SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ૩. શ્રમણ સંઘ ૪. શ્રમણ સંઘ ૫. શ્રમણ સંઘ ૬. કચ્છ મોટી પક્ષ જૈન ધર્મક્રાંતિના જ્યોતિર્ધર : લોંકાશાહ પ્રાચીન યુગથી માંડીને આજ સુધીના ભારતની સંસ્કૃતિ, દર્શન અને ધર્મ પરંપરાનો ઇતિહાસ તપાસવા જેવો છે. જ્યારે જ્યારે ધર્મમાં શિથિલતા અને વિકૃતિઓ પેસી છે, ત્યારે ત્યારે શિથિલાચારીઓને ચારિત્ર્યમાં સ્થિર કરવા માટે તથા ધર્મમાં પડેલી વિકૃતિઓ દૂર કરવા માટે સમ્યક્ પુરુષાર્થી મહામાનવનો ઉદય થયો છે અને તેના પ્રચંડ પુરુષાર્થે સદ્ધર્મની પુનઃસ્થાપના થઈ છે. આ સંદર્ભે શ્રીકૃષ્ણ અને ભગવાન મહાવીર જેવા મહાપુરુષોની ભૂમિકા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. જ્યારે વૈદિકધર્મમાં યજ્ઞ-યાગ આદિ દ્વારા હિંસા વધી ત્યારે ભગવાન મહાવીરે અહિંસા ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરી. શ્રી રમેશમુનિજી મ.સા. શ્રી હેમચન્દ્રજી મ.સા. શ્રી રમેશમુનિજી મ.સા. શ્રી વિનોદમુનિજી મ.સા. વિક્રમના પંદરમાં સૈકામાં લોકાશાહ નામના એક શ્રાવકને લાગ્યું કે નિવૃત્તિપ્રધાન જૈનધર્મ અહિંસા, સંયમ અને તપને પ્રધાનતા આપે છે. અનેકાંતવાદ, સાપેક્ષવાદ કે સ્વાદ વાદ તેનો સિદ્ધાંત છે. મૂર્તિપૂજામાં પ્રતિષ્ઠા મહોત્સવો ઠાઠમાઠથી થતા જોઈ તેમાં આત્મ આરાધનાની પ્રધાનતા ઓછી દેખાણી, આરંભસમારંભ અને આડંબરમાં તેને ચૈત્યવાદનો વિકાર લાગ્યો. જૈનોના આગમનો કબજો સાધુ પાસે હતો. તે કહેતા, શ્રાવકોથી શાસ્ત્ર વંચાય નહિ.' અને તેમાં એટલી બધી ધાક બેસાડેલી કે જે વાંચે સૂત્ર તેના મરે પુત્ર. આવી બીકથી લોકો સૂત્રો વાંચતા ડરતા હતા, અને લોકોને એમ ઠસાવતા કે સૂત્રો વાંચવાનો અધિકાર ફક્ત સાધુઓનો છે અને આવી કેટલીક વાતો અધિકારવાદની શૃંખલા જેવી લાગી ઉપરાંત શ્રમણવર્ગની શિથિલતા જોઈ. Jain Education International સુંદર અક્ષરને કારણે લોંકાશાહને જ્ઞાનજી નામના યતિશ્રીએ આગમોના પુનર્લેખનનું કાર્ય સોંપ્યું. આગમોનું પુનર્લેખન કરતાં, તેનું ચિંતન-મનન કરતાં લોંકાશાહને લાગ્યું કે ધર્મમાં વિકૃતિ પેસી છે. તેથી તેણે ક્રાંતિની મશાલ જગાવી અને માર્ગ ભૂલેલા લોકોને સત્યધર્મની સમજણ આપવા પ્રચંડ પુરુષાર્થ આદર્યો. લોંકાશાહની પ્રેરણાથી ૪૫ વ્યક્તિઓએ દીક્ષા લઈ પથપ્રદર્શક ધર્મપ્રચારનું કાર્ય શરૂ કરી દીધેલું. પછી પાટણમાં ૧૫૨ દીક્ષા થઇ અને શિરોહી અર્હતવાડા વિ. અનેક નગરોમાં દીક્ષા થઈ. માગશર સુદ ૫ સંવત ૧૫૩૬માં સોહનમુનિ પાસે લોકાશાહ પણ દીક્ષિત થયા. સતત દસ વર્ષ સુધી ગામેગામ ફરી ધર્મપ્રભાવના કરી દિલ્હી ચોમાસુ પૂર્ણ કરી અલવરમાં અઠ્ઠમના પારણામાં કોઇ વિરોધી પરિબળે ખોરાકમાં વિષ વહોરાવતાં સમાધિભાવે સંવત ૧૫૪૬ના ચૈત્ર સુદી ૧૧ના દિને મૃત્યુંજય બન્યા. લોંકાશાહની વિદાય પછી મુનિ ભાણજી, મુનિ નન્નાજી, મુનિ જગમલજી અને રૂપૠષિજીએ ધર્મનું કાર્ય આગળ ધપાવ્યું. જે ‘લોકાગચ્છ’ કે ‘દયાગચ્છ’ રૂપે ઓળખાવા લાગ્યા. ત્યારપછી અઢી સૈકા બાદ શ્રી લવજીઋષિ, શ્રી ધર્મસિંહજ મુનિ અને શ્રી ધર્મદાસજીએ ધર્મમાં પુનઃ પેઠેલી શિથિલતાને ખંખેરી પુરુષાર્થ કર્યો તેથી તે ‘ક્રિયોદ્ધારક’ તરીકે ઓળખાયા. લોકાશાહને આગમો લખવાની તક મળી ત્યારે તે લખતાં લખતાં તેણે આગમોમાં રહેલા જૈન તત્ત્વનું ચિંતન પરિશીાલન કર્યું. પરિણામે તેને પ્રતીતિ થઈ કે ભગવાન મહાવીરે જે અહિંસા ધર્મની પ્રરૂપણા કરી છે તેનાથી આપણે વિપરિત દિશા તરફ જઈ રહ્યા છીએ. સૂક્ષ્મ ચિંતનના પરિણામે તેમણે તેમનું આખુંય જીવન ધર્મક્રાંતિના મંથન અને વિકાસમાં ખરચ્યું. શ્રમણોમાં શિથિલતા, ચૈત્યવાદનો વિકાર અને અધિકારવાદની શૃંખલા લોંકાશાહના ક્રાંતિબીજ હતાં. સત્યની ભૂમિમાં ધરબાયેલા આ બીજને નિષ્ઠા અને પુરુષાર્થનું જળ મળતાં તે વિશાળ વૃક્ષ બની ગયું. સમકિતના આ પવિત્ર વૃક્ષની છાયામાં જિનકથિત મૂળ માર્ગની પુનઃ પ્રતિષ્ઠા થઈ. મુનિશ્રી સંતબાલજી લોંકાશાહને ધર્મપ્રાણ કે ક્રાંતિનો યુગસૃષ્ટા કહે છે. તેમના મતે લોંકાશાહને કોઈ નવો પંથ સ્થાપવો ન હતો. તેને કારણે જ તેની પ્રતિભા એક નિર્ભય સમાજ સુધારક તરીકે ઊપસી. સાધુ સંસ્થાનું શૈથિલ્ય દૂર કરી, સંઘની છિન્નભિન્નતા દૂર કરી, તેમાં એકવાક્યતા લાવવાની પ્રવૃત્તિ આચરે તે જ ભગવાન મહાવીરનો સાચ્ચો અનુયાયી અને આ જ વાત તે સર્વને ગળે ઉતારવા માગતા હતા. તેમની સુધારણામાં શ્રમણોની શિથિલતા, ચૈત્યવાદના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy