________________
ઉત્તરઝયણાણિ
૮૫૦
અધ્યયન-૩૩ : આમુખ
કષાય મોહનીય ૧૬ પ્રકારનું છે
અનન્તાનુબંધી ચતુષ્ક – ક્રોધ, માન, માયા, લોભ. અપ્રત્યાખ્યાન ચતુષ્ક – ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાન ચતુષ્ક – ક્રોધ, માન, માયા, લોભ.
સંજવલન ચતુષ્ક – ક્રોધ, માન, માયા, લોભ. નો-કષાય મોહનીય ૯ પ્રકારનું છે –
હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, પુંવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. ૫. આયુષ્ય ચાર પ્રકારનું છે – નૈરયિક આયુ, તિર્યમ્ આયુ, મનુષ્ય આયુ અને દેવઆયુ. ૬. નામ બે પ્રકારનું છે – શુભ અને અશુભ. આ બન્નેના અનેક અવાજોર ભેદો છે. ૭. ગોત્ર બે પ્રકારનું છે - ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્ર-કર્મના આઠ ભેદ છે –
(૧) પ્રશસ્ત જાતિ, (૫) પ્રશસ્ત તપસ્યા, (૨) પ્રશસ્ત કુળ,
(૬) પ્રશસ્ત શ્રુત(જ્ઞાન), (૩) પ્રશસ્ત બળ, (૭) પ્રશસ્ત લાભ,
(૪) પ્રશસ્ત રૂપ, (૮) પ્રશસ્ત ઐશ્વર્ય. નીચ ગોત્ર-કર્મના આઠ ભેદ છે –
(૧) અપ્રશસ્ત જાતિ, (૫) અપ્રશસ્ત તપસ્યા, (૨) અપ્રશસ્ત કુળ, (૬) અપ્રશસ્ત શ્રુત(જ્ઞાન), (૩) અપ્રશસ્ત બળ, (૭) અપ્રશસ્ત લાભ, (૪) અપ્રશસ્ત રૂપ,
(૮) અપ્રશસ્ત ઐશ્વર્ય. ૮. અંતરાય-કર્મ પાંચ પ્રકારનું છે – દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય. ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય. ૧. કર્મોની પ્રકૃતિ
કર્મની મૂળ પ્રકૃતિઓ ઉપર્યુક્ત આઠ જ છે. બાકીની બધી તેમની ઉત્તર પ્રવૃતિઓ છે. તેમનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના (પદ ૨૩)માં છે. ૨. કર્મોની સ્થિતિ–
પ્રત્યેક કર્મની સ્થિતિ હોય છે. સ્થિતિ-કાળ પૂર્ણ થતાં તે કર્મ નષ્ટ થઈ જાય છે. કેટલાક નિમિત્તોમાં સ્થિતિ જનૂ કે અધિક પણ થાય છે. (૧) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ ક્રોડાકોડ સાગર અને જઘન્ય સ્થિતિ
અન્તર્મુહૂર્તની છે. (૨) મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાક્રોડ સાગર તથા જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. (૩) આયુ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગર તથા જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. (૪) નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ ક્રોડાકોડ સાગર તથા જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org