SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ પ્રતિભાઓ ધપાવ્યું. આંધ્રની જેવું જ સુંદર વણાટકામનું કેન્દ્ર અહીં વિકસાવ્યું. આ કસ્તૂરબા સેવાશ્રમમાં રહી તેમણે આજીવન સેવાવ્રતધારી શ્રી કલ્યાણજીભાઈ મહેતાની સાથે રહી રાનીપરજ જેવી પછાત જાતિઓમાં કેળવણીકાર્ય શરૂ કર્યું. સુરતના માંડવી તાલુકાના પુના ગામમાં તેમણે રાનીપરજ વિદ્યાલય અને ખાદી આશ્રમની સ્થાપના કરી હતી. આ ઉપરાંત વાલીયા તાલુકાના આસીવાડ ગામમાં પણ રાનીપરજ સેવાશ્રમની સ્થાપના કરી હતી. સેવાનું કાર્ય મરોલી આશ્રમમાં પૂરજોશમાં ચાલુ હોવા છતાં આંદોલન, સત્યાગ્રહ કે પછી સંગ્રામના જલદ કાર્યક્રમોમાં જવા માટે પણ મીઠુબહેન તૈયાર થઈ જતાં, હાંક પડે ત્યાં પહોંચી જતા, ૧૯૩૨માં કસ્તૂરબા સાથે મીઠુબહેન પણ પકડાઈ ગયા અને એમને જેલવાસ થયો. કુટુંબ સાથે સંબંધ નરમ-ગરમ રહ્યા હતા. છતાં ૧૯૩૯માં મીઠુબહેનના પિતાશ્રી હોરમસજીનું અવસાન થયું ત્યારે મીઠબહેને પિતાના ઋણને માથે ચઢાવવા ‘હોરમસજી પીટીટ દર્દી નિવાસ'ની સ્થાપના કરી હતી. જીવનપર્યત કસ્તૂરબા સેવાશ્રમમાં રહી આદિવાસીઓની સેવામાં જ પોતાનું જીવન અર્પણ કરી દીધું. તા. ૧૬-૭૧૯૭૩ના રોજ તેમનું અવસાન થયું. ૭. લાલભાઈ ડાહ્યાભાઈ નાયક (જલાલપોર) : ગાંધી વિચારધારાના આજીવન પુરસ્કર્તા, મૌલિક વિચારક અને એ વિચારધારાને પોતાના જીવનમાં ઉતારવા મથ્યા કરતા, જે થોડાક લોકો આપણી વચ્ચે છે, તેમાંના શ્રી લાલભાઈ એક હતા. એમનો જન્મ જલાલપોર તાલુકાના મંદિર ગામે ૧૯૦૮માં ખેડૂત કુટુંબમાં થયો હતો. પણ યુવાવસ્થા સુધીનો સમય અંચેલીમાં ગાળવાનું થતાં અંચેલી સાથેનો એમનો સબંધ વતન જેવો જ રહ્યો છે. એમના પિતાશ્રીએ હોમરૂલ અને ૧૯૨૦-૨૧ની અસહકારની લડતમાં ભાગ લીધો હતો. કુટુંબના દેશભક્તિના સંસ્કાર એમને વારસામાં મળેલા છે. ૧૯૨૧માં જલાલપોરમાં ગાંધીજીના સાનિધ્યમાં થયેલી દેશી કાપડની હોળીમાં પોતાની પરદેશી ટોપી ફેંકી અને ૧૯૨૭માં તો તેઓ સંપૂર્ણ ખાદી પહેરતા થઈ ગયા. ઇન્ટર આર્ટ્સની પરીક્ષા આપ્યા બાદ એમણે આગળનો અભ્યાસ કર્યો હતો. ૧૯૩૦માં સેવકદળની રચના કરી પ્રેતભોજન અને બાળલગ્ન સામે પિકેટીંગની પ્રવૃત્તિ કરી હતી. ૧૯૩૨ થી ૧૯૪૪ સુધી સત્યાગ્રહની તમામ લડતોમાં ભાગ લઈ જેલમાં ગયા હતા. ૧૯૩૨માં તેમણે ગેરકાનુની પત્રિકાઓ લખી, પ્રગટ કરી, સભા સરઘસોનો કાર્યક્રમ અતૂટ રાખ્યો તથા સરકારી નોકરો પાસે રાજીનામા અપાવ્યા અને ગામડામાં જાગૃતિ આણવાની પ્રવૃત્તિ કરી. ગોળમેજીમાંથી પાછા ફરેલા ગાંધીજીને સરકારે ૪થી જાન્યુઆરી, ૧૯૩૨ના રોજ પકડી લેતાં આવી પડેલી લડતમાં જોડાઈ ગયા. સને ૧૯૩૫માં તેઓ નવસારીમાં રહેવા ગયા. નોકરીની સાથે જ સ્વરાજ આવે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા લોકજાગૃતિના કામોમાં ભાગ લઈ, જ્યારે લડત આવી પડે ત્યારે તેમાં સામેલ થવું એવો નિર્ણય કર્યો હતો. આજ વર્ષમાં તેમણે ઠાકોરભાઈ દેસાઈ અને બીજા મિત્રો સાથે મળીને નવસારી હાઈસ્કૂલની સ્થાપના કરી. પોતાના હિસાબે ને જોખમે શરૂ કરેલી આ હાઈસ્કૂલ પગભર થતાં તેમાંથી નફો મેળવવાનો સમય આવ્યો ત્યારે એ હાઈસ્કૂલને જાહેર ટ્રસ્ટની મિલકતમાં ફેરવી નાખી હતી. તેનાં ઉપરથી તેમની ત્યાગની ભાવનાનો પરિચય થાય છે. તેમણે નવસારી કેળવણી મંડળની સ્થાપના કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૧૯૩૮થી જલાલપોર નવસારીમાં કોંગ્રેસને સંગઠિત કરવાની પ્રવૃત્તિ કરી હતી અને રેલરાહત દુષ્કાળરાહત ગણોત કાયદો અને ઋણરાહત ધારાના કામો કર્યા હતા. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહનું જલાલપોર તાલુકાનું સંચાલન એમને ફાળે આવતાં એમણે એ જવાબદારી અદા કરી હતી. ૧૯૪૨ ની ‘હિંદ છોડો' લડતમાં એમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રી ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ સાથે નવસારીમાં ભાંગફોડનું કેન્દ્ર ગોઠવી તે દ્વારા જિલ્લામાં બોમ્બ, તાર કાપવા, પાટા ઉખેડવા, ચોરા બાળવા અને એવી બીજી પ્રવૃત્તિઓ એમણે જાનને જોખમે કરી હતી અને ગુજરાતના બીજા ભૂગર્ભ મંડળો સાથે સંપર્કમાં રહીને આ પ્રવૃત્તિનું સંગઠન કર્યું હતું. ભાંગફોડના કાર્યક્રમથી ગાંધીજી વ્યથિત થયા છે એવું બહાર આવતાં એ ભૂહ બદલીને જેલભરતીનો કાર્યક્રમ ઉપાડી લેવાયો. આ કાર્યક્રમ પાર પાડી શ્રી લાલભાઈએ પણ ૧૯૪૩ના ઓક્ટોબરમાં કારાવાસ વહોરી લીધો. ૧૯૪૪ની આખરે કારાવાસમાંથી બહાર આવ્યા. સ્વરાજની આ અંતિમ લડતમાંથી મુક્ત થયા પછી ભારત દેશ આઝાદ થયો તે દરમ્યાન તેમણે કોંગ્રેસના સંગઠનનું કામ ઉપાડી લીધું સાથે સાથે રચનાત્મક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy