SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ-ગતિ ૬૬૯ અધ્યયન-૨૮: ટિ. ૩ ‘આભિનિબોધિકજ્ઞાન' મતિજ્ઞાનનું જ પર્યાયવાચી છે. નંદીસૂત્રમાં બંને શબ્દોનો પ્રયોગ થયો છે. અનુયોગદ્વારમાં માત્ર ‘આભિનિબોધિક'નો જ પ્રયોગ છે. નંદીમાં ઈહા, અપોહ, વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ અને પ્રજ્ઞાને આભિનિબોવિક જ્ઞાન માનેલ છે. તત્ત્વાર્થ (૧૧૩)માં મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને આભિનિબોધને એકાર્થક માનવામાં આવેલ છે. મતિ અને શ્રુત અન્યોન્યાશ્રિત છે–સ્થાપવોદિયના તત્થ સુચના, નસ્થ સુવના તથા માવદિયના – જયાં મતિ છે, ત્યાં શ્રત છે અને જ્યાં શ્રુત છે, ત્યાં મતિ છે. શ્રુતજ્ઞાન મતિ પૂર્વક જ હોય છે, પરંતુ મતિજ્ઞાન શ્રત-પૂર્વક નથી હોતું. સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિકમાં પણ આ જ મતનું સમર્થન છે. શ્રુતજ્ઞાન મતિ-પૂર્વક જ હોય છે, જ્યારે મતિજ્ઞાનને માટે એ આવશ્યક નથી કે તે શ્રુત-પૂર્વક જ હોય.” જિનભદ્ર કહે છે કે જે જ્ઞાન શ્રુતાનુસારી છે, તે ભાવ-શ્રત છે, બાકીના મતિ છે. મતિજ્ઞાન બે પ્રકારનું છે–(૧) શ્રુત-નિશ્રિત અને (૨) અશ્રુત-નિશ્રિત.” શ્રુત-નિશ્રિતના ચાર ભેદ છે–(૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અવાય અને (૪) ધારણા. તેમને સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ કહેવામાં આવેલ છે.૧૦ અશ્રુત-નિશ્રિતના ચાર ભેદ છે–(૧) ઔત્પત્તિકી, (૨) વૈનચિકી, (૩) કર્મજા અને (૪) પારિણામિકી.૧૧ પાંચ ઈન્દ્રિય અને મનની સાથે અવગ્રહ વગેરેનું ગુણન કરવાથી મતિજ્ઞાન ૨૮ પ્રકારનું હોય છે. ચહ્યું અને મનનો વ્યંજનાવગ્રહ નથી હોતો. તાલિકા આ પ્રમાણે બને છે : આભિનિબોધિક (મતિ) જ્ઞાન શ્રુત-નિશ્ચિત અશ્રુત-નિશ્રિત અવગ્રહ ઈહા અવાય ધારણા ઔત્પત્તિકી વનયિકી કર્મજા પરિણામિકી T અર્થાવગ્રહ૩ વ્યંજનાવગ્રહ ૧. ૨. શ્રોત્ર પ્રાણ રસ સ્પર્શ નન્દી, સૂત્ર રૂપ, રૂદ્દ ! એજન, સૂત્ર ૧૪, માથા ૬ : .ईहा अपोह वीमंसा, मग्गणा य गवेसणा। सण्णा सई मई पण्णा, सव्वं आभिणिबोहियं ।। એજન, સૂત્ર રૂપ ! એજન, સૂત્ર રૂ . સર્વાર્થસિદ્ધિ, ૨ા ૨૦ : તત્ત્વાર્થ રાનવર્તિા, ૧ | तत्त्वार्थ सूत्र १।३१ भाष्य ; श्रुतज्ञानस्य मतिज्ञानेन नियतः सहभावः तत्पूर्वकत्वात् । यस्य श्रुतज्ञानं तस्य नियतं मतिज्ञानं, यस्य तु मतिज्ञानं तस्य श्रुतज्ञानं स्याद् वा न विशेषावश्यकभाष्य, गाथा १००: इंदिय मणो निमित्तं, जं विण्णाणं सुयाणुसारेण । निययत्थुतिसमत्थं, तं भावसुयं मई इयरा ।। ૮. નન્ય, સૂત્ર રૂ૭ | ૯. એજન, સૂત્ર રૂ . ૧૦. નૈન તમાપા, પૃ. ૨ા ૧૧. નન્દી, સૂત્ર ૩૮૫ ૧૨. એજન, મૂત્ર ૪૦-૪રા ૧૩. પ્રત્યેકના શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસ, સ્પર્શ અને નોઈન્દ્રિય (મન)ના છ ભેદ છે. વિા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy