SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ જિન શાસનનાં નલિનાક્ષભાઈ પંડ્યા વલ્લભવિદ્યાનગરમાં શિક્ષણ-સંશોધનની સંસ્થા પારિવાત્ર ફાઉન્ડેશનના પ્રમુખ છે. બહુવિધ ક્ષેત્રોનાં રસ-રુચિ-સંસ્કાર પિતાશ્રી અમૃત પંડ્યા પાસેથી ગળથુથીમાં મળેલા તથા તેમના મિત્રસમુદાય (રવિશંકર રાવળ, મોતીચંદ્ર, વાસુદેવશરણ અગ્રવાલ, નિર્મલકુમાર બોઝ, પોપટલાલ ગો. શાહ, ડોલરરાય માંકડ, મંજુલાલ મજમુદાર, પંડિત ઓમકારનાથ ઠાકુર, રાય કૃષ્ણદાસ, બચુભાઈ રાવત, લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, ડૉ. સંપૂર્ણાનંદ વગેરે)ના સાનિધ્યને કારણે પોષાયેલાં ને વિકસેલાં. ખંભાતમાં ઈ.સ. પૂર્વે પહેલી સદીના ભારતીય શકરાજા એઝીઝ પહેલાનો ચાંદીનો સિક્કો, રાજપીપળામાં કરજણ નદીના કાંઠેથી ૪૦૦૦ વર્ષ પુરાણા અમાયસ તબક્કાના સૂક્ષ્મ પાષાણના ઓજારો, ખેડા જિલ્લામાં વલભી-સૌરાષ્ટ્રના મૈત્રક રાજાઓના પાંચમી સદીના સિક્કા, કાગળ પર લખેલી ૧૦મી સદીની ગુજરાતના સહુથી જૂની હસ્તપ્રત “સંધારપઈના' વગેરેની કરેલી શોધો તેમનું ઇતિહાસ-પુરાતત્ત્વ ક્ષેત્રે પ્રદાન છે. એમણે ભારતભરમાં વ્યાપક પ્રવાસો કર્યા છે. સંખ્યાબંધ લેખો ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં લખ્યા છે તથા અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિદ્ધત્વરિષદોમાં ભાગ લીધો છે. શ્રી પંડ્યા સાહેબ સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, જે આ મુજબ છે ઃ (૧) પૂર્વ સહમંત્રી, અખિલ ભારતીય ભાષા-સાહિત્ય સંમેલન, (૨) એકેડેમી ઓફ વર્લ્ડ સિવિલિઝેશનના સભ્ય, (૩) મંત્રી, આંતરરાષ્ટ્રીય અપંગ વર્ષની ખેડા જિલ્લા સમિતિ, (૪) સ્થાપક અને સંયોજક, વલ્લભવિદ્યાનગર લોકસમિતિ. (જયપ્રકાશ નારાયણના વિચાર મુજબ રચાયેલી આ ગુજરાતની સહુથી પહેલી લોકસમિતિ હતી.) (૫) મુંબઈમાં અભ્યાસકાળ દરમિયાન ઇન્ડિયા પીસ કારના સ્વયંસેવકોની પ્રથમ ટુકડીના સભ્ય તરીકે પસંદગી થયેલી, જેમાં પ્રમુખ કેનેડીએ સ્થાપેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા અમેરિકન પીસ કોરના સ્વયંસેવકોની સાથે સેવાકાર્ય કર્યું. (૬) મુંબઈમાં યુથ ઓર્ગેનાઇઝેશન ઑફ ગ્રુપ ઇનિશિયેટિવના સ્થાપક. (૭) મુંબઈ યુનિવર્સિટીની ફિલ્મ સોસાયટીના પૂર્વ મંત્રી અને મુંબઈ યુનિવર્સિટીની ડાન્સ એન્ડ મ્યુઝિક સોસાયટીના પૂર્વ કારોબારી-સભ્ય. (૮) માનદ્ ક્યુરેટર, ગુજરાત સંશોધન મંડળ મુંબઈનું સંગ્રહાલય. વિવિધ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરીને માટે અમેરિકાના બાયોગ્રાફિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રગટ થતી ઇન્ટરનેશનલ ડિરેક્ટરી ઓફ ડિસ્ટીગ્વીલ્ડ લીડરશિપ ૧૯૯૮'માં પરિચય પ્રકાશિત થયો (વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની ભલામણ પ્રમાણે આ ડિરેક્ટરીમાં પરિચય સમાવાય છે. કોઈની અરજી ધ્યાન પર નથી લેવાતી). ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ કચ્છમાં થયેલા વિનાશકારી ભૂકંપના પાંચ મહિના પહેલા ભાવનગર વિસ્તારમાં થતી ભૂકંપની પરંપરાઓના અભ્યાસ પરથી ગુજરાતમાં ક્યાંક મોટો ભૂકંપ થવાની સંભાવના અખબાર દ્વારા વ્યક્ત કરેલી અને તે માટે આફત નિવારણનાં લેવા જોઈતાં પગલાં પણ સૂચવેલાં. જ્ઞાનસમૃદ્ધ અને મોજીલા સ્વભાવના શ્રી પંડ્યા સાહેબ મળવા જેવા માણસ છે. –સંપાદક જૈનધર્મની પ્રમાણભૂત શ્રમણ પરંપરાનો પ્રારંભ ચરમ (“આત્માગમ') પોતાના ગણધરોને સમાનરૂપે પ્રત્યક્ષ પ્રબોધેલું તીર્થકર મહાવીરસ્વામીના ગણધરોથી થાય છે. ગણધર એટલે હોય છે. એક સરખી ધર્મવાચના દ્વારા તીર્થકરો પાસેથી સીધું તીર્થકરનો મુખ્ય શિષ્ય, જે શ્રમણોના ગણ (=સમૂહ)નો નેતા મેળવેલું આ જ્ઞાન (અનન્તરાગમ') ગણધરોએ ૧૨ અંગોના હોય. દરેક તીર્થકરના ગણધરો હોય છે પણ તેમની કોઈ નિયત રૂપમાં સંકલિત કર્યું હતું : “અચ્છ માસડુ કરી સુત્તમ સંખ્યા હોતી નથી. પ્રથમ તીર્થકર ઋષભનાથના ૮૪, ત્રેવીસમા ગ્રંથન્તિ દરા,” આમ ગણધરો શ્રતસાહિત્યના રચનાકારોમાં પાર્શ્વનાથના ૮ અને ચોવીસમા મહાવીરના ૧૧ ગણધરો હતા. પ્રથમ સ્થાને છે. શિષ્ય-પરંપરા તેમનાથી આરંભાતી હોવાથી કેવળજ્ઞાની તીર્થકરે જાતે મેળવેલું–અનુભવેલું પૂર્ણજ્ઞાન જૈન ધર્મસંઘના માળખામાં તેઓ આચાર્યના સ્થાને ગણાય છે. Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy