________________
ઝળહળતાં નક્ષત્રો
પણ છે. ઐતિહાસિક સંધો, ચૈત્રી ઓળી, ચાતુર્માસ, દીક્ષા પ્રસંગો અને પ્રતિષ્ઠાપ્રસંગોમાં પૂજ્યશ્રીની તમામ જૈન જૈન જીવોને પમાડનારી તમન્ના અદ્ભુત છે. પૂજ્યશ્રી ૧૨ ભાષાના જાણકાર છે. ૨૦ હજાર માનવમેદની વચ્ચે શ્રી ભુવનભાનુસૂરિ સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્યશ્રીએ સંસ્કૃતમાં પ્રવચન આપ્યું. કોલેજોમાં અંગ્રેજીમાં પણ પ્રવચનો આપે છે.
માંસનિર્યાત, સેક્સ એજ્યુકેશન, ચેરીટીમાં ત્રીસ ટકા ટેક્સ, અંધશ્રદ્ધા નિર્મૂલન એક્ટનું તાજુ સશોધન, બેગર્સ એક્ટ, રાત્રે અશ્લીલ પ્રદર્શન, નીલગાય હત્યા, તીર્થોને પર્યટન સ્થળમાં બદલવા, ભ્રુણ હત્યા, ઇબ્નના મીટટેકનોલોજી કોર્સમાં, પશુ કાપવાની ડીગ્રીઓ આદિ ૧૨ મુદ્દાઓ વિષે ઠેર ઠેર જાહેર પ્રવચનો દ્વારા હજારો-લાખો વિરોધ પત્રો દિલ્લી મોકલવા, ‘રાત્રિ ભોજન મહાપાપ' એ જિનાજ્ઞાની રક્ષા માટે સૂરતમાં જબરદસ્ત ઝુંબેશ ચલાવી રેકોર્ડસમ ૧૨૮ સંઘસમાજો દ્વારા સમૂહ રાત્રિભોજનનો ત્યાગનો નિર્ણય કરાવ્યો, વિશ્વવ્યાપી સમૂહ રાત્રુભોજન બંધ અભિયાનનો શંખનાદ કર્યો. અમદાવાદમાં પણ ઝુંબેશ ચાલુ કરી દીધી છે. લાખો જૈનો નિર્ણય કરશે. સત્યશિલ્ય તરીકે તેનો યશ તેઓ ગુરુદેવશ્રીને આપે છે. આ બધુ ગુરુકૃપાથી જ બન્યું છે ને બનશે...મારું કશું નથી.
સૌજન્ય : પ્રવર્તિની પુણ્યરેખાશ્રીજીના શિષ્યા સા.શ્રી દર્શિતરેખાશ્રીજીના શિષ્યા સા.શ્રી સમકિતરેખાશ્રીજીની પ્રેરણાથી તેમના સાંસારિક પરિવારજનો તરફથી
પ.પૂ.આ. શ્રી ઉદયકીર્તિસૂરિજી મહારાજ પાટણના હાર્દસમા મધ્ય ભાગમાં રહેતા હતા એક સજ્જન વેપારી. નામ એમનું કાળીદાસભાઈ વીરચંદભાઈ
શાહ.
એમનાં ધર્મપત્નીનું નામ રસીલાબહેન.
રસીલાબહેનની ધર્મપ્રીતિ અજોડ હતી. જિનશાસનમાં એમને અતૂટ શ્રદ્ધા. દરરોજ ચૈત્યવંદના માટે મંદિરે જવાનું, ઉપાશ્રયે જઈને ગુરુભગવંતોને ભાવપૂર્વક વંદન કરવાનાં, ઉપવાસ અને એકટાણાં, અઠ્ઠમ તપ અને આયંબિલ......આ બધું તો એમના ધર્મમય જીવનના એક ભાગરૂપ હતું. સમય મળે ગુરુવાણીનું શ્રવણ કરવા જવાનું.
તા. ૧૯-૪-૧૯૬૧નો એ શુભ દિવસ અને શુભ દિવસની એથી પણ શુભ ક્ષણે રસીલાબહેનની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો.
Jain Education Intemational
૮૬૫
આજે અનેક પુસ્તકોનું માંગલ્યધર્મી સર્જન કરનાર, ‘ટર્નિંગ પોઇન્ટ’જેવી પુસ્તક શ્રેણી દ્વારા માનવીગુણોનું ૠજુધર્મી પ્રસારણ કરનાર અને વ્યાખ્યાનની પાટ ઉપર પોતાની માર્મિક વેધક છતાં ધર્મચિંતનથી ભરી ભરી ઓજસભરી વાણી દ્વારા શ્રોતાઓને શ્રેયો માર્ગી બનાવનાર પ્રભાવક પ્રવચનકાર પૂ. આ. શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ સાહેબ.
માની મમતા એમને મળી. લાગણીભર્યું માતૃત્વ એમને પ્રાપ્ત થયું. માણસ મોટો જરૂર થાય છે. એને મોટાઈ પણ મળે છે, પણ એ મોટાઈના મૂળમાં પડ્યું હોય છે એનું શૈશવ. મહાન પુરુષોના શૈશવની ચોક્કસ ક્ષણોમાં એમની મહાનતાના ચમકારા વર્તાતા જ હોય છે.
સાધુ વાણીમાં રહેલાં ચિંતન અને તત્ત્વજ્ઞાનનું એને આકર્ષણ. પાટણની શાળામાં ચાર ધોરણ પૂરાં કરી પાંચમામાં હતો ઉમેશ ત્યાં અજબ ઘટના બની ગઈ.
પ્રશાંતમૂર્તિ આચાર્યભગવંત પૂ. શ્રી મનોહરકીર્તિ– સાગરસૂરિજી મહારાજના પરિચયમાં એ આવ્યો. એમની જોશભરી પ્રભાવક વાણીએ ઉમેશના મનમાં અજબ સ્પંદનો જગાડ્યાં.
છેવટે એ દિવસ પણ આવી પહોંચ્યો. એ શુભ દિવસે, માતા રસીલાબહેન અને સગાંવહાલાંની સંમતિ સાથે, સકળ સંઘની ઉપસ્થિતિમાં, ધર્મના જયજયકાર વચ્ચે અમદાવાદના સાબરમતી મુકામે માત્ર સાડા દસ વર્ષની વયે ઉમેશને પ્રશાંતમૂર્તિ આ. ભ. પૂ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સા. ના શિષ્ય તરીકે આચાર્ય ભગવંત સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજાના વરદ્હસ્તે દીક્ષા આપવામાં આવી.
એ દિવસ હતો તા. ૨૧-૧૧-૭૧નો. માગશર મહિનો હતો. અજવાળી ત્રીજનો શુભ દિવસ હતો. ઉમેશ કાળીદાસભાઈ શાહ બન્યા મુનિ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ. ઊજળું સાધુત્વ એમને હાથ લાગ્યું.
બાલમુનિ ઉદયકીર્તિસાગર ગુરુની સાથે વિહારના માર્ગો પર ડગલાં માંડી રહ્યા.
ગ્રંથોનું વાચન અને અવગાહન. ગ્રંથના એકેએક શબ્દને ઓળખવાનો. એના મર્મને જાણવાનો.
દાદાગુરુના ગ્રંથો વંચાતા ગયા. ઊંડું ચિંતન થતું ગયું. ઉજાસ પ્રગટતો ગયો. તપ વધતું ગયું. ધ્યાન અવિરત ચાલુ
For Private & Personal Use Only
www.jainelibrary.org