SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરયણાણિ પરિશિષ્ટ ૪ : વ્યક્તિ પરિચય બિંબિસાર શિશુનાગની પરંપરાનો રાજા હતો – એ માન્યતા સાથે કેટલાક વિદ્વાનો સહમત નથી. વિદ્વાન ગાઈગર અને ભંડારકરે સિલોનના પાલી વંશાનુક્રમના આધારે બિંબિસાર અને શિશુનાગની વંશ-પરંપરા ભિન્ન હોવાનું સ્થાપિત કર્યું છે. તેમણે શિશુનાગને બિંબિસારનો પૂર્વજ ન માનતાં તેને ઉત્તરવર્તી માન્યો છે. વિભિન્ન પરંપરાઓમાં શ્રેણિકના વિભિન્ન નામો મળે છે. જૈન પરંપરામાં તેનાં બે નામ છે – (૧) શ્રેણિક અને (૨) ભંભાસાર. નામની સાર્થકતા પર ઊહાપોહ કરતાં લખવામાં આવ્યું છે કે તે શ્રેણીનો અધિપતિ હતો, તેથી તેનું નામ ‘શ્રેણિક’ પડ્યું. જ્યારે શ્રેણિક બાળક હતો ત્યારે એક વખત રાજમહેલમાં આગ લાગી. શ્રેણિક ભયભીત થઈને ભાગ્યો. તે સ્થિતિમાં પણ તે ‘ભંભા’ ને આગની જવાળાઓમાંથી કાઢી લેવાનું ચૂક્યો નહીં. આથી તેનું નામ ‘ભંભાસાર’ પડ્યું.’ બૌદ્ધ પરંપરામાં તેનાં બે નામ પ્રચલિત છે – (૧) શ્રેણિક અને (૨) બિંબિસાર. શ્રેણિક નામકરણ માટે પૂર્વોક્ત કારણ અહીં પણ મનાયું છે. તદુપરાંત બે કારણો બીજાં પણ બતાવ્યાં છે – (૧) કાં તો તેની સેના મોટી હતી એટલે તેનું નામ ‘મેનિય’(શ્રેણિક) પડ્યું. અથવા (૨) તેનું ગોત્ર ‘સેનિય’ હતું. એટલે તે ‘શ્રેણિક’ કહેવાયો. - તેનું નામ બિબિસાર એટલે પડ્યું કે તેના શરીરનો રંગ સોના જેવો હતો.· બીજી વાત એવી છે કે તિબેટના ગ્રંથોમાં તેની માતાનું નામ ‘બિંબ’ લખાયેલું મળે છે, આથી બિંબિસાર કહેવાયો.૯ પુરાણોમાં તેને અજાતશત્રુ, વિધિસાર` કહેવામાં આવ્યો છે. અન્યત્ર તેને ‘વિંધ્યસેન’ અને ‘સુબિંદુ’ પણ કહેવામાં આવ્યો છે.૨ શ્રેણિકના પિતાનું નામ ‘પ્રસેનજિત’૧૩ અને માતાનું નામ ‘ધારિણી’૧૪ હતું. શ્રેણિકની ૨૫ રાણીઓના નામો આગમગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે.૧૫ તે આ પ્રમાણે છે (૧) નંદા (૨) નંદવતી (૩) નંદુત્તરા (૪) નંદિશ્રેણિક (૫) મય (૬) સુમરૈય (૭) મહામય (૮) મરુદેવા, (૯) ભદ્રા, ૯૯૯ (૧૦) સુભદ્રા (૧૧) સુજાતા = (૧૨) સુમના (૧૩) ભૂતદિશા (૧૪) કાલી Jain Education International ૧. સ્ટડીન ફન ફન્ડિયન ઇન્ટિવીટીન, પૃ. ૨૨-૨૬૬ । ૨. અમિયાન ચિન્તામળ, રૂ। ૩૭૬ । ૩. અભિયાન ચિન્તામળિ, સ્વોપણ ટીજા, પત્ર ૨૮ । ૨૧૩૮, પૃ. ૪૨૩ । ૧૦. માગવત, દ્વિતીય ૩૬, પૃ. ૬૦૩ । (૧૫) સુકાલી (૧૬) મહાકાલી (૧૭) કૃષ્ણા (૧૮) સુકૃષ્ણા (૧૯) મહાકૃષ્ણા (૨૦) વીરકૃષ્ણા (૨૧) રામકૃષ્ણા ૪. (ક) ત્રિશĐિશતા પુરુષત્ર, ૧૦। દ્દાo૦૧-૧૬૨ । (ખ) સ્થાનાંશ વૃત્તિ, પત્ર ૪૬૬ । ૫. રૂપિયન હિસ્ટોરિન વાટ†, માન ૧૪, સં ૨, ખૂન ૨૧૩૮, પૃ. ૪ । ૬. એજન, પૃ. ૪ક્ષ્ । ૭. ધમ્મપાન-ઝવાન ટીજા, પૃ. ૨૦૪ । ૮. પાતી કૃપ્તિશ ડિક્શનરી, પૃ. ૧૧૦ । ૯. રૂડિયન હિસ્ટોરિન વાટી, માળ ૧૪, સં ૨, જૂન (૨૨) પિતૃસેનકૃષ્ણા (૨૩) મહાસેનકૃષ્ણા (૨૪) ચલ્લણા૧૬ (૨૫) અપતગંધા૧૭ ૧૧. એજન, ૧૨ ।। ૧૨. ભાવવત્ત : ભારતવર્ષ ા કૃતિહાસ પૃ. ૨૫૨ । ૧૩. આવશ્ય દૃમિદ્રીય વૃત્તિ, પત્ર ૬૭o । હરિષેણાચાર્યે બૃહત્કલ્પ કોષ (પૃ. ૭૮)માં શ્રેણિકના પિતાનું નામ ‘ઉપશ્રેણિક’ અને માતાનું નામ ‘પ્રભા’ આપ્યું છે. ઉત્તરપુરાણ (૭૪૪ ૪, ૮ પૃ. ૪૭૧)માં પિતાનું નામ ‘કૃણિક’ અને માતાનું નામ ‘શ્રીમતી’ આપ્યું છે. આ અત્યંત ભ્રામક છે. અન્યત્ર પિતાનું નામ મહાપદ્મ, હેમજિત, ક્ષેત્રોજા, ક્ષેત્પ્રોજા પણ મળે છે. (જુઓપૉલિટિકલ હિસ્ટ્રી ઑફ એન્શિયન્ટ ઈન્ડિયા, પૃ. ૨૦૫) ૧૪. અણુત્તરોવવાચવા, પ્રથમ વન । ૧૫. અનદ્દશા, માતવાં વર્ગ । ૧૬.આવશ્યળ મૂળિ, ઉત્તરાદ્ધ, પત્ર o૬૪ । ૧૭.નિશીથ વૃત્તિ, સમાષ્ય, માળ ?, પૃ. ૨૭ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy