________________
દરર ]
| આપણું શ્રેષ્ઠીવર્યો વર્ષ કેન્યા, (પૂર્વ આફ્રિકા)માં વસવાટ કરી તેઓ તથા તેમના ભાગીદાર શ્રી ગોરધનભાઈ હાથીભાઈ પટેલ સાથે રહી ઘણા ધંધા
સ્થા ઉદ્યોગો કરી ખૂબ પૈસા કમાયા. કેન્યાના ઉચ્ચ ૫૦ ઉદ્યોગપતિઓમાં તેઓને નંબર ૩૯ મો હતો. આટલા સારા ધંધા હેવા છતાં બન્ને ભાગીદારોએ ૧૯૭૮ની સાલમાં ધંધામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ તેઓની માતૃભૂમિ ભારતમાં પાછા આવી તેઓએ મેળવેલ સંપત્તિને ગરીબોની સેવા તેમ જ રાષ્ટ્રની સેવા અર્થે વાપરવા નિર્ણય લીધે. થડે સમય મુંબઈ રહી ગરીબની વધુ સારી સેવા કરવાના આશયથી નાના શહેરમાં વસવાટ કરવા નિર્ણય કરી શ્રી શાંતિભાઈ ભાવનગરમાં સ્થાયી થયા અને તેના ભાગીદાર શ્રી ગોરધનભાઈ વડોદરામાં સ્થાયી થયા. તેઓના કેઈ અંગત આપ્તજન કે સગા ભારતમાં નથી તેઓ બધા કેન્યા, ઇંગ્લેંડ, તથા અમેરિકામાં છે. શ્રી શાંતિભાઈએ પિતે જ્યાં સુધી સામાજિક સેવાનાં કાર્યો કરવા શક્તિમાન હશે ત્યાં સુધી ભારતમાં રહેવા નિર્ધાર કરેલ છે, જેથી માનવકલ્યાણકારી પ્રવૃત્તિઓ તેઓ કરી શકે. ભારત આવી લેશપણ ખચકાટ વિના દાનની ગંગેત્રી વહાવી અને બન્ને ભાગીદારને આજ સુધીને સરવાળે લગભગ અઢી કરોડ રૂપિયા જેટલો થાય છે. (સવા કરોડ ગોરધનભાઈ)
શ્રી શાંતિલાલે ભાવનગર શહેર માટે શાંતિલાલ શાહ એન્જિનિયરિગ કેલેજ, શાંતિલાલ શાહ હાઈસ્કૂલ, સૂરજબેન બાળકનું દવાખાનું, શાંતિલાલ શાહ મેડીકલ કેમ્પલેક્ષ વગેરે અનેક સંસ્થાઓમાં દાન આપેલ છે. હાલમાં જ તેઓએ ભાવનગર યુનિવર્સિટીને ફાર્મસી કેલેજ, એમ. બી. એ. તેમ જ કમ્યુટર મથકને અભ્યાસ શરૂ કરવા માટે રૂપિયા ત્રીસ લાખ જેવી માતબર રકમનું દાન કરેલ છે. દાનને સરવાળે રૂપિયા સવા કરોડ થાય છે.
ભાવનગરને તેઓ શિક્ષણ અને સંસ્કારનું ધામ ગણે છે અને અત્રેની આગવી પ્રતિભા અને ભાવ જોઈ તેઓ અહીં સુખેથી રહી શકશે અને શાંતિપૂર્વક માનવસેવાનાં કાર્યો કરી શકશે તેવી ભાવનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org