________________
૩૩૨
નાનાં ગામડાંનાં આબાલવૃદ્ધો નરનારીઓના કંઠે ગવાતી સંભળાય છે. આ રચનાઓને તેઓશ્રીના ભક્તોમાં એકલાખ પુસ્તકો દ્વારા પ્રસરાવવામાં આવી છે અને છતાં આ પુસ્તકોની માંગ સતત ચાલુ જ હોય છે! આવા અસાધારણ પ્રભાવને લીધે તેઓશ્રી ‘કવિકુલિકરીટ'ના નામે ઓળખાય છે. પૂજ્યશ્રીએ રચેલા સંસ્કૃત, ગુજરાતી, હિન્દી ભાષામાંનાં ગીતોની સંખ્યા ત્રણ હજાર ઉપર થવા જાય છે. ૫૮ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ અનેક નાનામોટા, ગદ્યપદ્યના, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ અને સંસ્કૃત ભાષામાં લોકોપયોગી તથા વિદ્વદ્ભોગ્ય ગ્રંથોનું નિર્માણ, સંકલન અને સંપાદન કરીને સાહિત્યની અજોડ સેવા કરી છે. તેઓશ્રીને અનેકવાર અન્ય દાર્શનિકો સાથે વાદ-વિવાદ કરવાના પ્રસંગો ઉપસ્થિત થયા હતા. તેમાં પણ પૂજ્યશ્રીએ દરેક વખતે વિજય પ્રાપ્ત કર્યો હતો. કુશાગ્ર બુદ્ધિ, તીક્ષ્ણ તર્કશક્તિ અને અદ્ભુત વાક્ચાતુર્યથી તેઓશ્રી પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરતા. નરસંડામાં આર્યસમાજીઓ સાથે વિવાદમાં મૂર્તિપૂજાની સાર્થકતા સિદ્ધ કરી હતી. ખંભાત પાસેના વટાદરા ગામમાં મુકુન્દાશ્રમ નામના સંન્યાસીએ સનાતનીઓ સાથે વેદ વિષયક શાસ્ત્રાર્થ ચલાવ્યો ત્યારે પૂજ્યશ્રીએ ‘વેદ હિંસાવાદી છે, અને જૈનધર્મ દયામય છે' એમ પ્રતિપાદિત કરી આપ્યું હતું. પંજાબમાં તો અનેક સ્થળોએ વાદવિવાદોના પ્રસંગો ઉપસ્થિત થયા હતા અને દરેક વખતે પૂજ્યશ્રીએ વિજય મેળવ્યો હતો! જેમ કવિત્વપણાથી તેમ વાદવિજયમાં પણ આઠ પ્રભાવકોમાં ગણના થાય છે. એ પૂજ્યશ્રીને વરેલી સિદ્ધિ પણ અવિસ્મરણીય છે.
જૈન શાસનની પ્રભાવના કરવા માટે પૂજ્યશ્રીએ ઠેર ઠેર જિનમંદિરોની પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપનો, ઉપધાનો, છ'રી પાળતા સંઘો, દીક્ષાઓ, પદપ્રદાનો, સાધર્મિક વાત્સલ્ય તથા અન્ય મંગલકારી મહોત્સવો મોટી સંખ્યામાં કરાવ્યા હતા. ઘણીવાર વિપરીત સ્થિતિમાં અડગ રહીને, સિંહગર્જના કરીને, વિજય પ્રાપ્ત કરીને આચાર્યપદ શોભાવ્યું હતું. મુંબઈમાં તારદેવના પ્રખ્યાત ચોકનું (નવજીવન સોસાયટી પાસે) ‘આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી ચોક' નામકરણ કરીને ઋણ અદા કરવાનો વિનમ્ર પ્રયત્ન થયો છે તો, પૂજ્યશ્રીની જન્મભૂમિબાલશાસનને ‘લબ્ધિનગર' નામ આપવાનો સ્તુત્ય નિર્ણય લેવાયો છે. આમ, અનેક ક્ષેત્રમાં અમાપ પ્રભાવના દ્વારા જિનશાસનમાં શાશ્વત સ્થાનના અધિકારી આચાર્યભગવંતનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. એવા એ મહાન સૂરીશ્વરજીને કોટિ કોટિ વંદન!
Jain Education Intemational
જિન શાસનનાં
‘શ્રાવસ્તિ તીર્થોદ્ધારક', ‘કર્ણાટકકેસરી, મહાન તપસ્વી, સમર્થ સાહિત્યારાધક પૂ. આ.શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મ.
કૃતિથી ભદ્રંકર, આકૃતિથી ભદ્રંકર, વૃત્તિથી ભદ્રંકર, પ્રકૃતિથી ભદ્રંકર, પ્રવૃત્તિથી ભદ્રંકર એવા ભદ્રંકર પ્રભાવશાળી વ્યક્તિત્વથી શોભતા, યથાનામગુણ પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર ધર્મદિવાકર પૂ. આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર રૂપે સૂર્યસમાન દીપી રહ્યા છે. ગરવા ગુજરાતની પુનીતપાવન નગરી છાણીમાં સં. ૧૯૭૩ના મહા વદ ૬ને દિવસે તેમનો જન્મ થયો. શૈશવમાંથી જ સંયમજીવનના શણગાર સજવાનાં સ્વપ્નાં સેવવાં માંડ્યાં, પરંતુ ત્રણ ભાઈઓ વચ્ચે એક જ પુત્ર એટલે દીક્ષાની અનુમતિ મેળવવી અત્યંત કઠિન બની ગઈ. સામે પક્ષે, તેમને દીક્ષાની ભાવનાની ભરતી એવી ચડે કે હિમાલય જેવો અવરોધ પણ નહીં નડે તેની પ્રતીતિ થાય. એક દિવસ કોઈ સુવર્ણ પળે પ્રવ્રજ્યા અંગીકાર કરવાના નિશ્ચય સાથે ઘરમાં કોઈને પૂછ્યા વિના નીકળી પડ્યા. પૂ. દાદા ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે પાટણ પહોંચ્યા. પૂ. ગુરુદેવશ્રીને પ્રાર્થના કરી કે, દીક્ષા પ્રદાન કરો. સં. ૧૯૮૯ના અષાઢ સુદ ૧૧ના શુભ દિને પૂ. ગુરુદેવે દીક્ષા પ્રદાન કરી અને સંસારી મામા પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી ભદ્રંકરવિજયજી તરીકે જાહેર કર્યા.
દીક્ષા સાથે જ શિક્ષા ચાલુ થઈ. આરંભથી જ અંતરની અવિરામ લગનીથી આઠ-દસ કલાક એકધારું અધ્યયન શરૂ કર્યું. કોઈ મળવા આવે તો શોધવા પડે, પૂજ્યશ્રી કોઈ એકાંત માળિયામાં બેઠાં બેઠાં અભ્યાસમાં લીન થઈ ગયા હોય! પરિણામે ત્રણ જ વર્ષમાં સંસ્કૃત ટીકા વાંચતાં થઈ ગયા. પોતે સંસ્કૃત શ્લોકોની રચના કરવા લાગ્યા. તેથી સમુદાયમાં ‘પંડિત મહારાજ' તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યા.
આવી અખંડ અને અગાધ સાહિત્યસેવા સાથે પૂજ્યશ્રી દૂર-સુદૂરના અનેક પ્રદેશોમાં સતત વિહરતા રહ્યા છે. ગુજરાત, મારવાડ, માળવા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર આદિ પ્રાન્તોમાં જિનશાસનની ધર્મજ્યોત પ્રસરાવી રહ્યા છે; તેના ફળ સ્વરૂપે, ચિકમંગલૂર-કર્ણાટકમાં ઘણા સંઘોએ એકત્ર થઈને ઉપધાનમાળા પ્રસંગે પૂજ્યશ્રીને ‘કર્ણાટકકેસરી’
For Private & Personal Use Only
www.jainelibrary.org