SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવવિભક્તિ ૯૩૩ અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૩-૧૫ સો ધનુષ્યની અવગાહનાવાળા જીવોના આત્મા ત્રણસો તેત્રીસ ધનુષ્ય એક હાથ આઠ અંગુલ પરિમિત ક્ષેત્રમાં હોય છે.' પૂર્વાવસ્થાના મધ્યમ – બે હાથથી વધુ અને પાંચસો ધનુષ્યથી ઓછી અવગાહનાવાળા જીવોના આત્મા પોતાના અંતિમ શરીરની અવગાહનાથી ત્રિભાગહીન ક્ષેત્રમાં અવસ્થિત હોય છે. પૂર્વાવસ્થાના જઘન્ય-બે હાથની અવગાહનાવાળા જીવોના આત્મા પોતાના અંતિમ શરીરની અવગાહનાથી ત્રિભાગહીન ક્ષેત્રમાં અવસ્થિત હોય છે. પૂર્વાવસ્થાના જઘન્ય બે હાથની અવગાહનાવાળા જીવોના આત્મા એક હાથ આઠ આંગળ પરિમિત ક્ષેત્રમાં અવસ્થિત હોય છે. ૩ સિદ્ધો વિષયક વિશેષ જાણકારી માટે જુઓ – ઔપપાતિક, સૂત્ર-૧૯૫, ગાથા ૧-૨૨ તથા આવશ્યક-નિર્યુક્તિ, ગાથા ૯૫૮-૯૮૮. ૧૩. (શ્લોક ૫૫-૫૬) આ બંને શ્લોકો વિશેષાવશ્યક ભાષ્યમાં ગાથા ૩૧૫૮-૩૧૫૯ રૂપે ઉલ્લિખિત છે. મલધારી હેમચંદ્ર ટીકામાં તેમને નિયુક્તિ ગાથાઓ માનેલ છે. ૧૪. ઈષતુ-પ્રામ્ભારા (ક્લીપAR) ઔપપાતિક (સૂત્ર ૧૯૩)માં સિદ્ધશિલાના બાર નામો આપવામાં આવ્યા છે. એમાં આ બીજું નામ છે. ૧૫. (શ્લોક ૭૧-૭૭) આ શ્લોકો અને ગાથાઓમાં મૃદુ પૃથ્વીના સાત અને કઠિન પૃથ્વીના ૩૬ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક વિશેષ શબ્દોના અર્થ અને કેટલીક વિશેષ જ્ઞાતવ્ય વાતો અહીં પ્રસ્તુત કરવામાં આવી રહી છે – પUTIFક્રિયા–અત્યંત સૂક્ષ્મ રજકણોવાળી વૃત્તિ માટી. કેટલાક આચાર્યો આનો અર્થ ગરુપટિશા (પોપડી) કરે છે. લોકપ્રકાશ અનુસાર નદી વગેરે પ્રવાહના વહી ગયા પછી પાછળ જે કીચડ રૂપે પોચી અને ચીકણી માટે રહે છે, તે ‘પન-પૃત્તિ' છે. કવન્ત–વૃત્ત પાષાણ, ગોળ પત્થર. વ–વજમણિ, હીરા, ઉત્પત્તિ-સ્થાનના આધારે તેના અનેક પ્રકાર હોય છે. જેવા કે – (૧) સભા રાષ્ટ્રક – વિદર્ભ-વરાડ દેશમાં ઉત્પન્ન થનાર. (૨) મધ્યમ રાષ્ટ્રક – કૌશલ દેશમાં ઉત્પન્ન થનાર. (૩) કાશ્મીર રાષ્ટ્રક- કાશ્મીર દેશમાં ઉત્પન્ન થનાર. (૪) શ્રીકટનક – શ્રીકટન નામે પર્વત પર ઉત્પન્ન થનાર. (૫) મણિમન્તક – ઉત્તરમાં આવેલ મણિમન્તક નામે પર્વત પર ઉત્પન્ન થનાર. ૧. મોવાર્થ, સૂત્ર ૨૬, જાથા : ૫ तिण्णि सया तेत्तीसा, धणूत्तिभागो य होइ बोद्धव्वो। एसा खलु सिद्धाणं, उक्कोसोगाहणा भणिया।। आवश्यक नियुक्ति, मलयगिरीय वृत्ति, पत्र ५४५ : हस्तद्वयादूर्ध्वं पञ्चधनुःशतेभ्योऽर्वाक् सर्वत्रापि मध्यमावगाहनाभावात्। ગોવા, સૂત્ર ૨૨, માથા ૭: एक्का य होइ रयणी, साहीया अंगुलाई अट्ट भवे । एसा खलु सिद्धाणं, जहण्णओगाहणा भणिया ॥ ૪. વિશેષાવથી ભાષ્ય વૃત્તિ, પૃ. ૨૨૯૧ : ત૬ नियुक्तिश्लोकद्वयं सुबोधम्। ૫. વૃત્તિ , પત્ર ૬૮ એજન, પત્ર ૬૮. लोकप्रकाश सर्ग ७।५: नद्यादिपूरागते देशे, तत्रातिपिच्छिले वरे। मृदुश्लक्ष्णा पंकरूपा, सप्तमी पनका त्रिधा ॥ ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy