________________
07
ઝળહળતાં નક્ષત્રો
જેવી મીઠી વાણી સાંભળી સંસારનો રસ ઊડી ગ્યો. યાવજ્જીવન બ્રહ્મચર્યનો નિયમ લીધો. પૂ. ગુરુદેવની નિશ્રામાં તાલીમ અને અભ્યાસ લેવા લાગ્યા. પ્રારંભિક અભ્યાસ દ્વારા વૈરાગ્ય તીવ્ર બન્યો અને સં. ૧૯૬૬ના મહાવદ ૩ને દિવસે માતર મુકામે (જિ. ખેડા) પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે સંયમ સ્વીકારી પૂ. આ. શ્રી મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી મનોહરવિજયજી મહારાજ બન્યા. દીક્ષા લઈને અધ્યયનમાં લીન બન્યા. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજ, શ્રી કલ્યાણવિજયજી મહારાજ, આ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રી સૌભાગ્યવિજયજી મહારાજ આદિ એમના સહાધ્યાયી હતા.
પૂજ્યશ્રીનો વૈયાવચ્ચનો મહાન ગુણ હતો. પોતાના ગુરુમહારાજની તો છેક લગી ઉત્તમ પ્રકારની વૈયાવચ્ચ કરેલી જ પણ, પોતાના શિષ્યો અને સ્વસમુદાયના અન્ય સાધુઓ અને પર સમુદાયના સાધુઓની પણ સુંદર પ્રકારે સેવા કરી હતી. તેઓશ્રીના કંઠે ગવાતી પૂજા સાંભળી શ્રોતાઓ ભાવવિભોર બની જતા. પૂજ્યશ્રી પદ પ્રત્યે નિઃસ્પૃહી હતા, છતાં પૂ. ગુરુદેવની આજ્ઞાને વશ વર્તીને પદગ્રહણ કરવાં પડ્યાં હતાં. તેઓશ્રીને સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૦ને દિવસે સાણંદમાં ગણિ પદ, સં. ૧૯૮૩ના વૈશાખ વદ ૩ને દિવસે અમદાવાદમાં પંન્યાસ પદ, સં. ૧૯૮૫માં મહા સુદ ૧૧ને દિવસે ભોયણી તીર્થમાં ઉપાધ્યાય પદ અને સં. ૧૯૯૯ના ફાગણ સુદ ૩ને દિવસે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા હતા. પૂજ્યશ્રીમાં પ્રતિકૂળતા સહન કરવાની ગજબની તાકાત હતી. જેસલમેર જેવાં વિકટ અને વિષમ ક્ષેત્રોનો વિહાર પણ કોઈ જાતની સહાય–સગવડ વિના, ભોમિયા વિના કરેલો. જેસલમેરના રાજા આ જાણી તાજ્જુબ થઈ ગયા હતા! વિનંતી કરીને રાજમહેલમાં લઈ ગયા હતા. ઉપદેશ સાંભળ્યો અને વિનંતી કરી કે આવા રણપ્રદેશમાં નિઃસહાય વિચરીને મને કલંકિત ન કરશો. વળતાં સહાયનો ઉપયોગ કરશો. અધિકારીઓને પણ સૂચના આપી, પરંતુ સંયમના ખપી સૂરીશ્વરે એક જ દિવસમાં ૨૭ માઇલનો ઉગ્ર વિહાર કરી, જેસલમેરથી પોખરણ પહોંચી ગયા. સહાય ન લીધી તે ન જ લીધી. પૂજ્યશ્રીએ ઘણાં શાસનપ્રભાવક કાર્યો કર્યાં. ૫૪ વર્ષનો સંયમપર્યાય પાળી, ૭૦ વર્ષની વયે સં. ૨૦૨૦ના વૈશાખ સુદ ૧૧ના દિવસે વિરાર (મુંબઈ) મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એવા જ્ઞાની– તપસ્વી સૂરિવરને લાખ લાખ વંદન!
સૌજન્ય ઃ દેવગુરુપસાય ગ્રુપ, જૂના (મહારાષ્ટ્ર)
Jain Education International
૮૫૩
અનુપમ આરાધક, સમર્થ શાસનપ્રભાવક, પ્રશાંતમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ
સંઘસ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના સમુદાયના અને પૂ. આ. શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રશાંતમૂર્તિ પૂ. આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ અનુપમ આરાધના અને શાસનપ્રભાવના કરવાપૂર્વક તથા સ્વ-સમુદાયના વિશાળ સાધ્વીગણનું નેતૃત્વ સંભાળવાપૂર્વક અનોખું માનસ્થાન ધરાવે છે. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૭૩ના આસો વદ પૂનમશરદ પૂર્ણિમાએ મહેસાણામાં થયો હતો. પૂર્વના પુણ્યયોગે સંસ્કારવાસિત ગૃહમાં જન્મ પામતાં તેમને બાલ્યકાળમાં જ સહજપણે ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત થયા અને તેથી એ સંસ્કારોનો વિકાસ થતાં તેમની રુચિ અને પ્રવૃત્તિ ધર્મમય થવા લાગી. વયની સાથે પ્રભુભક્તિ, ધર્મજ્ઞાન, સત્ સમાગમ અને તપઆરાધનામાં પણ વૃદ્ધિ થવા લાગી. આ વૃત્તિ-પ્રવૃત્તિ દિવસે દિવસે ગાઢ બનતાં તેમનું મન સંસારનો ત્યાગ કરવા અને વૈરાગ્યનો માર્ગ સ્વીકારવા ઝંખી રહ્યું અને એક દિવસ, માત્ર ૧૫ વર્ષની કુમાર વયે તેમની ઝંખના સાકાર બની. સં. ૧૯૮૮ના પોષ વદ પાંચમના દિવસે જૈનપુરી—અમદાવાદમાં, પૂજ્ય બાપજી મહારાજના સાંનિધ્યે ભાગવતી દીક્ષા અંગીકાર કરીને પૂ.આ. શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી વિબુધપ્રભવિજયજી નામે ઘોષિત થયા.
સંયમજીવનના સ્વીકાર સાથે પૂજ્યશ્રી સંયમની ઉત્કૃષ્ટ સાધના કરવાપૂર્વક જ્ઞાનાભ્યાસ અને તપ–ત્યાગમાં વિકાસ સાધવા લાગ્યા અને વિનય વૈયાવચ્ચ દ્વારા ગુરુભક્તિનો પણ ઉત્તમ લાભ પ્રાપ્ત કર્યો. પૂજ્યપાદ બાપજી મહારાજ અને પૂ. ગુરુદેવશ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજની સેવાવૈયાવચ્ચ માટે તેઓશ્રી અમદાવાદ–વિદ્યાશાળામાં ઠીક ઠીક સમય રહ્યા. અને જ્ઞાન અને તપમાં વિકાસ સાધતા રહ્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી પૂ. ગુરુદેવે સં. ૨૦૧૯ના માગશર સુદ ૬ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ સ્વ-પર કલ્યાણના માર્ગે તેઓશ્રી વધુ ને વધુ પ્રભાવક અને પ્રેરક બનતાં. સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને દિવસે સાણંદ મુકામે આચાર્યપદે આરૂઢ કરી શ્રી વિથવિબુધપ્રભસૂરિજી નામે ઉદ્ઘોષિત કરવામાં આવ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org