SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો શ્રદ્ધાવાળાં......આયંબિલના તપ પર અત્યંત આસ્થા ડાળાં, વર્ધમાનતપની આયંબિલ ઓળી ૬૦ પૂર્ણ કરી. ૫૦૦ આયંબિલ કર્યાં. હાલ ૧૦૦૦ સળંગ આયંબિલનો તપ ચાલું છે. (૨૦૬૭ પોષ) આર્થિક સંયોગોવશ મુસલમાન વિસ્તારમાં રહે તો પણ શીલ–સદાચારની મક્કમતાવાળા. ૨૨ વર્ષથી આ દંપતી સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રત પાળે છે. ૬૫૯ જીવવિચાર--નવતત્ત્વ આદિ સૂત્રો મુખપાઠ કરી લીધાં. જિનપૂજા, રાત્રિભોજન ત્યાગ, કંદમૂળ આદિ અભક્ષ્યત્યાગ તો એને કૌટુંબિક વારસામાં જ મળ્યા હતા. સદ્ગુરુના અવંચક યોગથી એણે ભરયુવાનીમાં સંપૂર્ણ ચતુર્થવ્રત લઈ લીધું અને ત્રેવીશ વર્ષની ઊગતી યૌવન અવસ્થામાં જયંતિ પ્રવ્રજ્યા ગ્રહણ દ્વારા અણગાર બન્યો. પૂ.આ. દેવશ્રી વિજય પ્રેમસૂ. મ.ના શિષ્ય મુનિરાજ શ્રી ભાનુવિજયજી મ. (આ. દેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.)ના શિષ્ય મુનિરાજ શ્રી પદ્મવિજયજી મ. (પં. શ્રી પદ્મવિજયજી ગણિવર)ના શિષ્ય જ્યોતિબહેનના પતિ નરેન્દ્રભાઈ પણ સુંદર ધર્મશ્રદ્ધાવાળા. નવકારમંત્ર-લોગસ્સ-ઉવસગ્ગહરંના જાપના અભ્યાસી....એમને ૫૧ વર્ષની ઉંમરે કેન્સર થયું. એક્સપર્ટ તજ્ઞ ડોક્ટર કહે :—“કેન્સર આખા શરીરમાં સ્પ્રેડ થઈ ગયું. મુનિશ્રી જગચંદ્રવિજયજી (હાલ મહાન જૈનાચાર્ય શ્રી વિજય જગચંદ્ર સૂ.મ.સા.) (સત્ય દૃષ્ટાંત) આ.શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મ.સા. છે; ઓપરેશન બાદ સ્વરપેટી ચાલી જશે. બોલી નહીં શકે. દર્દ ત્રીજા તબક્કાનું છે, દર્દીને બચવાની પ્રાયઃ આશા નથી, છતાં ઓપરેશન કરીશું. એ લગભગ આઠ કલાક ચાલશે ઇત્યાદિ’ અરિહંતદેવાદિ પરની શ્રદ્ધાવાળા એ બન્નેએ ઓપરેશન કરવાનું સ્વીકાર્યું. બીજો કોઈ ઉપાય ડોક્ટરને જણાયો નહોતો. ડોક્ટર અને જ્યોતિબહેનની અત્યંત નવાઈપૂર્વક ઓપરેશન માત્ર દોઢ કલાકમાં પૂર્ણ થયું. પછી પણ જરૂરી ઉપચાર થયા. નરેન્દ્રભાઈ કેન્સરના દર્દમાંથી સંપૂર્ણ મુક્તિ પામ્યા. (આ ચમત્કારી પ્રસંગ પતિ-પત્ની પાસેથી વિ.સં. ૨૦૬૩માં સાંભળ્યો). ‘‘હા! રક્ષણ કરાયેલો ધર્મ રક્ષણ કરે છે જ' એવી ઉત્તમ શ્રદ્ધાવાળા આજે પણ જીવો છે. —જ્યોતિબહેન નરેન્દ્રભાઈ વડાલ(મુંબઈ)વાળા એ બહેને અષ્ટમપૂર્વક શ્રી શત્રુંજય મહાતીર્થની ૨૭ યાત્રા-ચોથા દિવસે પારણા પહેલા ચાર યાત્રા કરી-પારણે આયંબિલ કરી– ચોવિહાર છઠ્ઠ ૨૦-અટ્ટાઈ ૨૦ કરી. જ્યારે ત્રણ આયંબિલનો સંકલ્પમાત્ર હઠીલો રોગ દૂર કરે છે. બાર વર્ષનો બાળક જયંતિ. એને હાથ ઉપર મસો થયો. અનેક ઉપચારો કર્યા પણ લાભ ન થયો. એમની મોટી બહેન નવપદજીની આયંબિલની ઓળી પર ખૂબ શ્રદ્ધાવાળી. જો નવપદજીની આરાધના શ્રીપાળનો કોઢ દૂર કરે તો આ મસો શી વિસાતમાં? બહેનની સૂચનાથી નાનકડા જયંતિએ ત્રણ આયંબિલ તો કરવાં જ એવો સંકલ્પ કર્યો. અને આ સંકલ્પ માત્રથી ચમત્કાર સર્જાયો. મસો હાથ ઉપરથી દૂર થયો. શૈશવપણામાં જ જયન્તીએ પાંચ પ્રતિક્રમણના સૂત્રો, Jain Education International –૩૭ વર્ષની ઉંમરે પત્ની પુત્રો-પુત્રવધૂને છોડી અમદાવાદના એ સુખી કુટુંબના નબીરાએ દીક્ષા લીધી ત્યારે મહા પુરૂષોએ શબ્દો ઉચ્ચાર્યા, ‘યહ તો ઇસ કાલકે શાલીભદ્ર કી દીક્ષા હુઈ'' –મુનિપણામાંથી અનુક્રમે એ પ્રભાવક આચાર્ય બન્યા. પૂ.આ. દેવશ્રી વિજય પ્રેમસૂ. મ.શ્રીના દિલમાં એમનો વાસ હતો. પૂ.શ્રી કહેતા કે યશોદેવસૂરિજી તો તીર્થંકરનો જીવ છે. સતત અપ્રમત્તભાવના ચાહક આ મહાપુરૂષે નમસ્કાર મહામંત્રનો ૩૬ કરોડ ૬૩ લાખ જાપ કર્યો. ખરજવા પરની જીવતી ચામડી એમણે વૈદ્ય પાસે છોલાવવાનું કાર્ય શાંતચિત્તે સમાધિથી કર્યું. –તેઓ જે બોલે અને ઇચ્છે તે થતું એવી વચનસિદ્ધ મહાત્મા તરીકેની સુખ્યાતિ હતી. અમલનેરના સાધ્વી શ્રી અનંતકીર્તિશ્રીજીની દીક્ષા પ્રસંગમાં અને પીંડવાડામાં પ્રતિષ્ઠા પ્રસંગમાં આ વાતની લોકોને ખૂબ સારી રીતે પ્રતીતિ થઈ. –કેન્સરના દર્દને સમતા સમાધિથી સહન કર્યું. –અનેક ભવ્યોને નવકારમંત્રના લખપતિ બનાવ્યા, ઘણા સંઘોને દેવદ્રવ્યના ભારથી મુક્ત બનાવ્યા, અનેક સંઘોમાં શાંતિ સુલેહ સંપ કરાવ્યા. -મહારાષ્ટ્ર પ્રાન્ત ઉપર અનહદ ઉપકાર કર્યો એ મહાપુરૂપે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy