________________
હરખચંદભાઈએ કારના ભેગા થઈ જતાં તારગાજી
૬૩ર ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો હાલ જૈન મંદિરમાં વિરાજમાન છે. ભૂતકાળમાં પૂજ્ય કૃપાળુ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ જેવા પરમ તારક આચાર્ય દેવેની જે જન્મભૂમિ કહેવાય છે. આવી પ્રભાવક નગરી મહુવા શહેરમાં ઝવેરી શ્રીયુત હરખચંદ વીરચંદ ગાંધીને ઈ. સ. ૧૯૧૭ના એપ્રિલ માસમાં શેઠશ્રી વીરચંદ વશરામને ત્યાં માતુશ્રી મોતીબાઈની કુક્ષિમાં જન્મ થયે હતો. જન્મથી જ હરખચંદભાઈ સંસ્કાર પામ્યા હતા. તેઓશ્રીનાં પની પ્રભાવતીબેન પણ સુશીલ, વ્યવહારકુશળ છે. તેઓશ્રીને પાંચ બંધુઓમાંથી બે બાલ્યકાળમાં અવસાન પામ્યા હતા. એક મોટાભાઈ જયંતીલાલભાઈએ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા લીધી. પ્રાપ્ત ગુપ્ત રીતે ચરિત્ર પાળતાં તારંગાઇ યાત્રાર્થે આવતાં કે પશુના શિકારના ભંગ થઈ પડ્યા હતા.
શ્રી હરખચંદભાઈ એ વિદ્યાભ્યાસ કરી મુંબઈ આવી કાપડ માર્કેટમાં વ્યાપારને અનુભવ મેળવવા નેકરીથી પ્રથમ જીવન શરૂ કર્યા બાદ ત્યાંથી છૂટા થઈ ઝવેરી બંધુને ત્યાં રહ્યા અને ત્યાં ઝવેરાતના ધંધામાં નિષ્ણાત થઈ ઝવેરાતના ધંધામાં ઝુકાવ્યું. તેઓશ્રી સરલ સ્વભાવી, માયાળુ હોવા સાથે અનેક ચડતી-પડતીનાં ચકેમાં પસાર થતા. ધર્મ પ્રત્યે પૂર્ણ પ્રેમ અને ભાવના વડે ધંધામાં પ્રગતિ થવા લાગી અને જેમ જેમ લક્ષ્મી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ ગુપ્ત દાન દેવા લાગ્યા.
જીવનમાં જ્યારે શ્રદ્ધા અને આત્મવિશ્વાસની ત પ્રગટ થાય છે ત્યારે જ માણસનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. અનેક એવી મહાન વ્યક્તિઓ છે કે જેઓએ તન મન અને ધનથી સકાર્યો કર્યા છે. તેમાનાં એક મહુવાનિવાસી શેઠશ્રી હરખચંદ વીરચંદ ગાંધી જેઓશ્રી સાદાઈ અને સૌજન્યની મૂતિ સમાન છે. હાલ મુંબઈમાં તેમને પરિવાર રહે છે. તેઓએ સાતે ક્ષેત્રમાં પુણ્યાનુબંધી પુણ્યથી મળેલ લક્ષમીને ઘણે જ સદુપયોગ કર્યો છે.
(૧) મધુપુરી નગરીને આંગણે તેઓએ સં. ૨૦૦૬માં આચાર્યદેવ શ્રી વિજયનેમીસૂરીશ્વરજી મહારાજના જન્મ સ્થળ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org