SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ મહા-નિગ્રન્થીય અધ્યયન ૨૦: શ્લોક ૨૧-૨૩ ટિ ૧૨-૧૫ પ્રસ્તુત પ્રસંગમાં ડૉ. હરમન જેકોબીનો આ અર્થ યોગ્ય જણાતો નથી. ‘પુરાનપુરથી’ એ કૌશામ્બીનું વિશેષણ છે અને તે તેની પ્રધાનતાનું સૂચકમાત્ર છે. ૧૨. અન્નશ્ચેતના (અંતરિચ્છે) ‘અંતષ્ઠિ’ શબ્દનાં બે સંસ્કૃત રૂપો બને છે—‘અરે ં’ અને ‘બન્તરિક્ષમ્’. વૃત્તિકારે ‘અંતરેŌ’ શબ્દ માનીને તેનો અર્થ મધ્યવર્તી ઈચ્છા એવો કર્યો છે.૧ પ્રસ્તુત સંદર્ભમાં ‘અંતરિક્ષ’ શબ્દ વધુ સંગત જણાય છે. તેનો અર્થ છે—અંતઃશ્ચેતના ૧૩. (શ્લોક ૨૨) પ્રાચીનકાળમાં ચિકિત્સાની મુખ્યત્વે બે પદ્ધતિઓ હતી—ઔષધવિજ્ઞાન અને ભેષજવિજ્ઞાન. પ્રાણાચાર્ય દ્રવ્યોના રાસાયણિક વિજ્ઞાન વડે શરીરના રોગોનું નિવારણ કરતા હતા. તેઓ દ્રવ્યગુણ પરિજ્ઞાનમાં નિષ્ણાત હતા. આ ઔષધવિજ્ઞાનની ચિકિત્સાપદ્ધતિ છે. આ પદ્ધતિની સાથે-સાથે મંત્ર-તંત્રની ચિકિત્સાપદ્ધતિનો પણ વિકાસ થયો અને ચિકિત્સાની દષ્ટિએ અનેક માંત્રિક તથા તાંત્રિક ગ્રંથોની રચના થઈ. આ ચિકિત્સાપદ્ધતિનું નામ ભેષજવિજ્ઞાન હતું. આ ચિકિત્સાપદ્ધતિઓ વડે રોગનિવારણ કરનારા પ્રાણાચાર્ય કહેવાતા. ૫૧૭ કે પ્રસ્તુત શ્લોકમાં પ્રયુક્ત ‘આરિય’ શબ્દ પ્રાણાચાર્યનો વાચક છે. અહીં ત્રણ વિશેષણો પ્રયોજાયાં છે—વિદ્યા-મંત્ર-ચિકિત્સક, શસ્ત્ર-કુશલ કે શાસ્ર-કુશલ ચિકિત્સક તથા મંત્ર-મૂલ-વિશારદ.૫ આ ત્રણેય વિશેષણો ભિન્ન-ભિન્ન પ્રાણાચાર્યના ઘોતક છે. એક જ વ્યક્તિ આ ત્રણેયમાં વિશારદ હોય એવું જરૂરી ન હતું. કોઈ આયુર્વેદમાં, કોઈ મંત્રવિદ્યામાં અને કોઈ શલ્ય-ચિકિત્સામાં નિષ્ણાત થતા. ૧૪. ગુરુ પરંપરાથી પ્રાપ્ત (નહાદ્દિવ) વૃત્તિકારે આનાં બે સંસ્કૃત રૂપોની વ્યાખ્યા કરી છે—૧. ‘યથાહિત’—હિતને અનુરૂપ. ૨. ‘યથાથીત’—ગુરુ પરંપરાથી ચાલી આવેલ વમન-વિરેચન વગેરે દ્વારા થનારી ચિકિત્સા. આનાં બે વધુ સંસ્કૃત રૂપો થઈ શકે છે—‘યયાતિ’ અને ‘યથાત’. ‘અધીત’નું સંસ્કૃત રૂપ ‘અહિય’ પણ બને છે. અનુવાદ ‘યથાધીત’ના આધારે કરવામાં આવ્યો છે. ૧૫. ચતુષ્પાદ (ચાડધ્ધાયું) ચિકિત્સાના ચાર પાદ હોય છે—વૈદ્ય, ઔષધ, રોગી અને રોગીની સેવા કરનાર. જ્યાં આ ચારેયનો પૂર્ણ યોગ હોય છે, ૧. વૃત્તવૃત્તિ, પત્ર ૪૭બ : ‘ગન્તા' મધ્યે ફાં વા મિમતवस्त्वभिलावं न केवलं बहिरित्र का द्येवेति भावः । ૨. આપ્યું : સંસ્કૃત-ઈંગ્લિશ ડિક્શનરી : अन्तरिक्षं - 'शरीरेष्वन्तः अक्षयं न पृथिव्यादिवत् क्षीयते' । ૩. હ્રાશ્યપસંહિતા, ફૅન્દ્રિયસ્થાન રૂ। ૪ ।、 : ओषधं भेषजं प्रोक्तं, द्विप्रकारं चिकित्सितम् । ओषधं द्रव्यसंयोगं, ब्रुवते दीपनादिकम् ॥ हुतव्रततपोदानं, शान्तिकर्म च भेषजम् । ॥ Jain Education International ૪. વૃત્તવૃત્તિ, પત્ર ૪૭૬ : 'આચાર્યા: ' કૃતિ પ્રાળાવાળું વૈદ્ય इति यावत् । ૫. એજન, પત્ર ૪૭૯ : ‘સત્યસન’ ત્તિ શ્રેષુ શાસ્ત્રપુ વા कुशलाः शस्त्रकुशला शास्त्रकुशला वा । ૬. એજન, પત્ર ૪૭、 : 'યથાહિત 'હિતાનતિ મેળ યથા, શ્રીલં वा - गुरुसम्प्रदायागतवमनविरेचनकादिरूपाम् । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy