SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ-પરાક્રમ ઉત્તરાધ્યયન (૩) પ્રકટ-લિંગ (૪) પ્રશસ્ત-લિંગ (૫) વિશુદ્ધ-સમ્યક્ત્વ (૬) સમાપ્ત-સત્ત્વ-સમિતિ (૭) સર્વપ્રાણભૂત-જીવ-સત્ત્વોમાં વિશ્વસનીય રૂપ ૪૩ ૧. मूलाराधना, २ । ८६ । ર. એજન, ૨૪૭૭ । ૩. એજન, ૨૫૮૨ । ૪. એજન, ૨૪૮૯ । ૫. ૬. મૂલારાધના નગ્નતા-પ્રાપ્ત.' પ્રશસ્ત-લિંગ (અચેલકતા તેના માટે વિહિત છે જેનું લિંગ પ્રશસ્ત છે). રાગાદિ દોષ-પરિહરણ.૩ વીર્યાચાર.૪ વિશ્વાસકારી રૂપ.પ (૮) અપ્રતિલેખ (૯) જિતેન્દ્રિય (૧૦) વિપુલતપઃસમિતિ-સમન્વાગત ઉપરોક્ત તુલનાથી પ્રતિરૂપતાનો અર્થ ‘અચેલતા’ જ પ્રમાણિત થાય છે. અચેલને સચેલની અપેક્ષાએ બહુ અપ્રમત્ત રહેવાનું હોય છે. તેની પાસે વિકારને છુપાવવાનું કોઈ સાધન હોતું નથી. જે અચેલ હોય છે, તેમનું લિંગ સહજપણે જ પ્રગટ હોય છે. અચેલ તેણે જ થવું જોઈએ, જેનું લિંગ પ્રશસ્ત હોય—વિકૃત વગેરે ન હોય. અચેલ વ્યક્તિનું સમ્યક્ત્વ– દેહ અને આત્માનું ભેદજ્ઞાન— વિશુદ્ધ હોય છે. સમાપ્ત-સત્ત્વ-સમિતિ – અર્ચલ સત્ત્વ પ્રાપ્ત હોય છે અર્થાત્ અભય હોય છે. આની તુલના મૂલારાધના (૨૪૮૩)માં ‘ગત-ભયત્વ’ શબ્દ સાથે પણ કરી શકાય છે. સમિતિનો અર્થ ‘વિવિધ પ્રકારનાં આસન કરનાર’ થઈ શકે છે. અચેલની નિર્વિકારતા પ્રશસ્ત હોય છે, એટલા માટે તે સહુનો વિશ્વાસપાત્ર હોય છે. અપ્રતિલેખન અચેલતાનું સ્વાભાવિક પરિણામ છે. અચેલતાથી જિતેન્દ્રિય બનવાની પ્રબળ પ્રેરણા મળે છે. અચેલ હોવું તે એક પ્રકારનું તપ છે. નગ્નતા, ઠંડી, ગરમી, દેશ-મશક – આ પરીષહો સચેલની અપેક્ષાએ અચેલને અધિક સહન કરવાના હોય છે; એટલા માટે તેનું તપ વિપુલ હોય છે. આ રીતે સમગ્ર પદોમાં એક શૃંખલા છે. તેનાથી અચેલકતા સાથે તેની કડી જોડાઈ જાય છે. અહી મૂલારાધના (૨।૭૭થી ૮૬ સુધી)ની ગાથાઓ અને તેમની વિજયોદયા વૃત્તિ મનનીય છે. એજન, ૨૪૮૪ । એજન, ૨૫૮૩ । Jain Education International .અપ્રતિલેખન. સર્વ-સમિત-કરણ (ઇન્દ્રિય) પરીષહ-સહનઃ સ્થાનાંગમાં પાંચ કારણોસર અચેલકને પ્રશસ્ત કહેલ છે—(૧) અલ્પ પ્રતિલેખન, (૨) પ્રશસ્ત લાઘવ, (૩) વૈશ્વાસિક રૂપ, (૪) અનુજ્ઞાત તપ અને (૫) મહાન ઇન્દ્રિય-નિગ્રહ. આ પાંચેય કારણો પ્રતિરૂપતાનાં પરિણામોમાં આવ્યાં છે. આથી પ્રતિરૂપતાનો અર્થ ‘અચેલકતા’ ક૨વા માટે ઘણો મોટો આધાર મળે છે. ૫૫. (સૂત્ર ૪૪) તીર્થંકર-પદ-પ્રાપ્તિના વીસ હેતુઓ બતાવવામાં આવ્યા છે. તેમાં એક વૈયાવૃત્ત્વ— સેવા પણ છે. સાધુ-સંતોની સેવ કરવી તે મહાન નિર્જરાનો હેતુ છે. તેની સાથે પુણ્યનો પણ પ્રકૃષ્ટ બંધ થાય છે. એટલા માટે તેનું ફળ તીર્થંકર નામ-ગોત્રનો બં બતાવવામાં આવેલ છે. અધ્યયન-૨૯ : ટિપ્પણ ૫૫ ૭. ૮. ૯. એજન, ર।૮૬ । એજન, ર । ૮× । ठाणं ५ | २०१ : पंचाहिँ ठाणेहिं अचेल पसत्थे भवति, तं जहा अप्पा पडिलेहा, लाघविए पसत्थे, रूवे वेसासिए, तवे अणुण्णाते विउले इंदियनिग्गहे । ૧૦. નાયાધમ્માઓ ૮ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy