________________
અનુમોદન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલભદ્રજી રૂપરૂપના ભંડાર હતા. એક વાર રૂપનો અનર્થ નિહાળી, પાપી રૂ૫ ઉપર તિરસ્કાર લાવી, તે મુનિ થઈ જંગલમાં વિહરવા લાગ્યા.
આ જંગલમાં એક હરણ ફરે. એ બલભદ્રજીનું હેવાયું થઈ ગયું. મુનિ ધ્યાનમાં બેસે, તો એ પાસે બેસે, ભિક્ષાએ જાય તો સાથે જાય. વનમાં ભિક્ષા મળવી મુશ્કેલ. એમાંય ચોમાસાના દિવસો આવ્યા. સાત દિવસની વરસાદની હેલી. મુનિ સાત દિવસથી સુધા સહીને બેઠા હતા. ચાબોલ હરણું પરિસ્થિતિ પારખી ગયું હતું.
એકાએક સાંજે ઉઘાડ નીકળ્યો ને સાથે એક વટેમાર્ગુ વડ નીચે ભાતું ખાવા બેઠો. હરણાએ એ જોયું ને કૂદતું-નાચતું મુનિના વસ્ત્રનો છેડો મોમાં લઈ મુનિને ત્યાં ખેંચી લાવ્યું. એની આંખોમાં આનંદ હતો.
વટેમાર્ગુએ અણધાર્યા પવિત્ર અતિથિને આવેલા જોઈ હથિી ભિક્ષા આપવા હાથ લંબાવ્યો. મુનિએ પત્ર લંબાવ્યું : હરણાયો આનંદ ઠેક લીધી, ને વિજળી આકાશમાંથી કડેડાટ સાથે તૂટી પડી. ત્રણે જીવ અવસાન પામ્યા. આપનાર, લેનાર ને અનુમોદન કરનાર ત્રણે તરી ગયા. ધન્ય ઘડી! ધન્ય વેળા!
ઉલ્લ ઇન્ડસ્ટ્રીઝ (લાણIS) WIકલ.
શેડ નં. એ-૧/૫૮, જી.આઈ.ડી.સી., પારડી, જિ. વલસાડ (ગુજરાત) ૩૯૧૨૫
ટેલી ફેક્સઃ (૦૨૬૦) ૨૩૦૩૬૫૫, ૨૩૦૩૬૫૬
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org