SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ આપવો પડશે. આવી કેટલી દિવાળીઓ જશે તે ખબર નથી.'' તેઓ દેવલાલી સેનેટોરિયમમાં હતા ત્યારે ૧૯૪૨ની પોલીસ દમનની કારમી યાતનાનું વર્ણન તેમણે લખેલું જે તેમના જ હસ્તાક્ષરમાં આજે મોજૂદ છે. બાપુભાઈ પુત્ર વિનોદભાઈને તેનું ભાવિ ઉજ્વળ બને તેવી કેળવણી આપવા ઇચ્છતા હતા. વિનોદભાઈ આઠ વર્ષના હતા ત્યારે ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાતે મુંબઈના ઓવલ મેદાનમાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો ઉત્સવ ઉજવાયેલો તે જોવા તેમને લઈ ગયેલા. વિનોદભાઈને મુંબઈમાં અભ્યાસ માટે ગોકુલદાસ તેજપાલ બોર્ડિંગમાં સ્કોલર તરીકે રહેવાની વ્યવસ્થા મોરારજીભાઈ દેસાઈએ કરી આપેલી. વિનોદભાઈએ મુંબઈની વિલ્સન કોલેજમાં ઇન્ટર સાયન્સ સુધી અને અમદાવાદમાં B.E.નો અભ્યાસ કર્યો. ઇલેક્ટ્રીકલ એન્જિનિયર થયા પછી વારણ પાવર હાઉસમાં થોડો સમય કામ કર્યા પછી તેઓ બરોડા રેયોનમાં જોડાયા. ૩૨ વર્ષની નોકરી બાદ તેઓ નિવૃત્ત થયા ત્યારે વાઈસ પ્રેસિડેન્ટ ટેકનીકલ'ના હોદ્દા પર હતા. વિનોદભાઈના પત્ની શકુંતલાબહેન બી.એ., બી.એડ. થયેલાં છે. લગ્ન પછી થોડાં વર્ષ સચીન હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતાં હતા. તેમનો પુત્ર દીપક ડોક્ટર છે, પુત્રી દીપ્તિ એન્જિનીયર છે. બન્ને પોતપોતાના કુટુંબ સાથે અમેરિકામાં સ્થાયી થયાં છે. આમ, બાપુભાઈની સંતાનોના ઉજ્વળ ભવિષ્યની મહેચ્છા મરણોત્તર પરિપૂર્ણ થઈ. જીવલેણ બિમારી, ચિર વિદાય બાપુભાઈની તબિયત જેલમાંથી લથડવા માંડેલી. ક્ષય અને પછી પ્લુરસી, પથરી, દમ, જાલંધર, કીડનીની તકલીફ આમ એક પછી એક જીવલેણ બિમારીના તેઓ ભોગ બન્યા હતા. ૧૯૪૬માં ક્ષયની બિમારીને કારણે નોકરી છોડવી પડી. સરદાર પટેલ અને મોરારજીભાઈ દેસાઈએ તેમને દવાખાનામાં દાખલ કરાવેલા અને ક્ષય રોગના નિષ્ણાત ડૉ. ભાસ્કરભાઈ પટેલ તેમની સારવાર કરતા હતા. શુભેચ્છકોની મદદથી ૧૯૪૬-૪૭માં ૧૬ મહિના દેવલાલી સેનેટોરીયમમાં તેઓ રહેલા. એ વખતે પૂ. મહાત્મા ગાંધીજીએ પત્રમાં લખેલું કે “સાવ સારા થઈ જાઓ ત્યારે સેવાગ્રામ (વર્ધા) જરૂર આવજો.” છેલ્લા દિવસોમાં તેઓ નવસારીમાં તેમના સંબંધી શ્રી મગનલાલ દાંડીવાલાને ત્યાં રહેલા. તેમણે એલોપથી ઉપરાંત આયુર્વેદ અને Jain Education International ૫૩૩ હોમિયોપેથીની સારવાર પણ લીધેલી. અંતે તા. ૨-૮-૧૯૪૯ના રોજ ૪૪ વર્ષની ઉંમરે તેમણે ચિરવિદાય લીધી. બાપુભાઈને શ્રદ્ધાંજલી આપતાં ‘જન્મભૂમિ પ્રવાસી'એ તેમને દેશના મુક્તિજંગમાં મોખરે રહીને કોંગ્રેસને અને રાષ્ટ્રને પોતાની એકનિષ્ઠ અને અનન્ય સેવા આપનાર' તરીકે બિરદાવીને લખ્યું હતું કે ‘જીવલેણ ક્ષય રોગની બિમારી જેલમાંથી લઈને નીકળેલા એટલે તેમનું મૃત્યુ દેશની મૂંગી શહીદી જ છે.’ બાપુભાઈના માનમાં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલ અને બોરીબંદરની કબીબાઈ હાઈસ્કૂલ શોકસભા યોજીને બંધ રહી હતી. વિલેપાર્લેના ગાંધીચોકમાં મોરારજીભાઈ દેસાઈના પ્રમુખસ્થાને શ્રદ્ધાંજલિ સભા યોજાયેલી. સ્વ. બાપુભાઈ વશીના તર્પણરૂપે તેમના પુત્ર વિનોદભાઈ અને પરિવારજનોએ ‘શહીદ બાપુભાઈ વશી’ દસ્તાવેજી પુસ્તક પ્રગટ કર્યું છે. મુંબઈમાં ગોકળીબાઈ હાઈસ્કૂલમાં માજી મેયર ડૉ. શાંતિભાઈ પટેલના પ્રમુખસ્થાને ગાંધીવાદી સમાજસેવક ડૉ. જી. જી. પરીખના હસ્તે ફેબ્રુઆરી ૨૦૦૪માં એ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સ્નેહીજનો અને વિલેપાર્લેના બાપુભાઈ વશી રોડના નિવાસીઓમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમારંભમાં બાપુભાઈને સ્મરણાંજલિ આપવામાં આવેલી. સેવા સેવા એટલે માનવધર્મ. પરોપકાર કરવાની દૃષ્ટિ, વૃત્તિ અને પ્રવૃત્તિ. સેવામાં સ્વાર્થ નથી પણ પરમાર્થ છે. સેવાના આચરણથી માનવપ્રેમ, પ્રભુપ્રેમ, આત્મીયતા, સ્નેહભાવ અને માનવ-સંબંધો ગાઢ બને છે. સેવાથી વ્યક્તિને આદર, સન્માન અને કીર્તિ મળે છે. સેવાથી સામાન્ય માનવી મૂઠી ઊંચેરો મહામાનવ બને છે. સેવા કરનાર સેવકને દુઃખીઓના આશીર્વાદ તથા આશીષ મળે છે. દીનદુ:ખીજનોને સહાય, સહકાર કે પરોપકાર એ સમાજનું અભિમુખ સેવાનું સ્વરૂપ છે. જેમાં માનવકલ્યાણની ઉચ્ચ દૃષ્ટિ તથા ભાવના ઉભય છે. સેવા અનેક સ્વરૂપે થઈ શકે છે જેમ કે કુટુંબસેવા, સમાજસેવા, રાષ્ટ્રસેવા, માનવસેવા, પ્રાણીસેવા, દર્દીસેવા, દીન— દુ:ખીની સેવા, આફતગ્રસ્તો કે નિરાશ્રિતોની સેવા વગેરે. સેવા જ માનવીનું સર્વોત્તમ આભૂષણ છે. સેવાના ગુણથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. સેવાથી રણમાં બાગ બની શકે છે. સેવાથી અન્યને સુખ-શાંતિ આપી શકાય છે અને પોતે જીવન સફળ બનાવી શકે છે. માટે સેવા કરો, સેવા કરો! યથાશક્તિ સેવા કરો ને જીવનના ઉન્નત પ્રકાશ માર્ગે પ્રયાણ કરો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy