SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરજ્જીયણાણિ અધ્યયન-૩૫ : ટિપ્પણ ૩-૬ (શ્મશાનિકને મરણાનુસ્મૃતિના પ્રભાવે સૂતા હોવા છતાં પણ પ્રમાદથી પ્રાપ્ત થનાર દોષો સ્પર્શી શકતા નથી અને ઘણા બધા મડદાંને જોતાં જોતાં તેનું ચિત્ત કામરાગને પણ વશ થતું નથી.) संवेगमेति विपुलं न मदं उपेति । सम्मा अथो घटति निब्बु तिमे समानो ।। सो सानिक ङ्गमिति नेकगुणावहत्ता निब्बाननिन्न हृदयेन निसेवितब्ब 11 । (ઘણો સંવેગ ઉત્પન્ન થાય છે. ધમંડ આવતો નથી. તે શાંતિ (=નિર્વાણ)ને શોધવા માટે સારી પેઠે ઉદ્યોગ કરે છે, એટલા માટે અનેક ગુણો લાવનાર મશાનિકાંગની નિર્વાણ તરફ ઝુકેલા હૃદય વડે સેવા કરવી જોઈએ. ૩. સૂત્ર અનુસાર (નદ્દામુત્ત) == ‘યથાસૂત્ર’નો અર્થ છે – આગમ-નિર્દિષ્ટ એષણાના દોષો રહિત ભિક્ષા. આની સંપૂર્ણ વિધિ માટે જુઓ – દસવેઆલિયંનું પાંચમું અધ્યયન. ८८८ ૪. ૨સ (સ્વાદ) માટે (રસટ્ટા) રસનો એક અર્થ છે—સ્વાદ. વૃત્તિકારે તેનો વૈકલ્પિક અર્થ—ધાતુવિશેષ કર્યો છે. શરીરની મુખ્ય ધાતુઓ સાત છે—રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. ‘આ ધાતુઓના ઉપચયને માટે' – રસનો આ અર્થ પણ થઈ શકે છે. ૫. જીવન—નિર્વાહ માટે (નવળા૫) આનો અર્થ છે – સંયમ-જીવનના નિર્વાહ માટે. આનાં સંસ્કૃત રૂપો બે થઈ શકે છે — યાપનાર્થ, યમનાથૅ. ‘યાપનાર્થ’ નો અર્થ છે સંયમ-જીવનના નિર્વાહ માટે. ‘યમનાથં’ નો અર્થ છે – ઇન્દ્રિયો ઉપર નિયંત્રણને માટે અથવા ઇન્દ્રિય-વિજયની સાધના કરવા માટે. આ બન્ને અર્થો પ્રાસંગિક છે. ૬. (શ્લોક ૨૦) મુનિ જ્યારે એમ જુએ કે આયુક્ષય નજીકમાં છે – મૃત્યુ તદ્દન નજીક છે – ત્યારે તે આહારનો પરિત્યાગ કરી અનશન કરે. વૃત્તિકારે અહીં એક સુંદર શિક્ષાપદ પ્રસ્તુત કર્યું છે. અનશન કરનાર તત્કાળ અનશન ન કરે. તે અનશન પહેલાં ‘સંલેખના’ના ક્રમનો સ્વીકાર કરે. તત્કાળ અનશન કરવાથી અનેક વિઘ્નો ઉપસ્થિત થઈ શકે છે. 'देहम्मि असं लिहिए सहसा धाऊहि खिज्जमाणाहिं । जाय अट्टज्झाणं सरीरिणो चरमकालंमि ॥' જે સાધક સંલેખનાના ક્રમમાંથી પસાર થતાં પૂર્વે જ અનશન કરી લે છે, તેને મૃત્યુ સમયે આર્તધ્યાન થઈ શકે છે, કેમ કે ભોજન ન કરવાની અવસ્થામાં શરીરની ધાતુઓનો ક્ષય થાય છે અને ત્યારે શરીરમાં અનેક ઉપદ્રવો ઊભા થઈ જાય છે. આ આર્ત્ત-ધ્યાનનું એક કારણ બને છે. ૧. વિશુદ્ધિમાń, માથ ૧, પૃ. ૭-૭૬ I ૨. बृहद्वृत्ति, पत्र ६६७ : सूत्रम् - आगमस्तदनतिक्रमेण यथासूत्रम् - आगमाभिहित उद्गमैषणाद्यवाधित इत्युक्तं મતિ । Jain Education International ૩. ૪. એજન, પત્ર ६६७ : रसट्ठाए त्ति रसार्थ सरसमिदमहमास्वादयामीति धातुविशेषो वा रसः स चाशेषधातूपलक्षणं ततस्तद् उपचयः स्यादित्येतदर्थं ......। એજન, પત્ર ૬૬૮ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy