SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ અધ્યયન ૧૫ : સભિક્ષુક ૧. મુનિ-વ્રતનું (મોળ) જે ત્રિકાલાવસ્થિત જગતને જાણે છે, તેને મુનિ કહેવામાં આવે છે. મુનિના ભાવ અથવા કર્મને મૌન કહેવામાં આવે છે. મૌનનો વધુ પ્રચલિત અર્થ છે—વચન-ગુપ્તિ. પરંતુ અહીં તેનો અર્થ—સમગ્ર મુનિ-ધર્મ છે. ૨. જે સહિષ્ણુ છે (સદ્દિા) અહીં ‘સહિ’ શબ્દનો અર્થ છે સહિષ્ણુ. ‘ષ’ ધાતુ મર્પણ અર્થાત ક્ષમાના અર્થમાં વપરાય છે. આ ધાતુનું પ્રાકૃતમાં ‘’ પ્રત્યયાંત રૂપ ‘સહિય’ બને છે. સંસ્કૃતમાં ‘ટ્’ થવા પર ‘સહિત’ અને ‘રૂટ્ ન થવા પર ‘સો’ બને છે. સેતુબંધ (૧૫૫)માં ‘સદિય’ શબ્દનો પ્રયોગ આ જ અર્થમાં થયો છે. ચૂર્ણિકા૨ે આનો અર્થ—જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી યુક્ત એવો કર્યો છે. બૃહવૃત્તિકારે આના બે અર્થ કર્યા છે— સમ્યગ્દર્શન વગેરેથી યુક્ત અથવા બીજા સાધુઓની સાથે. તેમણે આનું બીજું સંસ્કૃત રૂપ ‘સ્વહિત’ આપીને તેનો અર્થ—પોતાને માટે હિતકર એવો કર્યો છે. આચાર્ય નેમિચન્દ્રે ‘સહિ’નો અર્થ—અન્ય સાધુઓ સમેત–કર્યો છે. તેઓ અહીં એકલ-વિહારનો પ્રતિષેધ બતાવે છે. સાધુઓએ એકાકી વિહાર ન કરવો જોઈએ—આ તથ્યની પુષ્ટિ માટે તેઓ એક ગાથા પ્રસ્તુત કરે છે— ‘શિવસ્ત્ર રોના, રૂથી સાળે તદેવ પડિળી भिक्खविसोहि महव्वय, तम्हा सेविज्ज दोगमणं ॥ અર્થાત એકાકી રહેવાથી ૧. સ્ત્રી-પ્રસંગની સંભાવના રહે છે. ૨. કૂતરાં વગેરેનો ભય રહે છે. ૩. શત્રુનો ભય રહે છે. ૪. ભિક્ષાની વિશુદ્ધિ રહેતી નથી. પ. મહાવ્રતોના પાલનમાં જાગરૂકતા રહેતી નથી. આથી કરીને એકાકી ન રહેતાં સાથે મળી રહેવું જોઈએ. આ જ અધ્યયનના પાંચમા શ્લોકના ચોથા ચરણમાં ‘સહિત’ શબ્દ પ્રયોજાયો છે. ત્યાં ચૂર્ણિકારે તેનો અર્થ—જ્ઞાન વગેરે સહિત એવો કર્યો છે અને શાન્ત્યાચાર્યે તેના બે અર્થ કર્યો છે— ૧. (ક) ૩ત્તરાધ્યયન વૃળિ, પૃ. ૨૩૪ : મન્યતે ત્રિજાનાવસ્થિત जगदिति मुनिः, मुनिभावो मौनम् । (ખ) વૃત્તવૃત્તિ, પત્ર ૪૧૪ : મુનેઃ મેં મૌન તત્ત્વ સખ્યત્ चारित्रम् | (ગ) મુલવોધા, પત્ર ૨૧૪ : મૌનું શ્રામળ્યમ્ । Jain Education International ૨. ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૨૩૪ : જ્ઞાનવર્શનચારિત્રતપોમિ: । 3. बृहद्वृत्ति, पत्र ४१४ : सहित: - सम्यग्दर्शनादिभिरन्यसाधुभिर्वेति Sતે ...... . स्वस्मै हितः स्वहितो वा सदनुष्ठानकरणत: । ૪. સુવવોધા, પત્ર ૨૨૪। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy