________________
૬૫૦ ]
[ આપણા શ્રેષ્ઠીવર્ગો
કુટુંબના સ સભ્યો નિત્ય નિયમિત જિનપૂજા કરી પેાતાના જીવનને કૃતાર્થ કરી શકે.
પુરિષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાન અને તેમની શાસનસેવિકા ભગવતી શ્રી પદ્માવતીદેવી પર અનન્ય શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. તેમનાં જપ–ધ્યાન–અનુષ્ઠાનાથી તેમના સમસ્ત જીવનવ્યવહારમાં આનંદ મંગલ પ્રવર્તે છે. પ્રસિદ્ધિથી તેએ બને તેટલા દૂર રહ્યા છે. પેાતાનાં કત બ્યા ચૂપચાપ કર્યે જાય છે.
200
શ્રી પ્રશાંતભાઈ ઝવેરી
૧૯૫૪ ના નવેમ્બરની પાંચમીએ મુંબઈમાં જન્મેલા પ્રશાંત શ્વેતાંબર જૈન છે પણ સધમ અને સેવામાં માને છે. પિતાનુ નામ મનુભાઈ અને માતાનું નામ વસુબહેન, ચાર ખહેનેા અને ત્રણ ભાઈ એમાં પ્રશાંત સૌથી નાને. માતાના ધાર્મિક અને સેવાના સ'સ્કારાએ પ્રશાંતને ઘડવામાં ઘણા ભાગ ભજવ્યેા છે. મુંબઈના ગમે તે ખૂણે આગ લાગે, અકસ્માત થાય કે કોઈપણ ધર્મના સમાર’ભ વગેરે યેાજાય ત્યારે સ્વયંસેવક તરીકે સેવા આપવા પ્રશાંત હાજર.
મેરારિબાપુની રામાયણ પારાયણ હા કે ડાંગરે મહારાજનુ ભાગવત કથામૃત, પાંડુરંગ શાસ્ત્રીજીના શિખિર હા યા જેનેાની પર્યુષણ વ્યાખ્યાનમાળા, તાજિયા નીકળવાના હોય કે ગણપતિ-વિસર્જનના સરઘસેામાં પીવાના પાણીથી માંડીને બીજી કાઈપણ જરૂરી સેવા આપવામાં પ્રશાંત મેાખરે !
મેરખીમાં મચ્છુ ડેમ ફાટ્યો ત્યારે મુંબઈથી સારુ એવું ભડાળ લઈ ને પ્રાંત મારખી ગયા હતા. ખરી જરૂરિયાતવાળાને મદદ હાથેહાથ પહેાંચાડી. સેવાની સુવાસને કારણે મુંબઈની બધી કામે અને ભાષાઓમાં પ્રશાંત માનીતા છે. જૈન સમાજે પ્રશાંતનુ બહુમાન કરીને તેને ‘જૈન યુવકરત્ન ” ના માનદ ખિતાબ આપ્યા ત્યારે બધી ભાષાનાં અખબારોએ એની નોંધ લીધી હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org