SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ઉત્થાનના નવસર્જનમાં ગુજરાતમાંનાં કેટલાંક અગ્રણી પરિવારોમાં તેઓ અગ્રક્રમે હતાં. અગાસ તેમની કર્મભૂમિ રહી. તેમનાં બંને સંતાનો રાષ્ટ્રીય કેળવણીમાં જ ઊછર્યાં હતાં...... ૩૪. પ્રવીણલતાબહેન હરિપ્રસાદ શોધન (અવસાન : ૪ થી માર્ચ, ૧૯૯૮) કેટલીક વ્યક્તિઓ વિશે કહેવાય છે કે–માયા લગાડીને ચાલ્યાં ગયાં.' માતૃવાત્સલ્યથી ભર્યાભર્યાં, કૌટુંબિક રીતે વત્સલ માયાળુ અને સમાજ માટે સદા પરગજુ એવાં પ્રવીણલતાબહેન, શોધન પરિવારના ઉજ્જ્વળ વારસાને પોતાની જાહેરપ્રવૃત્તિથી શોભાવી આ માર્ચ માસમાં હિરને વહાલાં થયાં છે. જેમનાં સંસ્મરણો અને અનુભવો સાંભળવાં ગમે, જેમની પ્રેમછાયા નીચે પોષાવું અને પાંગરવું ગમે, અને જેમનું આતિથ્ય સદા યાદ રહી જાય તેવાં પ્રવીણલતાબહેન વિકાસગૃહ, જ્યોતિસંઘ, મણિબહેન માતૃગૃહ જેવી સ્ત્રી સંસ્થાઓમાં અગ્રણી રહી તેના ખીલવવામાં સહયોગ આપ્યો. એ એમનું મોટું યોગદાન ગણાય. પંદરેક વર્ષ પહેલાં તેમણે લખેલા હસ્તલિખિત આત્મચરિત્ર સ્નેહીમિત્ર ભાઈદાસ (બાલગોવિંદ પ્ર.) પરીખે અમને વાંચવા મોકલેલ, એક સમાજસેવક તરીકે ત્યારથી તેમનો નાતો જોડાયેલ. શ્રીમંત ઘરનાં બહેનો, કોઈ કોઈ અનાથ-સંતાન કે દીકરીને દત્તક લે છે, પ્રવીણલત્તાબહેન વિકાસગૃહની સઘળી બાળાઓનાં ‘મા' બન્યાં. તેમને કેન્દ્રમાં રાખીને બાળાઓને રસોઈ આવડે માટે ‘રોજની રસોઈ’ નામે સુંદર પુસ્તક લખ્યું અને એમના લગ્ન માટે ‘માંગલ્ય ફંડ’ ઊભું કર્યું. ૩૫. ક્રાંતિવીર અંબાલાલ ગાંધી (તા. ૫-૫-૯૭) ૧૫, ઓગષ્ટ, ૧૯૯૫એ અમે સાધક-સેવક (ચોરંદાના ક્રાંતિવીર) અંબાલાલ ગાંધી વિશે જીવનસ્મૃતિ તરફથી એક પુસ્તિકા પ્રગટ કરી હતી. મેરા સર જાવે તો જાવે, પર આઝાદી ઘર આવે, મેરી જાન ફના હો જાવે, પર આઝાદી ઘર આવે. ૧૯૪૨ની આખરી લડતમાં ઉપરનો મંત્ર જેમણે ચરિતાર્થ કરી બતાવ્યો તેવા સ્વાતંત્ર્યવીરોમાં અંબાલાલ ગાંધી મોખરાના છે. કરજણથી શિનોર સુધીના પાટા (મિલિટરીના આગમન કારણે) આ ક્રાંતિવીરોએ ઉખાડી નાખ્યા. ચોરંદા સ્ટેશન Jain Education International પથપ્રદર્શક સળગાવ્યું. મિલિટરીએ આસપાસનાં ૧૪ ગામોમાં કાળો કેર વર્તાવ્યો. અંબાલાલ ગાંધીને ૧૨ વર્ષની સખત કેદની સજા અને ૧૫ હજારનો દંડ. દંડ ન ભરતાં ઘર-બાર જપ્તીમાં ગયાં. કુટુંબ પાયમાલ થયું પણ આ એકલવીર ન ડગ્યા. સરકાર સાથે સમાધાન થતાં જેલવાસથી મુક્ત બની હરિજન સેવા, સહકારી પ્રવૃત્તિ, છાત્રસેવા જેવાં કામો શરૂ કર્યાં. તેઓ પોતાના કરજણ તાલુકાના મોભી હતા. ગાંધીને પગલે માનવસેવા શરૂ કરી. જેલમાંથી છૂટયા પછી તેમનું મન પરિવર્તન થયું. તેઓ પ્રભુપ્રેમી બન્યા. સંતપુનિતના મોટી કોરલ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી થયા, નર્મદા પરિકમ્માએ આવતા સેંકડો ભાવિકજનોને તેઓ ભક્તિ અને ભોજન કરાવતા. નશ્વર રાજાઓના રાજ્યની આણથી વળગા રહી એકમાત્ર રાજા રણછોડનું અખંડ નામ સ્મરણ કરતાં રહી તા. ૫મી મેના દિવસે તેમણે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. જે રેલવે સ્ટેશન ૪૨ની લડતમાં એમને હાથે નાશ પામ્યું તે ચોરંદા જંક્શન ઉપર તે વખતના ગુજરાતના મુખ્યમંત્રીએ ઉમળકાથી સ્વાગત કરી તેમના નામનું પાટિયું મૂક્યું. (આવાં દૃષ્ટાંતો વિરલ જ છે.) ૩૬. શ્રી વિજ્યાબહેન આચાર્ય (એક અજ્ઞાત બાલસેવિકા અને કુટુંબવત્સલ માતા) (સ્વર્ગવાસ : ૩૦-૩-૧૯૭૯) ગોંડલ રાજ્યના નાનાશા ગામડા નગરપીપળિયામાં જન્મેલી ગ્રામ–નારીમાં આ અદ્ભુત ભાવના કેવી રીતે જન્મી તેની એક રમ્ય કથા છે. પરંતુ અહીં તો હું કેવળ તેની સામાજિક ભાવનાનો જ આછો પરિચય કરાવીશ. મારી માને અમારા ‘બાલમંદિરે’ વિકસાવી. ગોંડલ શહેરમાં અમારું ઘર ‘બાલમંદિર’થી ઓળખાતું. ‘ઘર’ એ ‘બાલમંદિર’ અને ‘બાલમંદિર’ એ ધર' એ પર્યાય થઈ ગયો હતો. અમારા ઘરનો કોઈ એવો ઓરડો ખાનગી નહીં કે જ્યાં બાળકોને પ્રવેશવાની બંધી હોય. અને તેથી જ અમારું ઘર ક્યારેય બાળકો માટે બંધનરૂપ બનતું નહીં. કારણ કે એ બાળકો માટે સાચે જ તેમનું બીજું ઘર હતું. અમારા નાનકડા ઘરમાં સ્વરાજ્યની જાતજાતની પ્રવૃત્તિઓ શરૂ થઈ. બાલમંદિર તો હતું જ તેમાં પૂણી બનાવવાનું, પીંજવાનું, કાંતવાનું, રેંટિયા પ્રવૃત્તિ, હરિજન પ્રવૃત્તિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy