SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ રાજના દીવાન કોટક આ બાબતને સારી રીતે સમજી ગયા છે. તેમના અનુભવની આરસીમાં સઘળું બરાબરનું ઝીલાયું છે. એક વખત વાત મૂકવાનો મોકો જોઈને લાખાજી રાજને કહ્યું : ‘બાપુ! મારી વાત માનો તો બીજા લગ્ન કરી લ્યો.' લાખાજીરાજે વેધક નજરે દીવાનને ત્રોફીને કહ્યું : ‘દીવાન! તમે ઊઠીને મને આ સલાહ આપો છો!?' ઘડીભર તો દીવાનને થયું કે કંઈ અણછાજતું કહેવાય ગયું કે શું? પણ ના, વાત વાજબી જ હતી. રાજાઓ તો એક કરતાં અનેક રાણીઓ રાખતા હોય છે. તેમાં અહીં તો એક પણ રાણી નથી એટલે વાત મૂકી છે. ‘પણ દીવાન આ નાનકડું રજવાડું કેટલાંકને પાલવશે? ત્રણ દીકરા તો છે....' તો પછી એકાદ રખાતને....' હૃદય માથે પથ્થર મૂકીને દીવાને મૂળ હકીકત કહી દીધી. ‘દીવાન! લાખાજીરાજનો ગુસ્સો આસમાને ચઢી ગયો. તે તમતમતા સ્વરે બોલ્યા : ‘તમે મોં સંભાળીને બોલો.' બાપુ !' દીવાને લાખાજીરાજની આંખોમાં આંખો પરોવીને પછી ભારેવા અવાજે કહ્યું ‘પુરુષત્વનો ઉદ્વેગ ભલભલા ઋષિઓને પણ ડંખી ગયો છે. તેનાં પરિણામો સારાં નથી આવ્યાં.' લાખાજીરાજ ઘડીભર કાંઈ બોલ્યા નહીં અને દીવાનનું કહેવું વિચારવા લાગ્યા. તેમનું કહેવું અસ્થાને નહોતું. શરીરની ભૂખ મનને પજવી રહી હતી. ‘દીવાન!’ લાખાજીરાજ બોલ્યા : ‘તમારી વાત સાચી છે–વિચારવા જેવી છે પણ હું એક રાજવી છું. સામાન્ય પ્રજાજન નથી. લોકો મારા માટે શું વિચારે!' તો પછી કોઈ અજાણ્યા સ્થળે.... કોઈને ખબર ન પડે એમ!' પડે.' એમ જ કરવું હોય તો મારે રાજની ધુરા ફગાવી દેવી ‘કેમ ! ?’ જેનો રાજા લંપટ હોય તેની પ્રજા પાસે શી અપેક્ષા રાખી શકાય?’ લાખાજી રાજની સોળવલા સોના જેવી વાત સાંભળીને દીવાને સઘળી વાતનો વીંટો વાળી લીધો. Jain Education International ૧૧૫ પોતાના પ્રજા અને રાજમાં ઉચ્ચ મૂલ્યોનું સ્થાપન કરવા લાખાજીરાજ પોતાના દેહનું દમન કરતા રહ્યા અને હળવે હળવે તન અને મનનો ઉદ્વેગ આધ્યાત્મિક મારગે વળવા લાગ્યો. અને એક વખત એવો આવીને ઊભો રહ્યો કે લાખાજીરાજ સંપૂર્ણપણે ધર્મના રંગે રંગાઈ ગયા હતા તેથી રાજ પાટ સઘળું છોડીને ચાલી નીકળ્યા હતા...... દીવાન કોટક લાખાજીરાજના રસ્તે આડે સૂઈ ગયા. દીવાન મને રોકો નહીં!' ‘કાં બાપુ?' શું કરવા તમોને ન રોકું?' દીવાન, ધર્મની ધુરા એ જ મારો ખરો ધર્મ!' ‘ના બાપુ!' દીવાન બોલ્યા : ‘રાજવીનો સાચો ધર્મ તો રાજની આઝાદી અને પ્રજાની સુખાકારીમાં સમાયેલો છે.' લાખાજીરાજના પગ થંભી ગયા હતાં. જ્યાં સુધી આપ જેવા રાજવી હશે ત્યાં લગી રાજ જ નહિ પણ સમગ્ર ભારત વર્ષની પ્રજા સુખી, શીલવંત અને સંસ્કારી હશે!' અને લાખાજીરાજ પાછા ફરી ગયા. પ્રિન્સિપાલ એ જમાનામાં જુનાગઢની બહાઉદ્દીન કૉલેજ એ સોરઠની વિદ્યાપીઠ કહેવાતી હતી. આ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને વિદ્યા સાથે શીલ અને સંસ્કારના પદાર્થ શીખવવા મળતા હતા. કૉલેજનો અભ્યાસ સંપૂર્ણ કરીને નીકળનાર વિદ્યાર્થી સમાજમાં એક સાચા નાગરિક તરીકે પ્રસ્થાપિત થતો હતો. ઇ. સ. ૧૯૧૬-૧૭નો બનાવ છે. ત્યારે કૉલેજના પ્રિન્સિપાલ તરીકે અંગ્રેજ જેમ્સ સ્કોટ હતા. આ પ્રિન્સિપાલની વ્યક્તિમત્તા આગળ ભલભલા રજવાડાના વિદ્યાર્થીઓ ઊભા રહી શકતા નહિ. તેમના સામે ઊભા રહેવું અને બોલવું..... ભલભલાની ફેં ફાંટે ! કૉલેજની આલિશાન ઓફિસ સામે વિદ્યાર્થી કરણસિંહ ઠાકોર અને તેમના બીજા ચાર-પાંચ મિત્ર વિસામણ અનુભવતા ઊભા છે. પ્રિન્સિપાલને મળવું છે. તેમના આગળ વાત કરવી છે. પણ અંદર જાવું કેમ? વળી પરિણામની તો ખબર જ હતી. પ્રિન્સિપાલ સહેજ પણ બાંધછોડ નહિ કરે અને.... સૂરજ ઊગીને ગરવા ગિરનારની ટૂંપને વળોટી ગયો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy