SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી ૬૪૩ અધ્યયન-૨૬ઃ ટિ.૧૯-૨૦ ૧૯. (શ્લોક ૩૦) પ્રસ્તુત શ્લોકનું પ્રતિપાદ્ય છે કે જે મુનિ પ્રતિલેખનામાં પ્રમત્ત હોય છે તે છ જવનિકાયોનો વિરાધક હોય છે. વૃત્તિકારે આની સંગતિ એવી રીતે બેસાડી છે–કોઈ મુનિ કુંભકાર શાળામાં ઊતર્યા છે. તે ધર્મકથામાં સંલગ્ન છે. તે પોતે અધ્યયનરત છે કે બીજાઓને અધ્યાપન કરાવી રહ્યા છે અને સાથે-સાથે જ પ્રતિલેખન પણ કરી રહ્યા છે. તેમની અન્યમનસ્કતાને કારણે કુંભકાર શાળામાં પડેલો પાણીથી ભરેલો ઘડો ઢોળાઈ જાય છે. તે પાણીના પ્રવાહમાં માટી, અગ્નિ વગેરેના જીવોનું તથા બીજ, કુંથુ વગેરેનું પ્લાન થઈ શકે છે. તેનાથી તે જીવોની વિરાધના થાય છે. જયાં અગ્નિનો સમારંભ હોય છે ત્યાં વાયુ અવયંભાવી છે. આ રીતે છએ જીવનિકાયોની વિરાધના થાય છે. તે મુનિ પ્રમાદયુક્ત હોવાને કારણે ભાવનાત્મક રૂપથી પણ વિરાધક જ છે." પ્રતિલેખનાનો ઉદેશ્ય છે–અહિંસાની આરાધના. તે સમયે પરસ્પર સંલાપ વગેરે કરવો તે પ્રતિલેખના પ્રત્યે પ્રમાદયુક્ત આચરણ છે. અચાવીસમા શ્લોક અનુસાર પ્રતિલેખનાના આઠ વિકલ્પ હોય છે. તેમાં પહેલો પ્રશસ્ત છે, બાકીના બધા અપ્રશસ્ત s (૧) ન્યૂન નથી અતિરિક્ત નથી વિપર્યાસ નથી પ્રશસ્ત (૨) ન્યુન નથી અતિરિક્ત નથી વિપર્યા છે અપ્રશસ્ત (૩) જૂન નથી અતિરિક્ત છે વિપર્યાસ નથી અપ્રશસ્ત અતિરિક્ત છે વિપર્યાસ છે અપ્રશસ્ત અતિરિક્ત નથી વિપર્યાસ નથી અપ્રશસ્ત (૬) જૂન છે અતિરિક્ત નથી વિપર્યાસ છે. અપ્રશસ્ત (૭) જૂન છે અતિરિક્ત છે વિપર્યાસ નથી અપ્રશિસ્ત અતિરિક્ત છે વિપર્યાસ છે અપ્રશસ્ત ૨૦. (શ્લોક ૩૨). આ શ્લોકમાં છ કારણોસર મુનિએ આહાર કરવો જોઈએ એમ કહેવામાં આવ્યું છે– ૧. સુધાની વેદના ઉત્પન્ન થતાં. ૪. સંયમયાત્રાના નિર્વાહ માટે. ૨. વૈયાવૃજ્ય માટે. ૫. અહિંસા માટે. ૩. ઈર્યાપથના શોધન માટે. ૬. ધર્મચિંતન માટે, સરખાવો-ઠાણે, ૬ ૪૧. મૂલાચારમાં ત્રીજા કારણ ‘રિયડ્રાઈ'ના સ્થાને “જિરિયU' પાઠ મળે છે. તેનો અર્થ ‘ક્રિયાને માટે ષડાવશ્યક વગેરે ક્રિયાનું પ્રતિલાપન કરવા માટે’ કરવામાં આવ્યો છે.' ૧, વૃત્તિ , પત્ર ૧૪૨ ૩ ૨. એજન, પત્ર ૪૨T ૩. પૂનાવાર, ૬ / ૬૦: वेयणवेज्जावच्चे किरियाठाणं य संजमट्ठाए। तध पाणधम्मचिंता कुज्जा एदेहिं आहारं ।। ૪. એજન, ૬ / ૬૦ : વૃત્તિ: શિયાઈ પટ્ટાવકથા " भोजनमन्तरेण न प्रवर्तन्ते इति ताः प्रतिपालयामीति भुक्ते। For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy