________________
ઝળહળતાં નક્ષત્રો
વૈરાગ્યગર્ભિત વાણી, બહુ જ ખૂબીપૂર્વક યુવાનોને જીવનનો સાચો રાહ બતાવવા દ્વારા યોગ્ય માર્ગદર્શન આપનાર પૂજ્યશ્રી સંયમજીવનમાં સુંદર શાસન પ્રભાવના કરી રહ્યા છે.
બાલ્યકાળથી માતા-પિતા દ્વારા જીવનમાં પ્રબળ ધાર્મિક સંસ્કારોનું સિંચન થયેલું, પૂજા, રાત્રિભોજન ત્યાગ, સામાયિક, પ્રતિક્રમણ અને ધાર્મિક અભ્યાસ નિયમિત રીતે કરતા રહ્યાં. વળી નાની ઉંમરમાં ગુરુ ભગવંતના સંપર્કથી એમનું મન સંસારના ક્ષણિક સુખો તરફ વળવાને બદલે વૈરાગ્યવાસિત બન્યું. ઊંડે ઊંડે પણ તેમનામાં સંયમની પ્રબળ ભાવના એમના આત્માને સતત ઢંઢોળતી રહી.
સંયમજીવનમાં ગુરુકૃપાએ આગમગ્રંથોનું અધ્યયનાદિ કરી પરિણત બન્યા. વર્તમાનમાં શાસનપ્રભાવનાના અનેક કાર્યો કરી રહ્યા છે. સમુદાયનું ગૌરવ વધારી રહ્યા છે.
સંયમપર્યાયના કેટલાંક વર્ષો ગુરુનિશ્રાએ જ રહીને પૂર્ણપણે ગુરુને સમર્પિત બની રહ્યા. ગુરુ ભગવંતના શાસનપ્રભાવનાના દરેક કાર્યોમાં સંપૂર્ણપણે સહાયક બનતા રહ્યા, પ્રકૃતિએ અભ્યાસી છે. સદાય સ્વસ્થ અને પ્રસન્ન ચહેરો, ધીરગંભીર મુખભાવ, શાસ્ત્રાનુસારી સાધના વગેરે પૂજ્યશ્રીના ઉચ્ચ સાધુજીવનના સાક્ષીભૂત અંગો છે.
જન્મદિન : વિ.સં. ૨૦૧૪, ભાદરવા વદ–અમાસ, તા. ૧૨-૧૦-૧૯૫૮
જન્મભૂમિ : જૂનાડીસા (જિ. બનાસકાઠા. ઉત્તર ગુજરાત.) સંસારી નામ : રાજેન્દ્ર
માતા-પિતા : લીલાબહેન બબાલાલ શાહ
નિવાસસ્થાન : સુરત,
શિક્ષણ : બી. કોમ.
દીક્ષા : વિ.સં. ૨૦૩૮, વૈશાખ સુદ-૬, તા. ૨૪-૪-૧૯૮૨ દીક્ષાભૂમિ સંગમનેર. જિ. અહમદનગર (મહારાષ્ટ્ર) સમુદાય : પ.પૂ.શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. વર્તમાન ગચ્છાધિપતિ : સિદ્ધાન્તદિવાકર પ.પૂ.આ.ભ.
શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. દાદા ગુરુદેવ : સહજાનંદી પ.પૂ.આ.ભ.
શ્રીમદ્ વિજય ધર્મજિન્સૂરીશ્વરજી મ.સા. ગુરુદેવ : ધર્મચક્રતપપ્રભાવક પૂ.આ.ભ.
શ્રીમદ્ વિજય જગવલ્લભસૂરીશ્વરજી મ.સા.
Jain Education International
СЧ3
ગણિ તથા પંન્યાસ પદવી : વિ.સં. ૨૦૬૨, ફાગણ સુદ-૭, સોમવાર, તા. ૬-૩-૨૦૦૬. ઈર્લો બ્રીજ (વિલે પાર્લા, વેસ્ટ), મુંબઈ ગણિ—પંન્યાસપદવી દાતા : ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.
વિશેષતા : પ્રવચનકાર, શાસ્ત્રજ્ઞ, આચારસંપન્ન, શ્રી સંઘોમાં યશસ્વી આરાધના કરાવનાર, ધર્મચક્ર તપ, વર્ધમાન તપની ૨૬ ઓળી, ૧૮ વર્ષ સુધી જ્ઞાનપંચમીની અખંડ આરાધના, પોષ દશમીની આરાધના.
જેમની નિશ્રામાં વિ.સં. ૨૦૫૨, વૈશાખ સુદ-૬ના રોજ શ્રી વાસુપૂજ્યસ્વામી શિખરબદ્ધ જિનાલય (અથણી, કર્ણાટક)ની પ્રતિષ્ઠા થઈ. જેમની પુનિત પ્રેરણા પામીને (૧) શ્રી સુમતિનાથસ્વામી (રાજુ વિડિયો ટેક—પાર્લા), (૨) શ્રી મુનિસુવ્રતસ્વામી (જયેશભાઈ એન. શાહ–સાયન) (૩) શ્રી ધર્મનાથ ભગવાન (ડૉ. ગોપાલભાઈ-સુરત) આદિ ગૃહમંદિરો નિર્માણ પામ્યા છે.
જે ઉપકારી ગુરુ ભગવંતની પ્રેરણાથી.... (૧) “શ્રી ધર્મજિતસૂરિ આરાધના ભવન” કરાડ (મહારાષ્ટ્ર) (૨) પૂજ્ય આચાર્યશ્રી જયઘોષસૂરીશ્વરજી જૈન પાઠશાળા તથા અ.સૌ. મંગુબેન ચીમનલાલ જીવાભાઈ હેક્કડ આરાધના ભવન (શ્રી ન્યૂ રાંદેર રોડ શ્વે.મૂ.જૈન સંઘ, જોગાણી નગર-સૂરત)નું નિર્માણ થયું છે.
જેમની પાવન પ્રેરણાથી (૧) શ્રી સંભવનાથ જૈન પાઠશાળા અંતર્ગત ‘“બાળ વિભાગ” (જામલી ગલી, બોરીવલી) (૨) મહાસુખ ભુવન (વિલે પાર્લા-મુંબઈ) (૩) આદિનાથ સોસાયટી, નવસારી (૪) આનંદદાયક શ્રી વાસુપૂજ્યસ્વામી જૈન સંઘ (ભટાર રોડ, સુરત) (૫) શ્રી સુધર્માસ્વામી જૈન શ્વે. મૂ. સંઘ (બુધવાર પેઠ, પૂના) આદિ સંઘોમાં શ્રી વજસ્વામી પાઠશાળા, (૬) શ્રી સેટેલાઈટ શ્વે. મૂ. જૈન સંઘ અમદાવાદમાં યુવાનો–વડીલોની પાઠશાળાનો શુભારંભ થયો છે.
જેઓશ્રી દ્વારા (૧) શ્રી કુલક સમુચ્ચય (મૂળ, (૨) શ્રી કુલક સમુચ્ચય (ભાષાંતર સહિત), (૩) શ્રી કુલક રત્નમાલા (પ્રતાકાર-ભાષાંતર સહિત), (૪) વાસવ વંદિત શ્રી વાસુપૂજ્ય (હિન્દી) (૫) આનંદદાતા શ્રી અભિનંદનસ્વામી (હિન્દી), (૬) સુરતરુ સરીખા સાહિબા (હિન્દી) (૭) સુમતિદાયક શ્રી સુમતિનાથ (હિન્દી), (૮) શાંતિકરણ શ્રી શાંતિનાથ (હિન્દી),
For Private & Personal Use Only
www.jainelibrary.org