SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૬૯ નારી ગૌસ્વ – પદ્માબેન ફડીયા ભારતીય સંસ્કૃતિમાં નારીગૌરવને પરમ આદરણીય સ્થાન છે. શિવ અને શક્તિ, માતા અને પિતા, પ્રેરણા અને પુરુષાર્થના જોડકાં બતાવે છે કે એકની અનુપસ્થિતિમાં બીજાની હયાતી અશકય છે. એટલે જ કહ્યું છે કે જયાં નારી પૂજાય છે, ત્યાં દેવતા રમે છે.” પ્રત્યેક પ્રાણીને ધબકતું જીવન આપનાર માતા છે. માત્ર જન્મ નહિ, એનું લાલનપાલન કરીને, સારા સંસ્કારો આપીને, પુનિત પ્રેરણા આપીને આ ભવાટવીમાં રમતાં મૂકવાની શક્તિમતિ માતામાં જ હોય છે. એ દરેક અવસ્થામાં, પનીરૂપે–બહેનરૂપે-પુત્રીરૂપે પુરુષને પ્રેમ પ્રેરતી હોય છે. અને આગળ વધતાં કુટુંબને અને સમાજને, રાષ્ટ્રને અને વિશ્વને શાંતિ-સંવાદ-સુખનો અનુભવ કરાવતી હોય છે. ઇતિહાસ કહે છે કે, જે જે દેશમાં જે જે કાળે સમાજમાં ઉત્તમ નારીઓ પાકી છે, ત્યારે ત્યારે તે દેશની સંસ્કૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. નાનકડાં કુટુંબથી માંડીને રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર સમાજને પ્રેરણાના પીયૂષ પાનાર નારીનાં જીવનધર્મને જે પ્રજા આરાધે છે તે ક્યારેય દુઃખી થતી નથી. આ લેખમાળામાં એવી ભવ્યોન્નત નારીઓનો મહિમા દર્શાવ્યો છે. આ લેખમાળા રજૂ કરનાર બહુ આયામી સમાજલેખિકા, વાત્સલ્યમૂર્તિ પદ્માબહેન ફડીયાનો જન્મ ઇ. ૧૯૨૩ માં અમદાવાદમાં થયો હતો. નાનપણથી જ તેમને નૃત્ય અતિપ્રિય. દસ-બાર વર્ષની આ બાલિકાના જીવંત અભિનય અને અંગ-ભંગિમાઓ જોઈ પ્રેમાભાઈ હોલ” ગુંજી ઉઠતો. સામાજિક કાર્યોમાં પણ ભારે લગાવ. એમ. એ. બી. એ. થઈ વલ્લભવિદ્યાનગર યુનિ.માંથી મહાકવિ કાલિદાસના Philosophy of Nature પર સંસ્કૃતમાં પી.એચ.ડી. થયા. અને બી.એ. કૉલેજ ઓફ એજ્યુકેશનમાં વ્યાખ્યાતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેવી જ રીતે નડિયાદની મહિલા કોલેજમાં તેમજ કપડવંજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તેઓએ છ વર્ષ પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપી. પદ્માબહેને સમાજની સમસ્યાઓ, સામાજિક નીતિરીતિ, રૂઢિઓ વગેરેને પોતાની લેખિનીમાં વણી લઈ સામાજિક ઉત્થાનમાં મહત્વનો ફાળો આપ્યો છે. ઘણી વિવશ સ્ત્રીઓના જીવનમાં ચેતનાનો સંચાર થયો છે. સતત સત્તર વર્ષ સુધી તેમણે જનસત્તાના “નવા યુગની નારી' વિભાગનું સંપાદન કર્યું. દરમિયાન ગુજરાત સમાચારમાં પ્રાચીન સમયની વેશભૂષા-કેશભૂષાની શૃંખલા શરૂ કરી. ઉપરાંત ગુજરાત', “સખી વગેરેમાં તેમના સમાજોપયોગી લેખો નિયમિત પ્રસિદ્ધ થતા હતા. હાલમાં તેઓ જનસત્તાના “માનુષી' વિભાગમાં નિયમિત લખે છે. “વિકાસગૃહ' ત્રિમાસિકનું સંપાદન પણ તેઓ સુપેરે નિભાવે છે. તેમની નવલકથા પ્રેમઘટા, અણછીપી પ્રીત, ત્યાગ અને તપસ્યા, ભાભી વગેરે મહિલા વાચકોને ખૂબ જ આકર્ષી શકી છે તેમજ તેમના નવલસંગ્રહો દીપ, મા તું કોની ઢીંગલી', દીપ-પ્રદીપ, વસંત મહોરી ઊઠી વાત્સલ્યનાં વહેતાં ઝરણાં વગેરે ઉલ્લેખનીય છે. તેમણે લખેલ કેળવણીનું દર્શન અને શાળા પુસ્તકાલય એમ. એ.ના અભ્યાસક્રમનું એક મહત્વનું કેળવણી વિષયક પુસ્તક છે. બાળકો માટે વીરબાળાઓ અને વીર બાળકો વગેરે શૌર્યપ્રેરક પુસ્તકો લખ્યા છે. સતત વાત્સલ્ય નીતરતું સ્નેહાળ વ્યક્તિત્વ કોને પોતાનું ન લાગે? આવા બહુઆયામી સમાજસેવિકા જ નહીં પરંતુ “સમાજ લેખિકા' તરીકે પદ્માબહેને ગુજરાતનું ગૌરવ છે. – સંપાદક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy