SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૬૩ ગુજરમાવાનાં ગૌરવશાળી, અમર સંવાળો –ઘનશ્યામભાઈ ટી. માંગુકિયા પ્રત્યેક વર્તમાન, ભૂતકાળનું સંતાન છે. ભવ્ય ભૂતકાળને ભૂલીને કોઈ રાષ્ટ્ર, પ્રજા, સંસ્કૃતિ વિકાસ પામી શકે નહિ. આપણી ઉત્તમ સાંસ્કૃતિકપરંપરા એ આપણો સર્વશ્રેષ્ઠ, અમૂલ્ય, સનાતન વારસો છે. ગુજરાતના રાજા, રાજ્યવૈદ્ય, વિદ્યાગુરુ, સ્વાતંત્ર્યસેનાની, સંત, શિક્ષક, ધર્મપુરુષો વિશ્વવિખ્યાત છે. નવી પેઢીએ એક આંખ, એ પુણ્યશાળી, મહાભાગ, તેજસ્વી, સત્ત્વશીલ કીર્તિવંત, પ્રેરક, આદર્શલક્ષી મહાનુભાવો તરફ રાખવી જોઈએ અને બીજી ઉજ્વળ ભવિષ્ય તરફ રાખવી જોઈએ. બન્નેનો સમન્વય વર્તમાનકાળમાં સિદ્ધ કરવો જોઈએ. આ નાનકડી છતાં મહામૂલ્યવાન ચરિત્રમાલા માટે “સત્યકથા” તથા અમુક જીવનચરિત્રગ્રંથોનો શ્રી માંગુકિયા અત્રે આભાર માને છે. પોતાના હૃદયકમળ પર આ પરમ આદરણીય, પરમપૂજ્ય, પરમ તેજસ્વી અને સ્વયં ગુજરાત તથા ભારતને પણ ગૌરવ અપાવે તેવાં જીવંત, અમરચરિત્રો સદાય બિરાજમાન રહે છે અને તે સર્વ અપૂર્વ, અનન્ય પ્રેરણાનું અમૃત પ્રતિપળ પાય છે. સૌને એ અમૃતપાન મળે તેવી શુભભાવનાથી આ લેખમાળા ગૂંથીને અર્પણ કરનાર ડૉ. ઘનશ્યામભાઈ ત્રિકમલાલ માગુકિયા અત્યારે માતુશ્રી વીરબાઈમા મહિલા આર્ટ્સ કૉલેજ (રાજકોટ)માં, ગુજરાતીના અધ્યક્ષ છે. તેમના પિતાશ્રી સ્વાતંત્રસેનાની અને પ્રખર સમાજસેવક હતા. લેખક ગૂજરાત વિદ્યાપીઠના અનુસ્નાતક છે. સાહિત્યસેવન, અધ્યાપન, સત્સંગ, અધ્યાત્મ તેમના રસના વિષયો છે. શ્રીમદ્ રાજચંદ્ર વિષે તેમનો થોડોક અભ્યાસ છે, થોડુંક લખ્યું છે અને થોડા ઘણાં પ્રવચનો પણ આપ્યાં છે. ૧૨૫ લેખ, થોડાં કાવ્યો અને શ્રીમદ્ રાજચંદ્રનું સંપૂર્ણ ચરિત, તેમણે (હજારેક પાનાંમાં) લખ્યું છે. હાલ “શ્રીમદ્ ભગવદ્ ગીતાનું નિત્યસેવન કરે છે. પ્રાસંગિક પ્રવચનો કરે છે. કદી ટ્યુશન કર્યું નથી. હસ્તાક્ષર સુધારણાનું અને વક્તત્વકલાનું વર્ષોથી કાર્ય કરે છે. વ્યસનરહિત, નિરામય અને સંતોષી જીવન તેમને વારસામાં મળ્યું છે. શત્રુરહિત, શાન્ત, વિવાદવિહીન જીવન સુખરૂપ જીવે છે. પતિપત્ની બંને ગુજરાતીના અધ્યાપકો છે. ૨૦૦૪, ઓકટોબરની ૩૧મીએ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા છે. – સંપાદક આજીવન ગાંધીવાદી, પ્રખર આર્યસમાજી તથા પ્રકાંડ કર્મયોગી શ્રીત્રિકમલાલ ડાહ્યાભાઇ પટેલ નામ : ત્રિકમલાલ ડાહ્યાભાઈ પટેલ. ગામ ભડિયાદ (પીર), તાલુકો ધંધૂકા, જિલ્લો અમદાવાદ. જન્મભૂમિ ભાલપ્રદેશ, જન્મ વર્ષ ઈ.સ. ૧૯૧૨. ગામની સુપ્રસિદ્ધ કુમારશાળામાં ધોરણ સાત સુધી અભ્યાસ. અભ્યાસમાં દર વર્ષે પ્રથમ નંબર. તે પછી સાબરમતી આશ્રમ, અમદાવાદમાં બે વર્ષની ગ્રામપંચાયતના મંત્રીની સઘન તાલીમ લીધી. તે પછી બ્રિટિશ સરકાર દ્વારા ત્રણ મહિના પૂનામાં મંત્રીની તાલીમ. ભડિયાદ ગામમાં ૧૮ વર્ષ, ગ્રામપંચાયતના મંત્રી તરીકે શ્રેષ્ઠ કાર્ય કર્યું અને દિલ્હીપાટનગર સુધી નામ ગાર્યું. બ્રિટિશ સરકારે રાજ્યની શ્રેષ્ઠ ગ્રામપંચાયત તરીકે પ્રમાણપત્ર અને ઇનામ આપ્યાં. આ ૧૮ વર્ષના કાર્યકાળમાં ગામમાં કે સીમમાં એક પણ ચોરી થઈ નહિ. પોતે ગામ આગેવાન તરીકે ઊપસી આવ્યા. તે સમયે ગામમાં બાલમંદિર શરૂ કરાવ્યું. કન્યાશાળા વિકસાવી. બીજું તળાવ પણ ઊંડું કરાવ્યું. ગામની ચારે દિશાઓમાં સ્ત્રીઓ માટે જાહેર, પાક્કાં, સિમેન્ટનાં સંડાસ બનાવડાવ્યાં (જે આજે પણ હયાત છે). ' ઇ.સ. ૧૯૫૨માં ગામના એક તેજસ્વી વિદ્યાર્થીને અમેરિકા ભણવા મોકલ્યો. તે ભણીને ત્યાંની યુનિવર્સિટીમાં ૧૧ વર્ષ રીડર રહ્યો. તે પછી મહારાજા સયાજીરાવ તેને વડોદરા લઈ આવ્યા. આ ગામ આજે પણ ગુજરાત રાજ્યમાં શિક્ષણક્ષેત્રે પ્રથમ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy