SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ચંપા નગરીમાં (ચંપા) આ અંગ જનપદની રાજધાની હતી. વર્તમાન સમયે તેની ઓળખાણ ભાગલપુરથી ૨૪ માઈલ પૂર્વમાં આવેલ આધુનિક ‘ચંપાપુર’ અને ‘ચંપા નગર' નામે બે ગામો વડે આપવામાં આવે છે. વિશેષ વિવરણ માટે જુઓ—પરિશિષ્ટ ૧, ભૌગોલિક પરિચય. ૨. શ્રાવક (સાવા) ભગવાન મહાવીરનો સંધ ચાર ભાગોમાં વહેંચાયેલો હતો—શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા. ભગવાને બે પ્રકારનો ધર્મ બતાવ્યો—અગાર-ચારિત્ર-ધર્મ અને અનગાર-ચારિત્ર-ધર્મ. જે અગાર-ચારિત્ર-ધર્મનું પાલન કરે છે તે શ્રાવક કે શ્રમણોપાસક કહેવાય છે. ૩. કોવિદ (વિજ્રોવિ”) ઘણા બધા શ્રાવકો પણ નિગ્રંથ-પ્રવચનના વિદ્વાનો બનતા. ઔપપાતિક સૂત્રમાં શ્રાવકોને લબ્ધાર્થ, પૃષ્ટાર્થ, ગૃહીતાર્થ વગેરે કહેવામાં આવ્યા છે.′ રાજીમતી માટે પણ ‘બહુશ્રુત' વિશેષણ પ્રયોજાયું છે. ૪. પોત-વહાણ વડે વેપાર કરતો (પોળ વવજ્ઞતે) ટિપ્પણ અધ્યયન ૨૧ : સમુદ્રપાલીય ભારતમાં નૌકા-વ્યાપાર કરવાની પરંપરા ઘણી પ્રાચીન છે. ઋગ્વેદ (૧।૨૫/૭; ૧૦૪૮૦૩; ૧૦ ૫૬૬ ૨; ૧૦ ૧૧૬૬ ૩; ૨ા ૪૮ । ૩; ૭ા ૮૮ ૩-૪)માં સમુદ્રમાં ચાલનારી નૌકાઓનો ઉલ્લેખ આવે છે તથા ભુછ્યુનાવિકના બહુ દૂર ચાલ્યા જવાથી માર્ગ ભૂલી જવાનું અને પૂષાની સ્તુતિ કરવાથી સુરક્ષિત પાછા આવવાનું વર્ણન છે. પછડાર જાતક (૨)૧૨૮, ૫/૭૫)માં એવા જહાજોનો ઉલ્લેખ છે કે જેમાં લગભગ પાંચસો વ્યાપારીઓ મુસાફરી કરી રહ્યા હતા; કે જે ડૂબી ગયા. વિનય-પિટકમાં પૂર્ણ નામે એક ભારતીય વ્યાપારીએ છ વાર સમુદ્ર-યાત્રા કર્યાનું વર્ણન છે. સંયુક્તનિકાય (૨૧૧૫, ૫૫૧) તથા અંગુત્તર-નિકાય (૪૨૭)માં છ-છ મહિના સુધી વહાણ દ્વારા કરવામાં આવતી સમુદ્રયાત્રાનું વર્ણન છે. દીધ-નિકાય (૧।૨૨૨)માં વર્ણન આવે છે કે દૂર-દૂર દેશો સુધી સમુદ્ર-યાત્રા કરનારા વ્યાપારીઓ પોતાની સાથે પક્ષીઓ રાખતા હતા. જ્યારે વહાણ સ્થળથી ખૂબ દૂર-દૂર પહોંચી જતું અને ભૂમિના કોઈ ચિહ્નો નજરે પડતા નહિ ત્યારે તે પક્ષીઓને છોડી દેવામાં આવતાં હતાં. જો ભૂમિ નજીક જ હોય તો તે પક્ષીઓ પાછા ફરતા નહિ,નહિ તો થોડી વાર સુધી આમ-તેમ ઊડી ફરી પાછા આવી જતાં. આવશ્યક નિર્યુક્તિ અનુસાર વહાણોનું નિર્માણ ભગવાન ઋષભના સમયમાં થયું હતું.” જૈન-સાહિત્યમાં ‘જલપત્તન’ના અનેક ઉલ્લેખો મળે છે. ત્યાં નૌકાઓ વડે માલ આવતો. ૧. ठाणं, ४। ६०५ : चडव्विहे संघे पं० तं०—समणा समणीओ सावया सावियाओ । એજન, ર। ૧૦૧ : વરિત્તધર્મો સુવિષે i iअगारचरितम्मे चेव अणगारचरित्तधम्मे चेव । ર. ૩. बृहद्वृत्ति, पत्र ४२८ 'नैर्ग्रन्थे' निर्गन्थसम्बन्धिनि 'पावयणे' त्ति प्रवचने श्रावकः सः इति पालितो विशेषेण कोविदः - पंडितो विकोविदः । Jain Education International ૪. ૫. ૬. ૭. ओवाइयं, सूत्र १२० । उत्तरज्झयणाणि, २२ । ३२ : सीलवंता बहुस्सुया । आवश्यक निर्युक्ति, २१४ : पोता तह सागरंमि वहणाई । (ક) બૃહત્વ માળ, માગ ૨, પૃ. ૩૪૨ (ખ) આવારાંશ વૃત્તિ, પૃ. ૨૮૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy