SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત-પરાક્રમ ૭૪૧ અધ્યયન-૨૯: ટિપ્પણ પર-૫૪ સહાય-પ્રત્યાખ્યાનનું જે વિધાન છે, તે એક વિશેષ સાધના છે. તેનો સ્વીકાર કરવા પાછળ બે પ્રકારનું માનસ હોઈ શકે છે. એક છે કે જે પોતાના પરાક્રમથી જ પોતાની જીવનચર્યાને નિર્વાહ કરવા ઈચ્છે છે, બીજા સહાયકનો સહારો લેવા નથી ઈચ્છતો–પરાવલંબી બનવા નથી ઈચ્છતો. બીજો તે જે સામુદાયિક જીવનના ઝંઝાવાતોમાં પોતાની સમાધિને સુરક્ષિત નથી સમજતો. સામુદાયિક જીવનમાં કલહ, ક્રોધ વગેરે કષાય અને હુંસાતુંસી–થોડોક અપરાધ થતાં જ ‘તેં પહેલાં પણ આવું કર્યું હતું, તું હંમેશા આવું જ કરે છે’, આવી રીતે વારંવાર ટોકવું–આ બધું થઈ જાય છે. સાધુએ આમ નહિ કરવું જોઈએ, છતાં પણ પ્રમાદવશ તે આવું કરી નાખે છે. આ સ્થિતિમાં માનસિક અસમાધિ પેદા થાય છે. જે મુનિ સંઘમાં રહેવા છતાં પણ સ્વાવલંબી થઈ જાય છે, કોઈ પણ કાર્ય માટે બીજા પર આધાર રાખતો નથી, તે સમુદાયમાં રહેવા છતાં પણ એકલાનું જીવન જીવે છે. તેને કલહ, ક્રોધ વગેરે કષાયો અને હુંસાતુંસી વગેરેથી સહજપણે જ મુક્તિ મળી જાય છે. તેનાથી સંયમ અને સંવર વધે છે. માનસિક સમાધિ અભંગ બની જાય છે. સામુદાયિક જીવનમાં રહેવા છતાં પણ એકલા રહેવાની સાધના ઘણી મોટી સાધના છે. પર. ભક્ત-પ્રત્યાખ્યાનથી (બપāgor) ભક્ત-પ્રત્યાખ્યાન આમરણ-અનશનનો એક પ્રકાર છે. આનું પરિણામ જન્મપરંપરાનું અલ્પીકરણ છે. તેનો હેતુ આહારત્યાગનો દઢ અધ્યવસાય છે. દેહનો આધાર આહાર અને આહાર-વિષયક આસક્તિ છે. આહારની આસક્તિ અને આહારબંનેના ત્યાગથી માત્ર દેહનાં જ નહિ, પરંતુ સૂક્ષ્મ દેહનાં પણ બંધનો શિથિલ થઈ જાય છે. પરિણામે સહજરૂપે જ જન્મમરણની પરંપરા અલ્પ થઈ જાય છે. ૫૩. સદ્ભાવ-પ્રત્યાખ્યાનથી (દિમાવપષ્યવસ્થાનેvi) સદ્દભાવ-પ્રત્યાખ્યાનનો અર્થ ‘પરમાર્થરૂપમાં થનારું પ્રત્યાખ્યાન' છે. આ અવસ્થાને પૂર્ણ સંવર અથવા શૈલેશી–જે ચૌદમા ગુણસ્થાનમાં અયોગી કેવળીને થાય છે – કહેવાય છે. આનાથી પૂર્વવર્તી સર્વ પ્રત્યાખ્યાનો એટલા માટે અપૂર્ણ હોય છે કે તેમાં વધુ પ્રત્યાખ્યાન કરવાની આવશ્યકતા બાકી રહે છે. આ ભૂમિકામાં પરિપૂર્ણ પ્રત્યાખ્યાન થાય છે. તેમાં પછી બીજા કોઈ પ્રત્યાખ્યાનની અપેક્ષા રહેતી નથી. એટલા માટે આને ‘પારમાર્થિક પ્રત્યાખ્યાન' કહેવામાં આવેલ છે. આ ભૂમિકાએ પહોચેલ આત્માનો ફરી આગ્નવ, પ્રવૃત્તિ કે બંધનની ભૂમિકામાં પ્રવેશ થતો નથી, એટલા માટે તેના પરિણામને “અનિવૃત્તિ કહેલ છે. “અનિવૃત્તિ' અર્થાત્ જે સ્થિતિમાં નિવર્તન હોતું નથી–પાછા ફરવું પડતું નથી. આ શુક્લ-ધ્યાનનું ચતુર્થ ચરણ છે. આ અનિવૃત્તિ ધ્યાનની દશામાં કેવલીનાં જે ચાર અઘાતી કર્મો વિદ્યમાન રહે છે, તે ક્ષીણ થઈ જાય છે–આવો વાર વHિસે ઉડ્ડ'નો ભાવાર્થ છે. “નિHસૈ' શબ્દનો પ્રયોગ આ સુત્ર ઉપરાંત અઠ્ઠાવનમાં અને એકસઠમા સૂત્રમાં પણ થયો છે. ‘મૅસે’ શબ્દ એકોતેરમા અને બોતેરમા સૂત્રમાં પ્રયોજાયો છે. “Hસ'માં જે ‘યંસ' શબ્દ છે, તેનો અર્થ કર્મગ્રંથની પરિભાષા અનુસાર “સત્—વિદ્યમાન છે. ૫૪. (સૂત્ર ૪૩) શાન્તાચાર્ય અનુસાર પ્રતિરૂપ' તે હોય છે, જેનો વેષ સ્થવિર-કલ્પિક મુનિ જેવો હોય અને પ્રતિરૂપતા'નો અર્થ છે ‘અધિક ઉપકરણોનો ત્યાગ'.” આ સૂત્રમાં અપ્રમત્ત, પ્રકટ-લિંગ, પ્રશસ્ત-લિંગ, વિશુદ્ધ-સમ્યક્ત, સમાપ્ત-સત્ત્વ-સમિતિ, ૧. વૃત્તિ , પત્ર ૧૮૧ : તથવિચઢાધ્યવસાયતયા ૪. એજન, પત્ર ૧૮૨ : “Hસ' રિ fuથવसंसाराल्पत्वापादनात् । परिभाषयाशशब्दस्य सत्पर्यायत्वात् सत्कर्माणि बृहद्वृत्ति, पत्र ५८९ : तत्र सद्भावेन-सर्वथा पुन:- केवलिसत्कर्माणि-भवोपग्राहिणि क्षपयति । करणासंभवात्परमार्थेन प्रत्याख्यानं सद्भावप्रत्याख्यानं એજન, પુત્ર ૫૮૧ : પ્રતિ –ી , તતઃ પ્રતીતિसर्वसंवररूपा शैलेशीति यावत् । स्थविरकल्पिकादिसदृशं रूपं-वेषो यस्य स तथा तद्भावस्तत्ता એજન, પન્ન ૧૮૧ : ૧ વિદતે નિવૃત્તિઃ-મુHિપ્રાપ્ય तया-अधिकोपकरणपरिहाररूपया । निवर्त्तनं यस्मिंस्तद् अनिवृत्ति शुक्लध्यानं चतुर्थभेदरूपं जनयति। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy