SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પ્રતિભાઓ પોલીસના ભારે ત્રાસને કારણે રાજસ્થાનમાં હિજરત કરી ગયા હતા અને અઢી મહિના ત્યાં રહ્યા હતા. તે વખતે એમનાં ઘરબાર કોઢારામાં રહ્યા હતા. ૧૯૩૨ની સત્યાગ્રહની લડતમાં ૧૫ મહિનાની જેલ અને રૂ. ૫૦૦=૦૦ નો દંડ થયો હતો. દંડ વસૂલ કરવા માટે તેમનો માલસામાન જપ્ત કરી હરાજી કરવામાં આવ્યો હતો. ૧૯૪૧ના વ્યક્તિગત સત્યાગ્રહમાં એમને ચાર મહિનાની સજા થઈ હતી. ૧૦. શ્રી મકનજી પુરૂષોત્તમ પટેલ : વતન સુરત જિલ્લાનું બાજીપુરા. અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનો ગામમાં અભ્યાસ કરીને નવસારીના ભક્તાશ્રમમાં રહીને તાતા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. એક દિવસ બજારમાં એક પૈસાનું આઈસ્ક્રીમ જીંદગીમાં પહેલી જ વાર ખાધું હતું. તે માટે ગૃહપતિએ પ્રાર્થનાસભામાં માફી માગવાનું જણાવ્યું હતું. ર્દોઢિયાના આઈસ્કીમ માટે માફી' એવો વિચાર કરીને ભક્તાશ્રમ છોડી સુરત આવીને પાટીદાર આશ્રમમાં રહીને, સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો હતો. આશ્રમમાં રહીને રોલેટ કાયદા સામેની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. નાગપુરની કોંગ્રેસમાં પણ ભાગ લીધો હતો. અસહકારની લડતમાં રાષ્ટ્રીય વિનય મંદિરમાં જોડાયા હતા. ૧૯૨૩માં ગુજરાત વિદ્યાપીઠના વિનીત થયા હતા. પછી બાજીપુરા ગામે રહ્યા. ૧૯૨૭ના રેલસંકટમાં ફાળો ઉઘરાવવાનું કામ કર્યું હતું. બારડોલીની લડતમાં બાજીપુરાની છાવણીમાં કામ કર્યું હતું. સરદારશ્રીના ભાષણોના અહેવાલો લેવાનું કામ પણ કર્યું હતું. દાંડીકૂચના વર્ષમાં જલાલપોર તાલુકાના અષ્ટાગામની છાવણીમાં રહીને કામ કર્યું હતું. પણ પછી બારડોલી તાલુકાના કામકાજ માટે બારડોલી આવીને રહ્યા હતા. તે પછી રાજદ્રોહના આરોપસર વાલોડના મહાલકરીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. ત્યાં તેમણે નિવેદન રૂપે એક ગીત રજૂ કર્યું હતું. તેમાં સરકારના બરાબર છેડા ફાડ્યા હતા. તે કેસમાં એમને છ મહિનાની સજા ૫૦૦=૦૦ રૂપિયા દંડ અથવા ત્રણ મહિના સજા થઈ હતી. દંડ વસુલ કરવા ઘરનું રાચરચીલું હરાજ કરી દેવામાં આવ્યું હતું. તે પછી ૧૯૩૨માં છૂપી પત્રિકાઓની પ્રવૃત્તિ પલસાણા તાલુકાના જતપોર ગામે રહીને કરી હતી. ત્યાંથી ગાયકવાડી પોલીસે ગિરફતાર કર્યા હતા. ફરીથી જેલમાં ગયા હતા. ૧૯૪૧ના વ્યક્તિગત સત્યાગ્રહમાં તાલુકાના કામ કરવાને માટે કેટલાક કાર્યકરોને બહાર રાખ્યા હતા. તેમાં તેઓ પણ હતા. ૧૯૪રમાં ‘હિંદ છોડો'ની હાકલ થઈ ત્યારે તેઓ મુંબઈમાં હતા. કોંગ્રેસમાંથી પાછા ફરતા કાર્યકરોને સ્ટેશને સ્ટેશને પકડતા, એટલે નવસારી ઉતરી વિરાવળ ગયા, ત્યાંથી હોડીમાં સુપા-ગુરુકુળમાં ગયા હતા અને ત્યાંથી પગપાળા ગામેગામ ફરીને બાજીપુરા પહોંચ્યા હતા. ત્યાં ભૂગર્ભમાં રહીને લડત આપવાનો સંકલ્પ મિત્રો સાથે કર્યો હતો. નોંધવા જેવું તો એ છે કે, જે કહેર સ્ટેશન એમણે ઉડાવેલું ત્યાં નવું સ્ટેશન બંધાયું તેની ઉદ્ઘાટનવિધિ પણ એમને જ હાથે થઈ હતી. ૪૦ વર્ષ સુધી દેશની એકધારી સેવા કર્યા પછી અને ગામના અનેક કલ્યાણકારી કામોમાં અગ્રગણ્ય ભાગ લીધો, પછી સુરત જિલ્લા લોકલ બોર્ડના સભ્ય અને ધારાસભ્ય થયા અને પછી તેઓ હવે બાજીપુરામાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. ૧૧. શ્રી રંગીલદાસ મગનલાલ કાપડિયા જન્મ વલસાડ જિલ્લાના ગણદેવીમાં થયો હતો. ગણદેવીની હાઈસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતો. કૌટુંબિક સંજોગોને લીધે વધુ અભ્યાસ કરી શક્યા નહોતા. ૧૯૦૭માં સુરત કોંગ્રેસમાં હાજરી આપી હતી ત્યારથી કોંગ્રેસ પ્રત્યે ખેંચાયા હતા. ૧૯૧૫ની કોંગ્રેસમાં સ્વયંસેવક તરીકે કામગીરી કરી હતી. આર્યસમાજની પ્રવૃત્તિઓમાં રસ લેવા માંડ્યો હતો. આર્યસમાજનાં છાપામાં ગુજરાતી અને અંગ્રેજીમાં લેખો લખવાન શરૂઆત કરી હતી. ૧૯૧૫ની હોમરૂલની પ્રવૃત્તિમાં ત્યારના મુંબઈના આગેવાનો સામે દક્ષિણ ગુજરાતમાં ફર્યા હતા. ૧૯૧૭-૧૮માં મુંબઈ ગયા હતા, ત્યાં શ્રી લોટવાળાના “હિંદુસ્તાન' પત્રમાં જોડાયા હતા, તે કારણે શ્રી વિઠ્ઠલભાઈના નિકટ પરિચયમાં આવ્યા હતા. ગિરગામ કોંગ્રેસ સમિતિના સભ્ય બની કોંગ્રેસ કાર્યકર્તા થયા. ૧૯૧૯માં શ્રી તાહ્યણકર અને શ્રી ચાંદોરીકર સાથે પ્રજામંડળની પ્રવૃત્તિના મંડાણ કર્યા. તેની સાથે અંત પર્યત મંત્રી-સભ્ય તરીકેનો સંબંધ ચાલુ રહ્યો હતો. આ સમયમાં “સમાલોચક', ‘વસંત', “સાહિત્ય', ૨૦મી સદી', “ગુજરાત”, “પ્રસ્થાન', “યુગધર્મ' વગેરે માસિકોમાં એમના લેખો આવતા હતા. ૧૯૨૦-૨૧માં જિલ્લાના રાનીપરજ વિસ્તારમાં માતાની ચળવળ અને દારૂ નિષેધનું કામ ચાલુ હતું, ત્યારે રચાયેલી રાનીપરજ સંકટ નિવારણ સમિતિનું કાર્ય કરવા તેઓ નોકરી છોડીને આવ્યા હતા અને આ સમિતિના મંત્રી તરીકે કામ કર્યું હતું. લુધિયાણામાં ૧૯૩૭માં મળેલી આ પરિષદમાં શ્રી જવાહરલાલ નહેરુ પ્રમુખ હતા અને તેના મંત્રી તરીકે શ્રી Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy