SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ આ અધ્યયનનું નામ ‘તેસાયળ’–‘તેવા-અધ્યયન’ છે. આનો અધિકૃત વિષય કર્મ-લેશ્યા છે. આમાં કર્મ-લેશ્યાના નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આનું વિશદ વર્ણન પ્રજ્ઞાપના (પદ ૧૭)માં મળે છે. લેશ્યા એક પ્રકારનું પૌદ્ગલિક પર્યાવરણ છે. તેની શોધ જીવ અને પુદ્ગલના સ્કંધોનું અધ્યયન કરતી વેળાએ થઈ છે. જીવ વડે પુદ્ગલ અને પુદ્ગલ વડે જીવ પ્રભાવિત થાય છે. જીવને પ્રભાવિત કરનારા પુદ્ગલોના અનેક વર્ગ છે. તેમાં એક વર્ગનું નામ લેશ્યા છે. લેશ્યા શબ્દનો અર્થ આણવિક આભા, કાંતિ, પ્રભા કે છાયા છે. છાયા પુદ્ગલો વડે પ્રભાવિત થનારાં જીવ-પરિણામોને પણ લેશ્યા કહેવામાં આવેલ છે. પ્રાચીન સાહિત્યમાં શરીરના વર્ણ, આણવિક-આભા અને તેનાથી પ્રભાવિત થનારા વિચારો – આ ત્રણે અર્થમાં લેશ્યાની માર્ગણા કરવામાં આવી છે. શરીરના વર્ણ અને આણવિક-આભાને દ્રવ્ય-લેશ્યા' (પૌદ્ગલિકલેશ્યા) અને વિચારને ભાવ-લેશ્યા (માનસિક-લેશ્યા) કહેવામાં આવેલ છે. પ્રસ્તુત અધ્યયનમાં કૃષ્ણ, નીલ અને કાપોત – આ પ્રથમ ત્રિકને ‘અધર્મ-લેશ્યા’ તથા તેજસ્, પદ્મ અને શુક્લ – આ દ્વિતીય ત્રિકને ‘ધર્મ-લેશ્યા’ કહેવામાં આવેલ છે. (શ્લો. ૫૬-૫૭) અધ્યયનના આરંભમાં છયે લેશ્યાઓને ‘કર્મ-લેશ્યા' કહેવામાં આવેલ છે. (શ્લો. ૧) આણવિક-આભા કર્મ-લેશ્યાનું જ નામાંતર છે. આઠ કર્મોમાં છઠ્ઠું કર્મ નામ છે. તેનો સંબંધ શરીર-રચના સંબંધી પુદ્ગલો સાથે છે. તેની એક પ્રકૃતિ શરીર-નામકર્મ છે. શરીર-નામકર્મનાં પુદ્ગલોનો જ એક વર્ગ ‘કર્મ-લેશ્યા’ કહેવાય છે. લેશ્યાની અનેક પરિભાષાઓ મળે છે, જેમ કે ૧. ર. ૩. ૪. ૫. ૧. યોગ-પરિણામ.૭ ૨. કષાયોદયરંજિત યોગ-પ્રવૃત્તિ. ૩. કર્મ-નિસ્યન્દ.૯ ૪. કાર્મણ શરીરની માફક કર્મ-વર્ગણા નિષ્પન્ન કર્મ-દ્રવ્ય ૧૦ उत्तराध्ययन निर्युक्ति, गाथा ५४१ : अहिगारो कम्मતેસામ્ । बृहद्वृत्ति, पत्र ६५० : लेश्याति - श्लैषयतीवात्मनि जननयनानीति लेश्या - अतीव चक्षुराक्षपिका स्निग्धदीप्तरूपा छाया । मूलाराधना, ७। १९०७ : जह बाहिरलेस्साओ, किण्हादीओ हवंति पुरिसस्स । अब्भन्तरलेस्साओ, तह किण्हादीय पुरिसस्स ॥ (ક) ગોમ્પટમાર, નીવાંડ, ગાથા ૪૬૪ : aणोदयेण जणिदो सरीरवण्णो दु दव्वओ लेस्सा। सा सोढा किण्हादी अणेयभेया सभेयेण ॥ (ખ) ઉત્તરાધ્યયન નિયંત્તિ, ગાથા ૨૩૨ ૫ उत्तराध्ययननियुक्ति, गाथा ५४० : Jain Education International ૬. ૭. ૮. दुविहा उ भावलेसा विसुद्धलेसा तहेव अविसुद्धा । दुविहा विसुद्धलेसा, उवसमखड़आ कसायाणं ॥ बृहद्वृत्ति, पत्र ६५० : इह च कर्मद्रव्यलेश्येति सामान्याभिधानेपि शरीरनामकर्मद्रव्याण्येव कर्मद्रव्यતેવા । એજન, પત્ર ૬૦ : વડુ પ્રજ્ઞાપનાવૃત્તિતાयोगपरिणामो लेश्या... । ૯. ગોમટસાર, નીવાંડ, ગાથા ૪૧૦ : जोगपत्ती लेस्सा कसायउदयानुरंजिया होड़ । बृहद्वृत्ति, पत्र ६५० : गुरुवस्तु व्याचक्षते - कर्मनिस्यन्दो તેવા ૧૦. એજન, પત્ર ૬ ૧ : અન્ય વાદુ:—ાર્મળગીરવત્ પૃથોવ कर्माष्टकात् कर्मवर्गणानिष्पन्नानि कर्मलेश्याद्रव्याणीति, तत्त्वं तु पुनः केवलिनो विदन्ति । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy