________________
૬૩૦ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો જીવનની જ્યોતને જલતી રાખવામાં પણ તેમના વારસદાર શ્રી સુધાકરભાઈ ને બહુમૂલ્ય ફાળો રહ્યો છે. સામાજિક સંસ્થાઓ તરફને આ કુટુંબનો પ્રેમ અને સક્રિય સહકાર દરિદ્રનારાયણ તરફનો ભક્તિભાવ પ્રગટ કરે છે. શ્રી સુધાકરભાઈના સુપુત્ર વીરેન્દ્રકુમારભાઈ, શ્રી હેમેન્દ્રભાઈ તથા શ્રી ઉપેન્દ્રભાઈ તથા શ્રી મહેન્દ્રકુમારભાઈ, શ્રી જિતેન્દ્રકુમાર ભાઈ તથા શ્રી અશ્વિનકુમારભાઈ ખૂબ જ સંસ્કારી અને કેળવાયેલા છે.
શ્રી વીરેન્દ્રકુમારભાઈ ધંધાથે ભારતમાં બધે જ ફર્યા છે. નિયમિત દેવદર્શન અને ધર્મ ઉપરની અપાર શ્રદ્ધા જોવા મળે છે.
દેશ અને પરદેશમાં બધે જ શ્રી વીરેન્દ્રભાઈની કીર્તિ પ્રસરેલી છે. હમણાં જ ડા સમય પહેલાં શ્રી સુધાકરભાઈને સ્વર્ગવાસ થયે. ખરે જ તેઓ કચ્છી સમાજનું ગૌરવશાળી રત્ન હતા. તેમના જીવનના સંસ્મરણો લખવા એક જુદું જ પુસ્તક લખવું પડે.
સ્વ. શ્રી હરખચંદ વીરચંદ ગાંધી એક ઉદારચરિત અને ઉદાર ચરિત્ર સ્વ. પિતા હરખચંદભાઈની જીવનપ્રેરણું સહ માટે એક વિશિષ્ટ પ્રેરણું બની રહે છે. આપણે ત્યાં જેને “દાન દીપન્યાય કહે છે તે પ્રમાણે ચેતી ઊઠેલા એક દીવા વડે બીજે દીવ ચેતવતા જવાની જાણે આ પ્રેરણા છે. તેઓ તો પિતાના દરેક પગલે દીપક પ્રગટાવતા ગયા. આ કથનમાં સનાતન સત્યની અભિવ્યક્તિ છે.
વિવિધ સેવાકાર્યો દ્વારા સ્વ. હરખચંદભાઈએ પીડિતોને હૂંફ આપવાનો પ્રયાસ કર્યો. માનસિક-શારીરિક અશકત હોય, વિકલાંગ હોય કે આર્થિક ભીંસમાં ડૂબેલો હોય એ સહુના તરફ હરખચંદભાઈએ દાનને પ્રવાહ વહેવડાવી પિતાની ગોદમાં મળતી મીઠી હુંફ આપવાને પ્રયાસ કર્યો. સ્વ. પૂજ્ય હરખચંદભાઈ શીલ, સદાચાર, ધર્મપ્રેમ અને જીવદયા જેવા અનેક ગુણરૂપી દીવડાની ત જેવા હતા. તેમનું જીવન નાના-મોટા અનેક માટે વ્યવહારમાં દોરવણી આપનાર હતું. તેમના સર્વ પરિચિતમાં વ્યવહારના કેઈ પણ કાર્ય
* વિવિધ ચિ. માય એ સા મળતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org