની સાડી ઓઢાડી, દીવાળીએ પણ ભાઈનું મોં મીઠું કરાવ્યું. દીક્ષા માટે અનુમતિ મળતાં શિવલાલે વિ.સ. ૧૯૮૫ના પોષ સુદ આઠમ ૧૮-૧-૧૯૨૯ના દીને મોરબીમાં સ્થાનકવાસી સંપ્રદાયના કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજ સાહેબ પાસે ભગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી બન્યા. દીક્ષા લીધા પછી જીવનની દૃષ્ટિમાં આમૂલ પરિવર્તન આવ્યું. સર્વમાં માતાના વાત્સલ્યનું દર્શન કરતાં ૐ મૈયાને પોતાના જીવનનું સૂત્ર બનાવ્યું. જગતના તમામ સૌંદર્યને બાલભાવે નિહાળતા બાળક જેવા નિખાલસ અને નિર્દોષ સંતે સંતબાલનું નામ ધારણ કર્યું. પૂજ્ય સંતબાલે તેના જીવનકાળ દરમ્યાન ચિંતનાત્મક ધાર્મિકસાહિત્યનું સર્જન કર્યું હતું, તેમાં મહાવીરવાણી રજૂ કરતાં સૂત્રો, દશવૈકાલિક સૂત્ર, આચારાંગ સૂત્ર, સર્વધર્મ પ્રાર્થનાપીયૂષ, તત્ત્વાર્થ સૂત્ર, સિદ્ધિના સોપાન વિશ્વવાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના અને ધર્માનુબંધી વિશ્વદર્શનનાં ૧૦ પુસ્તકો વગેરેનો સમાવેશ થાય છે. વૈદિકસાહિત્યમાં, સ્ફુરણાવલી, મૃત્યુકાળ નોઅમૃતખોળો, રામાયણ, મહાભારત અને જૈનદૃષ્ટિએ ગીતાનો સમાવેશ થાય છે. અનંતની આરાધના અને સંતબાલ પત્રસુધા ભા-૧ અને ૨ માં પત્રસાહિત્ય સચવાયું છે. આમ બધાં મળીને સાઠેક જેટલાં પુસ્તકોમાં તેમનું ચિંતન ગ્રંથસ્થ થયું છે. પત્રકારત્વક્ષેત્રે, વિશ્વવાત્સલ્યપ્રયોગદર્શન, નવાં માનવી પાક્ષિકોનું પ્રકાશન મુનિશ્રીની પ્રેરણાથી શરૂ થયેલું. જાહેરજીવનને કારણે સંપ્રદાયથી જુદા થયા પરંતુ સાધુવેષ ન છોડ્યો અને પોતાના Jain Education Intemational ૨૧૩ ગુરુદેવ સાથે અંતિમસમય સુધી વિનયભાવે સંબંધ સાચવ્યો. ગુરુનાનચંદ્રજી મહારાજ કહેતા કે સંતબાલ જૈન સાધુ નહિ, જગતસાધુ છે. જૈનપરંપરા આધુનિક યુગના વિચારના અનુસંધાન દ્વારા આગળ ધપાવવી એ જ તેમનું કાર્ય રહ્યું. તેઓશ્રીને લાગતું કે, સામાન્ય જનમાનસ એવી એક છાપ છે કે જૈનધર્મ માત્ર કર્મત્યાગ તરફ ઝોક આપતો ધર્મ છે. પરંતુ સદ્ભાગ્યે શ્રીમદ્રાજચંદ્રે પોતાના ગાંધીજી જેવા સાથી દ્વારા સમાજગત સાધનોને ઝોક આપ્યો. આ વાત શ્રીમદ્જીના અનુરાગીજનો માનવા લાગશે ત્યારે શ્રીમદ્જીના નામે જેમ ભક્તિ અને જ્ઞાનધારાઓ વિકસી તેમ કર્મધારા પણ વિકસશે જ. વિરમગામ, સાણંદ, ધોળકા અને ધંધુકાનો પ્રદેશ જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના સીમાડા પર આવેલ છે તેને ભાલનળ કાંઠાનો પ્રદેશ કહેવાય છે ગ્રામ્ય પ્રદેશના લોકો અને ખેડૂતોના આંતર અને બાહ્ય જીવનના સુચારુ પરિવર્તન અર્થે ભાલનળકાંઠા પ્રાયોગિકસંઘની મુનિશ્રીએ સ્થાપના કરી. લોકસેવક રવિશંકર મહારાજને તેના પ્રથમ પ્રમુખ બનાવ્યા. જૈનધર્મના માર્ગાનુસારીના પાંત્રીશગુણ જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી લોકોને અંધશ્રદ્ધામાંથી સમ્યક્ શ્રદ્ધા તરફ વાળ્યા. વ્યસનમુક્તિ કરાવી. શિકાર બંધ કરાવ્યો. શોષણ અને ભ્રષ્ટાચાર સામે જેહાદ જગાવી. ગામડાઓ સ્વાવલંબી બને તેવા કાર્યક્રમો આપ્યા ધર્મ આધારિત સમાજ રચનાનો આદર્શ આપી રાજકારણમાં શુદ્ધિની પ્રેરણા આપી. આજે પણ ગાંધી–વિનોબા વિચારધારા પ્રમાણે ગુજરાતમાં ગુંદીઆશ્રમ, મુંબઈમાં માતૃસમાજ અને વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, માનવતા અને ધર્મની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરી રહેલ છે. મુંબઈ અને ગુજરાતની ભાગોળે આવેલ, દહાણુ અને વાનગાંવ પાસેનું ગામ ચીંચણીમાં આંતરરાષ્ટ્રીય કેન્દ્ર-મહાવીરનગરની સ્થાપના કરી. સાંપ્રદાયિક વાડાબંધીથી મુક્ત જૈનધર્મને વિશ્વધર્મ બનાવવા માટે ત્યાં ચાર વિભાગની સુંદર કલ્પના આપી. સમાજના હિતને અર્થે, સમાજસેવકો અને સંતોના સમન્વયની એક ઝંખના મુનિશ્રી સંતબાલના હૃદયમાં હતી. તેથી દારૂબંધી કરાવવા દારૂના વ્યવસાયમાંથી લોકોને મુક્ત કરવા, ધર્મના નામે પશુબલિ-પશુવધ અટકાવવા, ગૌવધ અટકાવી શાકાહાર તરફ લોકોને વાળવા, સર્વધર્મ સમભાવનો પ્રચાર કરવા અને અસ્પૃશ્યતા નિવારણ માટે મુનિ સંતબાલજીની પ્રેરણાથી ૧૯૭૨માં સંતસેવક સમુદ્યમ પરિષદની સ્થાપના થઈ હતી જેમાં આચાર્ય તુલસી, પૂજ્ય અમરમુનિ, સ્વામી સત્યમિત્રાનંદગિરી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy