________________
૭૧૦
વધતા પરિણામે અવશ્ય લાભ લે જ છે. છાણીમાં ઉપાશ્રય નિર્માણ તેમજ સાવથી તીર્થમાં અપૂર્વ લાભ લીધો છે. નિરંતર દાનની ગંગા વહાવતાં હોવાં છતાં સાધર્મિક ભક્તિમાં વિશેષ ૨સ લે છે. પરિગ્રહ ન વધારતાં પુણ્ય વધારવું તેમનું લક્ષ્ય છે. વર્ધમાનતપની ઓળી નવપદ ઓળી આદિ તપ કરેલ છે અને ખૂબ જ સારાં કાર્યો કરવા શ્રેષ્ઠીવર્ય ઘેવરચંદજીને તેઓ પ્રેરણા આપે છે.
શ્રીમતી રુકિમણિબહેન મિશ્રીમલજી
તપોમૂર્તિ રુકિમણીબહેને જીવનમાં ઘણી લીલીસૂકી જોવા છતાં પોતાની આરાધનામાં ક્યારેય ઓટ આવવા દીધી નથી. નાની ઉંમરે પતિની વિદાય છતાં કુટુંબના છત્રધાર બની પરિવારમાં સંસ્કારોનું દાન કર્યું. પોતાની સામે પુત્રની વિદાય, પુત્રવધૂની વિદાય-જમાઈની વિદાય છતાં ધર્મમાર્ગમાં દૃઢ બની રત રહ્યાં. પૂ. આ. દેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.નાં કૃપાપાત્ર રુકિમણબહેન ભક્તામરપ્રિય પરિવાર છે. પોતાના જીવનમાં કેટલાંય વર્ષીતપ તથા દરેક તપસ્યા કરી છે. તબિયત સાનુકૂળ ન હોવાં છતાં એક પણ તપસ્યા બાકી રાખી નથી. તપસ્યાનું લિસ્ટ કરીએ પેજ ભરાય. લિસ્ટ વાંચીને તો ઇતિહાસ લાગે અને મનમાં થાય કે આવા પણ તપીસ્વિની હોય છે ખરાં. ખૂબ જ અનુમોદના–તપસ્વીની
આદર્શ શ્રાવિકારત્ન
શ્રીમતી ભંવરીદેવી ઘેવરચંદજી સુરાણા
રાજસ્થાન વાલરાઈ નિવાસી હાલ બેંગ્લોર માઇક્રોલેબ્સવાળાં ભંવરીબહેન ગરીબાઈમાંથી સમૃદ્ધિના શિખર સુધી પહોંચેલ. આ સન્નારીની ગૌરવગાથા અનોખી છે. સદાય હસતું મુખ, કરુણાભરી આંખો, કંઈક કરી છૂટવાની તમન્ના જેમનાં રોમરોમમાં છે તેવાં સાધુ-સાધ્વીજી પ્રત્યે અનન્ય બહુમાન ધરાવતાં તેઓએ પોતાના જીવનને સુકૃતથી સભર બનાવ્યું છે, તો પરિવારને પણ ધર્મના રંગે રંગ્યો છે. દાનની ગંગા વહાવી અનોખો ઇતિહાસ સર્જ્યો છે. લક્ષ્મીની છોળો ઊછળતી હોવાં છતાં સદાય નિર્લિપ્ત આ પુણ્યશાળીને જોતાં હૃદયમાં અનોખા ભાવ પેદા થાય છે. સિદ્ધગિરિરાજની ભવ્ય નવ્વાણું યાત્રા આયોજન.....તો અનેક જગ્યાએ મૂર્તિઓ ભરાવવાનો લાભ, દરેક ઠેકાણે જિનાલય નિર્માણમાં ભરપૂર લાભ લીધો છે. ગુપ્ત દાનમાં વિશેષ માનતાં ભવરીબહેન સુરાણા કોલેજ હોસ્પિટલ આદિનાં પ્રેરક તો છે જ સાથે કોઈ પણ સાધુ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ સાધ્વીજી ભગવંતોને વિહાર કરી આવતાં સાંભળે કે ટિફિન લઈ ગાડીમાં નીકળી પડતાં તેમને અપૂર્વ આનંદ થાય છે. પોતાની વિશાળ દવાઈની ફેકટરીમાં પણ સાધર્મિક ભાઈઓને વિશિષ્ઠ સગવડો પૂરી પાડે છે. પોતાના જ ઘરના સદસ્યની જેમ રાખે છે. તેને રાત્રિ ભોજન ન કરવું હોય તો સગવડ પૂરી પાડે છે. ગુપ્ત રીતે તેની વિશિષ્ઠ ભક્તિ કરે છે. કોઈપણ સાધર્મિકને આર્થિક મદદ માટે સદા તત્પર રહે છે. શ્રીયુત શેઠશ્રી ઘેવરચંદજી ધંધામાં રત રહેતા હોવાથી ભંવરીબહેન પૂરી રીતે લાભ લે છે. પોતાના બન્ને સુપુત્રો દિલીપકુમાર તથા આનંદકુમાર તેમજ પુત્રવધૂઓને પણ તેઓએ પ્રેમમય રીતે ધર્મમાર્ગમાં જોડેલ છે. તેથી જ ઘરમાં પણ ધર્મમય–પ્રેમમય વાતાવરણ સર્જિત થયું છે. આજના યુગનાં અનુપમાદેવી એટલે ભંવરીબહેન.
સ્વ. શ્રીમતી કુસુમબહેન બાબુભાઈ
શુભ્ર-સફેદ વસ્ત્રોમાં શોભતાં. સાધર્મિક બહેનોની મા એટલે જ કુસુમબહેન. આર્થિક રીતે ખૂબ જ સુદૃઢ ન હોવાં છતાં હૃદયની વિશાળતા અને ઉદારતાના પ્રતીક કુસુમબહેન સાધર્મિક બહેનો માટે બધું જ કરી છૂટવાની તમન્નાવાળાં હતાં. પોતાના ઘરમાં ગૃહઉદ્યોગ–મંડળ આદિ ચલાવી અનેક બહેનોને મદદ રૂપ બનેલ છે. મોટી ઉંમરે પણ કામ કરવામાં કંટાળો નહીં અને ભક્તિમાં ક્યારેય પાછાં નહીં. પોતાના સુપુત્ર શરદને શાસનને અર્પણ કરી આનંદિત બનેલાં કુસુમબહેનને પોતાની ત્રણત્રણ સુપુત્રી–બે બે કામવાળી અને પોતાના પૌત્રને પણ સંયમિત બનાવ્યાં છે. પોતાનો સુપુત્ર જૈનશાસનનો કોહિનૂર હીરો પૂ. આ. દેવશ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. બની શાસનની ખૂબ જ પ્રભાવના કરી રહેલ છે. અંતિમ અવસ્થામાં પણ હોસ્પિટલમાં પોતાના પૌત્રને શાસનને સમર્પિત કરવા લાલાયિત કુસુમબહેન ખુદ પણ સંયમનાં અભિલાષી હતાં, તેથી જ અંતસમયે હાથમાં ઓઘો લઈ પ્રાણ છોડ્યા. સંયમઅભિલાષી કુસુમબહેન ગુણાનુરાગી-શ્રદ્ધાશીલ-ભક્તિવંત પ્રભુભક્તિના અનન્ય ઉપાસક–સાધર્મિક પ્રેમી. આ ગુણિયલ મહિલા ખરેખર ભાવનગર અને બેંગ્લોરનું આદર્શ શ્રાવિકારત્ન હતાં. સંસારનાં સંયમી
શ્રીમતી સુંદરબહેન નેમિદાસ ભેદા
તેમનું જીવન જ્ઞાનયોગ અને ભક્તિયોગના સંમિશ્રણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સંસારમાં રહી વિરક્ત ભાવે આત્મ
For Private & Personal Use Only
www.jainelibrary.org