SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૬૫૮ અધ્યયન-૨૭: ટિ, ૨૦-૨૫ ૨૦. (નિરંવંતિ) આનો તાત્પર્યાર્થ સમજાવતાં શાન્તાચાર્યે લખ્યું છે કે આદેશ અનુસાર કાર્ય ન થતાં ગુરુ પોતાના શિષ્યને તેનું કારણ પૂછે છે ત્યારે શિષ્ય કહે છે-“આપ અમને આ કાર્ય માટે ક્યારે કહ્યું હતું ?' અથવા તે એમ જ કહી દે છે–“અમે ત્યાં ગયા હતા પરંતુ તે ત્યાં ન મળી.” આ અપલાપ છે.૧ ડૉ. હર્મન જેકોબીએ આ અર્થ માન્ય કર્યો નથી. તેમના મત અનુસાર આનો અર્થ છે ‘આદેશ અનુસાર કાર્ય નથી કર્યું જે મૂળ ધાતુ તરફ નજર નાખતાં ‘રિવું વ’નો અર્થ માયાપૂર્ણ પ્રયોગ અથવા અપલાપ જ હોવો જોઈએ. ૨૧. રાજાની વેઠ (રાથ)િ યટ્ટિનો અર્થ છે “રાજાની વેઠ'. રાજસ્થાન અને ગુજરાતમાં તેને ‘વેઠ' કહે છે. (વિષ્ટિ વેટ્ટિ વે) આ દેશી શબ્દ છે. દેશીનામમાલામાં તેનો અર્થ ‘ષણ' કરવામાં આવ્યો છે. * ઉપદેશરત્નાકર (દર ૧૧)માં તેનો અર્થ “વેઠ” કરાયો છે. પ્રાચીન સમયમાં આવી પરંપરા હતી કે રાજા કે જમીનદાર ગામના દરેક વ્યક્તિ પાસે પારિશ્રમિક આપ્યા વિના જ કામ કરાવતા. વારાફરતી દરેક કાર્ય કરવું પડતું. આ શબ્દ તે વાતનો સંકેત કરે છે. ડૉ. હર્મન જેકોબી વિટ્ટનો અર્થ ‘ભાડું કરે છે.... પરંતુ અહીં આ અર્થ યોગ્ય નથી. ૨૨. ખિન્ન થઈને (IIT) સમોના અર્થ માટે નેમિચન્દ્રનો મત શાન્તાચાર્યથી જુદો છે. શાજ્યાચાર્યે ‘સમાત’નો અર્થ ‘શ્રાતિ' (શ્રમપ્રાપ્ત) કર્યો છે અને નેમિચન્દ્ર તેનો અર્થ ‘સંયુ' કર્યો છે.” ૨૩. સારથિ (આચાર્ય) (સારી) આનો શાબ્દિક અર્થ છે–સારથિ, રથ ચલાવનાર. પરંતુ પ્રસંગોપાત્ત આનો લાક્ષણિક પ્રયોગ થયો છે. અહીં આનો અર્થ છે–આચાર્ય. જેવી રીતે સારથિ ઉત્પથગામી અથવા માર્ગથ્થુત બળદ કે ઘોડાને યોગ્ય માર્ગ ઉપર લાવી મૂકે છે, તેવી જ રીતે આચાર્ય પણ પોતાના શિષ્યને માર્ગ પર લાવી મૂકે છે.' ૨૪. ગળિયો ગર્દભ (નિદ્રા). નિ' દેશી શબ્દ છે. તેનો અર્થ છે–અવિનીત, દુષ્ટ. અહીં ગદંભની ઉપમા અત્યંત કુત્સા દર્શાવવા માટે છે. ગધેડો સ્વભાવિક પણે જ આળસુ હોય છે. તેને નિરંતર પ્રેરિત કરાય તો જ તે કાર્યમાં પ્રવૃત્ત થાય છે. તેને પ્રેરિત કરવામાં જ સઘળો સમય વીતી જાય છે. એટલા માટે ગર્ગાચાર્યે વિચાર્યું, મારા બધા શિષ્યો ગલિગર્દભની માફક અવિનીત અને આળસુ છે. હવે મારે તેમને છોડી પોતાનું હિત સાધન કરવું જોઈએ. ૨૫. મૃદુ અને માર્દવ (f૩મેદવ) વૃત્તિમાં મૂદુનો અર્થ છે–બાહ્ય વિનય અને માર્દવનો અર્થ છે–આંતરિક વિનય. ૧. વૃદત્ત, પન્ન પુરૂ: ‘નર્વત્તિ' ત્તિ તwથી નનાનપ્પાને ૪. તેનામમાતા, ૨ / ઝરૂ, પૃ. ૨૬ . વૃષ્ટી: સન્તોડવવન્ત–વ વયમુI: ? જતા વા તત્ર વયે, ન ૫. The Sacred Books of the East, Vol. XLV, त्वसौ दृष्टेति। Uttaradhyayana, p. 151, Foot Note No.3. The Sacred Books of the East, Vol. XLV, E. बृहद्वृत्ति, पत्र ५५३ : श्रम-खेदमागतः-प्राप्तः श्रमागतः । Uttaradhyayana, p. 151. ૭. સુવવધા, પત્ર ૨૭: સમાતા:-સંયુI:I बृहद्वृत्ति, पत्र ५५३ : 'राजवेष्टिमिव' नृपतिहठप्रवर्तित ૮. बृहद्वृत्ति, पत्र ५५३। कृत्यमिव । વૃત્તિ , પત્ર પ૬૪: કૃ-હિન્યા વિનયવાન, માવું अन्तःकरणतोपि तादृगेव। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy