SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો (પૂર્ણિમા)ના પાવન દિવસે પુણ્યપુરુષનો જન્મ થયો. જન્મથી તેજસ્વી બાલકુમારનું નામ વસંત પાડ્યું. રાધનપુરના વસંતકુમાર જૈનશાસનના મહાસંત અને પુણ્યભૂમિના પ્રભાવક પુરુષ બન્યા. ન્યાયસંપન્નાદિ ગુણોથી અલંકૃત શ્રી પિતાજી કાંતિલાલ તેમ જ ધર્મમાતા તારાપ્રભાબહેનના સુસંસ્કારોનાં સિંચનથી આત્માનાં ગુણપુષ્પો વિકસિત બનતાં રહ્યાં. અપાર સંસ્કારો અને સંતોની વાણીથી બાળક વસંતકુમારનું મન વૈરાગ્યવાસિત બન્યું. લાલબાગમાં બિરાજિત વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલિકરીટ પૂ.આ. શ્રી વિ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની અમૃતમયી વાણીનું પીયૂષપાન કરી પૂજ્યશ્રીનાં જ કરકમલોથી વિક્રમ સંવત ૨૦૦૭, વૈશાખ સુદિ– ૬ ના દિવસે રાધનપુરમાં સંયમજીવનનો સ્વીકાર કરી તનિપુણ પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ શ્રી સ્થૂલભદ્રવિજયજી મ.સા. તરીકે પ્રખ્યાત થયા. છાણી નગરમાં બધા જ સાધુમહાત્માઓની વચ્ચે પૂ. દાદા ગુરુદેવશ્રીએ જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણેના ત્રિવેણી– સંગમની સાધના નિહાળી પૂજ્યશ્રીને ‘જ્ઞાન-દર્શન–ચારિત્રના મહાન આરાધક' તરીકે બિરદાવ્યા. પૂ.આ.દે.શ્રી વિ. વિક્રમસૂરીશ્વરજી મ.સા.એ શિષ્યમાં સંપૂર્ણ યોગ્યતા નિહાળી સમેતશિખર તીર્થમાં વિ.સં. ૨૦૨૮ના વૈ.સુદ ૬ના શુભદિને ગણિ પદ અને વિ.સં. ૨૦૩૧ના મહાસુદ-૧૨ના દિવસે રાધનપુરમાં પંન્યાસ પદવી અર્પણ કરી પિતાશ્રી કાન્તિલાલભાઈને ૭૦ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે સંયમજીવન આપી ગુરુભાઈ શ્રી કમલયશ વિજયજી મ.સા. બનાવી ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરી જીવન સફળ બનાવ્યું. દાવણગિરિ, વિસનગર આદિ સંઘોમાં પારસ્પરિક મતભેદોને અમૃતવાણી, દીર્ઘદર્શિતા, ચાતુર્યતથી મિટાવી મૈત્રીભાવનું સર્જન કર્યું. આચાર્ય પદપ્રદાન : પૂજ્યશ્રીમાં સંપૂર્ણ યોગ્યતા નિહાળી અમદાવાદમાં વિ.સં. ૨૦૪૩, પો.વ. ૧ના પ્રશાંતમૂર્તિ પૂ.આ. શ્રી વિ. નવીનસૂરીશ્વરજી મ.સા.એ આચાર્ય પદ પ્રદાન કરી પૂ.આ. શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. તરીકે જાહેર કર્યાં. Jain Education International ૩૮૫ દક્ષિણ બૃહત્તીર્થસ્થાપક પૂ. ગુરુદેવશ્રી : કર્ણાટક પ્રાંતમાં લાખો જૈનોની વસ્તી હોવા છતાં પણ શ્વેતાંબરીય તીર્થ ન હોવાના કારણે પૂજ્યશ્રીએ એક પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ બનાવવાનો મહાન સંકલ્પ કર્યો. દાનવીર શ્રી કપૂરચંદજીની ઉદારતા અને ભારતવર્ષના સંઘોની તથા ગુરુભક્તોની ઉદારતાથી ૧૧૭ જિનાલયયુક્ત ૪૪ કલ્યાણમંદિર ગોખના નિર્માણની સાથે ભવ્ય ઇતિહાસના સર્જનતારૂપ અવંતિ પાર્શ્વનાથની ૮૧”ની શ્વેતવર્ણીય પ્રતિમા, મૂળનાયક ૭૧”ની નાકોડા પાર્શ્વનાથની શ્યામવર્ણીય પ્રતિમાથી સુશોભિત દેવવિમાનતુલ્ય શ્રી નાકોડા-અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ વિક્રમ-સ્થૂલભદ્રવિહારનું વિશાલકાય પ્રથમ મહાતીર્થનું નિર્માણ થયું અને પૂજ્ય આચાર્ય ભગવંતના પાવન સાન્નિધ્યમાં અને શિલ્પકલામનીષી પૂજ્ય આચાર્યશ્રીની પ્રેરણાથી વિ.સં. ૨૦૫૫ વૈશાખ સુદ-૭, ૨૨-૪-૯૯ના દિવસે પૂજ્ય ગુરુદેવશ્રીના સાન્નિધ્યમાં ભવ્યાતિભવ્ય દશાહ્નિકા મહોત્સવપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા સંપન્ન થઈ. મહાન તીર્થધામ લાખો જૈનોનું પરમ શ્રદ્ધાસ્થલ બન્યું છે. તીર્થધામમાં ધર્મશાળા, ભોજનશાળા અને શ્રી લબ્ધિ-વિક્રમસ્થૂલભદ્રસૂરીશ્વરજી આરાધનાભવનનું સુંદર નિર્માણ થયું છે. પૂજ્ય આચાર્ય ભગવંતની પ્રેરણાથી ટુમકુર હાઇવે રોડ પર વિ.સં. ૧૯૯૫ના કમલાકાર ભવ્ય જિનાલયમાં શ્રી લબ્ધિ પાર્શ્વનાથ ભગવાન, શ્રી ગૌતમસ્વામી, દાદાગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની ગુરુમૂર્તિ, અધિષ્ઠાયક ભૈરુજી અને અંબિકાદેવી પદ્માવતીદેવીની પ્રતિષ્ઠા સહ ‘શ્રી પાર્શ્વ લબ્ધિધામ' મહાનતીર્થની સુંદર સ્થાપના કરાવી. પ્રતિપૂર્ણિમાનો મેળો, શ્રી લબ્ધિ–વિક્રમ-સ્થૂલિભદ્રકૃપા ભવન સહ ધર્મધામના સંકલનથી એક આહ્લાદકારી તીર્થનું નવનિર્માણ થયેલ છે. શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામ:-આહ્લાદકારી વાતાવરણ, ભવ્ય ગિરિમાલા, વિશાલ જલ સરોવરથી નયનરમ્ય નૈસર્ગિક વાતાવરણમાં શ્રી લબ્ધિ-વિક્રમકૃપાવતાર દક્ષિણકેશરી પૂજ્ય આચાર્ય ભગવંતની અખંડ સૂરિમંત્ર સાધના અને આપ પૂજ્યશ્રીના શિષ્યરત્ન આચાર્ય શ્રી ચન્દ્રયશસૂરીશ્વરજી મ.સા.ની ૫૧ દિવસીય માણિભદ્રવીરની સાધના સહ છાયાદર્શને સંકલ્પબળથી શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામ મહાન તીર્થની પૂજ્યોએ સ્થાપના કરી. * ચિકપેટ–બેંગલોરનું પરમશ્રદ્ધા કેન્દ્ર ૮૦ વર્ષ પ્રાચીન શ્રી આદિનાથ જિનપ્રાસાદ (ચિકપેટ)નો જીર્ણોદ્ધાર સહ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy