________________
ઝળહળતાં નક્ષત્રો
૧૭૭
સંસ્તવ, સુઅધમ્મસ્તવ (શ્રુતધર્મસ્તવ), દુસ્સમકાલસમણસંઘથયું જ્ઞાનવાળા થારાપદ્રગચ્છના વિજયસિંહ નામના ચૈત્યવાસી (દુષમકાલશ્રમણસંઘસ્તવ) સાવસૂરિક, ચતુર્વિશતિ જિનપૂર્વભવ-આચાર્યે શિષ્યોને કહ્યું. ‘અચાનક પાટણ છોડીને ઉણ તરફ?' સ્તવ, લોકાન્તિકદેવલોક જિનસ્તવ–સાવસૂરિ, યોનિસ્તવ, શિષ્યોને આશ્ચર્ય થયું, પણ વિશેષ લાભનું કારણ હશે એમ ભાવિચતુર્વિશતિ જિનસ્તવ, પાર્શ્વનાથ સ્તવ, ભવત્રયસ્તવ, સમજી બધાએ રાધનપુર પાસે આવેલા ઉણ ગામ તરફ વિહાર પાંત્રીસ જિનવાણી સ્તવ, જીવવિચાર સ્તવ, યમક-મય વર્તમાન કર્યો. ચતુર્વિશતિજિનસ્તવ, શત્રુંજયઅષ્ટાપદ-ગિરનાર–સમ્મેતશિખર તીર્થકલ્પ, સ્રતાશર્મસ્તોત્ર, દેવેન્દ્રસ્તોત્ર, મંત્રગર્ભિત પાર્શ્વનાથ સ્તોત્ર, યુગપ્રધાન સ્તોત્ર, પાર્શ્વનાથતીર્થસ્તોત્ર, સંઘાચાર ભાષ્ય વિવરણ, શ્રાદ્ધજિતકલ્પ, સમવસરણ પ્રકરણ, લોકનાલિકા, પરિગ્રહ પરિમાણ, કાલસપ્તતિ સાવસૂરિ (કાલસ્વરૂપવિચાર) વગેરે અનેક કૃતિઓ રચી છે.
આચાર્યશ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી દયાણા શ્રીસંઘે શ્રાદ્ધદિનકૃત્યની ટીકા લખાવી પાટણના સરસ્વતી ગ્રંથભંડારમાં આપી હતી. તેમ જ સં. ૧૩૪૯, મહાસુદ ૧૩ના રોજ દિયાણામાં ગ્રંથભંડારની સ્થાપના કરી તેમાં ઘણા ગ્રંથો લખાવીને મૂક્યા. આચાર્યશ્રીના ઉપદેશથી મેવાડના શ્રીમાલીમંત્રી સોનગરા સમધરના કુટુંબે સં. ૧૩૫૨માં ગ્રંથો લખાવ્યા હતા.
આચાર્યશ્રીએ સં. ૧૩૩૨માં પોતાના શિષ્ય સોમપ્રભને આચાર્યપદ આપ્યું. આચાર્યશ્રીએ તેમને ૧૧ અંગોનું જ્ઞાન તો આપ્યું જ હતું. તે ઉપરાંત તેમની યોગ્યતા જાણીને મંત્રપોથી આપી; પરંતુ આ. સોમપ્રભસૂરિએ હાથ જોડી વિનંતી કરી કે, “ગુરુકૃપા છે તેમાં જ બધુંય છે. એટલે કાં તો ચારિત્રની આરાધના આપો, કાં તો આ મંત્રપોથી આપો.'' આચાર્યશ્રીએ તેમને ત્યાગ અને વૈરાગ્યમાં રંગાયેલા સમજી અને બીજો કોઈ
શિષ્ય આ મંત્રપોથી માટે યોગ્ય ન લાગવાથી એ મંત્રપોથી
જલશરણ કરી દીધી.
આવા પ્રબળ મંત્રશાસ્ત્રી, પરમ શાસનપ્રભાવક, આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ સં. ૧૩૫૭માં સ્વર્ગે ગયા.
કોટિ કોટિ વંદન હોજો નિર્મળ આચાર-અચળ ચારિત્રધારક પરમ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવશ્રી ધર્મઘોષસૂરિરાયને.
વાદિવેતાલ આચાર્ય શાન્તિચન્દ્રસૂરિ
“ચાલો શિષ્યો, વિહારની તૈયારી કરો. આપણે પશ્ચિમે ઉણગામ જવાનું છે.” આ. માણેકચન્દ્રસૂરિની ટકોરથી ૮૪ લાખ સોનૈયા ખરચીને પાટણમાં નવા બનાવેલા ઘરનો ઉપાશ્રય કરનાર શાંત મહેતાના એ ચૈત્યમાં રહેતા પ્રૌઢ બુદ્ધિ અને નિર્મળ
Jain Education Intemational.
ઉણ ગામમાં પ્રવેશીને આચાર્ય ભગવંત શ્રી આદીશ્વર ભગવાનના જિનાલયે આવ્યા. જિનાલયની બહાર રમતા એક બાળકે દોડીને આચાર્ય ભગવંતનો હાથ પકડ્યો અને તેમને દહેરાસરમાં લઈ ગયો. જિનાલયમાં શ્રી આદીશ્વર ભગવાનની સ્તુતિ-સ્તવના કરી બધા ભગવાનને જુહારી આચાર્ય ભગવંત બહાર નીકળ્યા. જિનાલયના પગથિયા ઉતરતાં પેલો બાળક આચાર્ય ભગવંતે ઉચ્ચારેલી સ્તુતિઓ ગણગણવા લાગ્યો. માત્ર અેક વાર સાંભળેલી સંસ્કૃત સ્તુતિને તરત યાદ રાખી લેનાર આ મેધાવી બાળકને માથે પ્રેમથી હાથ ફેરવી, આચાર્ય ભગવંતે પૂછ્યું, “હે વત્સ! તારું નામ શું છે?” “જે પાટણના યુવરાજનું છે તે!!'' બાળકે જવાબ આપ્યો. ક્ષણભર આચાર્ય ભગવંત આ બાળકને જોઈ રહ્યા. વિશાળ લલાટ, તેજસ્વી મુખારવિંદ, કંબુ સમાન કંઠ, ઘુંટણ સુધી લાંબા હાથ, શુભ ચિહ્નોયુક્ત હથેલી......આવા અનેક ઉત્તમ લક્ષણો જોઈ આચાર્ય ભગવંત મલક્યા. તેમણે બાળકની પીઠ થાબડી. “ભીમ! ચાલ રમવા!” બાલમિત્રની બૂમ સાંભળી તે બાળક ધૂળમાં પગલીઓ પાડતો ચાલ્યો ગયો. આચાર્ય ભગવંતની નજર સહસા તેના પગલા પર ગઈ. તેમાં છત્ર-ધજા-કમળના ચિહ્નો જોયા. તેમણે પાસે ઉભેલા શ્રાવકને પૂછ્યું, “આ બાળક કોણ છે?” શ્રાવકે કહ્યું, “ગુરુદેવ! આ તો આપણા શ્રીમાળી શેઠ ધનદેવનો પુત્ર ભીમ છે. ઘણો હોશિયાર છે.” “હા! શાસનનું રત્ન બને એમ છે.” આચાર્ય ભગવંતે સમર્થન કર્યું. શ્રાવક ઇશારો સમજી ગયો. તેણે કહ્યું, “ગુરુદેવ! ધર્મપરાયણ ધનદેવશેઠનું ઘર અહીં પાસે જ છે.’’
“ધર્મલાભ !'' જ્ઞાનબળથી ભીમને ગચ્છનો ભાર વહન કરવા સમર્થ જાણી આચાર્ય ભગવંત ધનદેવ શેઠના ઘરે પહોંચ્યા. “પધારો ગુરુ ભગવંત! અમારું આંગણું પાવન થયું.” ધનદેવ શેઠે આનંદિત થઈ આવકાર આપ્યો. “ગુરુદેવ! ગોચરીપાણીનો લાભ આપો.” ધનશ્રી શેઠાણીએ કહ્યું, “અને ગુરુદેવ! બીજો વસ્ત્ર-પાત્રાદિ કંઈ પણ ખપ હોય તો મારા પર અનુગ્રહ કરી મને લાભ આપો.” શેઠે ઉમેર્યું “અમને જેનો ખપ છે એ આપ વહોરાવશો?’’ આચાર્યભગવંતે પ્રશ્ન કર્યો. “આજ્ઞા કરો
For Private & Personal Use Only
www.jainelibrary.org