SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરષ્નયણાણિ ૧૦૦૭ પરિશિષ્ટ ૫: ભૌગોલિક પરિચય જાલેસરપેન્ટિયરે માન્યું છે કે “પુરિમતાલ'નો ઉલ્લેખ બીજે ક્યાંય જોવામાં નથી આવતો. આ “લિપિ-કર્તાનો દોષ સંભવે છે. આની જગ્યાએ ‘કુરુ-પંચાલ કે એવું કંઈક હોવું જોઈએ. આ અનુમાન યથાર્થ જણાતું નથી. આપણે ઉપર જોઈ ગયા છીએ કે પુરિમતાલનો અનેક ગ્રંથોમાં ઉલ્લેખ થયો છે. તે અયોધ્યાનું ઉપનગર હતું- એવું ભગવાન મહાવીરના વિહાર-ક્ષેત્ર પરથી પ્રતીત થાય છે. દશાર્ણ – બુંદેલખંડમાં ધસાન નદી વહે છે. તેની આસપાસના પ્રદેશનું નામ “દસષ્ણ”-દશાર્ણ છે. દર્શાણ નામે બે દેશો મળે છે – એક પૂર્વમાં અને બીજો પશ્ચિમમાં, પૂર્વ દશાર્ણ મધ્યપ્રદેશના છત્તીસગઢ જિલ્લામાં માનવામાં આવે છે. પશ્ચિમ દશાર્ણમાં ભોપાલ રાજ્ય અને પૂર્વ માળવાનો સમાવેશ થાય છે. બનાસ નદીની પાસે વસેલી કૃત્તિકાવતી નગરી દશાર્ણ જનપદની રાજધાની મનાય છે. કાલીદાસે દશાર્ણ જનપદનો ઉલ્લેખ કરતાં ‘વિદિશા' (આધુનિક ભિલસા)ને તેવી રાજધાનીરૂપે માનેલ છે. જૈન આગમોમાં ઉલિખિત સાડા પચ્ચીસ આર્ય દેશોમાં “દશાર્ણ જનપદનો ઉલ્લેખ છે. દશાર્ણ જનપદના મુખ્ય નગરો બે હતા - (૧) દશાર્ણપુર (એલકચ્છ, એડકાક્ષ – ઝાંસીથી ૪૦ માઈલ દૂર ઉત્તર-પૂર્વમાં આવેલ “એચ-એરઈ' ગામ) અને (૨) દશપુર (આધુનિક મંદસૌર). આર્ય મહાગિરિ આ જ જનપદમાં દશાર્ણપુરની પાસેના ગજાગ્રપદ (દશાર્ણકૂટ) પર્વત પર અનશન કરી મૃત્યુ પામ્યા હતા.* દશાર્ણભદ્ર આ જનપદનો રાજા હતો. મહાવીરે તેને આ જ પર્વત ઉપર દીક્ષિત કર્યો હતો. કાશી અને વાણારસી – કાશી જનપદ પૂર્વમાં મગધ, પશ્ચિમમાં વત્સ (વંસ), ઉત્તરમાં કૌશલ તથા દક્ષિણમાં ‘સોન નદી સુધી ફેલાયેલ હતું. કાશી જનપદની સીમાઓ ક્યારેય એક સરખી રહી ન હતી. કાશી અને કૌશલ વચ્ચે સદા સંઘર્ષ ચાલ્યા કરતો અને ક્યારેક કાશી કૌશલનું તો ક્યારેક કૌશલ કાશીનું અંગ બની જતું. ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી શતાબ્દીમાં કાશી કૌશલને તાબે થઈ ગયું હતું. ઉત્તરાધ્યયન સૂત્રમાં હરિકેશબલના પ્રકરણમાં ટીકાકારે બતાવ્યું છે કે હરિકેશબલ વાણારસીના હિંદુક ઉદ્યાનમાં ઉતર્યા હતા. ત્યાં કૌશલિક-રાજની પુત્રી ભદ્રા યક્ષ-પૂજન માટે આવી હતી." આ ઘટના પરથી કાશી ઉપર કૌશલનું પ્રભુત્વ પ્રમાણિત થાય છે. કાશી રાજ્યનો વિસ્તાર ૩યોજન બતાવવામાં આવ્યો છે." વારાણસી કાશી જનપદની રાજધાની હતી. આ નગર ‘વરના” (વરુણા) અને “અસી' – આ બે નદીઓની વચ્ચે વસેલું હતું. એટલા માટે તેનું નામ “વારાણસી' પડ્યું. આ નૈરુક્ત નામ છે. આધુનિક બનારસ ગંગા નદીના ઉત્તર કિનારે ગંગા અને વરુણાના સંગમ-સ્થળે આવેલ છે. જૈન-આગમોક્ત દશ રાજધાનીમાં તેનો સમાવેશ થાય છે. યુઆન ચુઆંગે વારાણસીને દેશ અને નગર-બન્ને માનેલ. છે. તેણે વારાણસી દેશનો વિસ્તાર લંબાઈમાં ૧૮ ‘લી’ અને પહોળાઈ ૬ ‘લી’ નો બતાવ્યો છે. કાશી, કૌશલ વગેરે ગણરાજ્યો વૈશાલીના નરેશ ચેટકની પડખે રહી કૃણિક વિરુદ્ધ લડ્યા હતા.૧૦ કાશીનો નરેશ ‘શંખ' ભગવાન મહાવીર પાસે દીક્ષિત થયો હતો.૧૧ ૧. ર ૩ત્તરાધ્યયન, પૃ. ૩૨૮. ૨. દૂત, પૂર્વમેષ, સ્નોવા ૨૩-૨૪ ૩. વૃદન્ય માધ્ય, મારૂ, પૃ. ૨૨રૂ ૪. બાવલા ચૂળ, ઉત્તરમા, પૃ. ૨૫૬-૫૭T ૫. સુવવો, પત્ર ૨૭૪ ૬. થMવિદેટ્ટ નાત (સં. ૩૬૬), નીતવા માગ રૂ, પૃ. ૪૪. ૭. ર ાિ ચોથા માં ઇયા, પૃ. ૪૨૬ / ૮. વિવિધ તીર્થ, પૃ. ૭ર. ૯. યુઝાન વુમાફ ટ્રેવેન્સ ન પડયા, મા૨, પૃ. ૪૬-૪૮ | ૧૦. નિરાવર્તિા , મૂત્ર ? ૧૧.avi ૮ ૪૨ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy