SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૩૮૨ અધ્યયન ૧૪: શ્લોક ૨૬, ૨૮-૨૯ ટિ ૨૧-૨૩ રીતે દિવસની સમાપ્તિ રાતમાં થાય છે તેવી જ રીતે જીવનની સમાપ્તિ મૃત્યુમાં થાય છે. કાળ-પ્રવાહના અર્થમાં ઉત્તરાધ્યયનમાં રાત્રિ શબ્દનો પ્રયોગ અનેક સ્થળે મળે છે. જયાં રાત હોય છે, ત્યાં દિવસ અવશ્ય હોય છે, એટલા માટે શાન્તાચાર્યે અમોઘાનો દિવસ અર્થ પણ કર્યો છે. ૨૧. (પછી, મિસામો) પછ–18ાત્ શબ્દ વડે પુરોહિતે આશ્રમ વ્યવસ્થા તરફ પુત્રોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો છે. તેની વ્યાખ્યાના શબ્દો સહસા કાલિદાસના આ શ્લોકની યાદ અપાવે છે– शैशवेऽभ्यस्तविद्यानां, यौवने विषयैषिणाम् । वार्धक्ये मुनिवृत्तीनां, योगेनान्ते तनुत्यजाम् ॥ (રઘુવંશ રાદ) પિતાના કહેવાનો અભિપ્રાય એવો હતો કે આપણે વૃદ્ધાવસ્થામાં મુનિ બનીશું. કિસ્સામ–આ અનિયત-વાસનો સંકેત છે. ચૂર્ણિકારે અહીં ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત રહેવાનો ઉલ્લેખ કર્યો છે. ૫ ૨૨. ભોગો અમારા માટે અપ્રાપ્ત નથી–અમે તેમને અનેક વાર પ્રાપ્ત કરી ચૂક્યા છીએ (UTI Tયે નેવ ય સ્થિ વિર) આત્માને પુનર્ભવિ (ફરી ફરી જન્મ લેનાર) માનનાર માટે આ એક ઘણું મોટું તથ્ય છે. લોકો કહે છે–આ દીક્ષિત થઈ રહ્યો છે, એણે સંસારમાં આવી શું જોયું છે, શું મેળવ્યું છે? તેણે હજી ઘરમાં જ રહેવું જોઈએ. આ વાતનો જવાબ કુમારોએ આત્મવાદના આધારે આપ્યો છે. તેમણે કહ્યું-અનાદિ-કાળથી સંસારમાં પરિભ્રમણ કરનાર આત્મા માટે અપ્રાપ્ત કંઈ પણ નથી, તેને સઘળું મળી ચૂક્યું છે. પદાર્થની પ્રાપ્તિ માટે તેણે ઘરમાં રહેવું જરૂરી નથી.” જયાં મૃત્યુ ન પહોંચી શકે તેવું કોઈ સ્થાન નથી–આ તેનો બીજો અર્થ છે. ૨૩. હે વાશિષ્ઠિ ! (વા !) ગોત્ર વડે સંબોધિત કરવાનું ગૌરવ સૂચક માનવામાં આવતું હતું, એટલા માટે પુરોહિતે પોતાની પત્નીને ‘વાશિષ્ઠિ' કહીને સંબોધન કર્યું. જુઓ-દશવૈકાલિક, ૭ ૧૭નું ટિપ્પણ. ૧. ઉત્તરાધ્યયન વૂળ, પૃષ્ઠ ૨૨૭ : પોણા થી, ર્વિ दिवसतो ण मरति ?, उच्यते-लोकसिद्धं यन्मरतीति (ત્તિ) વદતી , મદવા નો રવિવારે વિUTT ( E) तेण रत्ती भण्णति, अपच्छिमत्वाद्वा णियमा रत्ती । ૨. ઉત્તરાયગાળ, ૨૦૧; ૨૪ ૨૩-ર / ૩. વૃત્તિ , પત્ર ૪૦રૂ: મોબા'રથ'ત્તિ રચJI:, दिवसाविनाभावित्वात्तासां दिवसाश्च । ૪. એજન, પત્ર ૪૦૪ : “પશ્ચાત્' વનવોત્તરશાન્ન, વોડ: ?– વસા. ५. उत्तराध्ययन चूर्णि, पृ. २३७ : गमिस्सामो, अणियत्तवासी गामे एगरातीओ णगरे पंचरातीयो । ६. बृहद्वृत्ति, पत्र ४०४ : 'अनागतम्' अप्राप्तं नैव चास्ति किंचिदिति मनोरममपि विषयसौख्यादि अनादौ संसारे सर्वस्य प्राप्तपूर्वत्वात्ततो न तदर्थमपि गृहावस्थानं युक्तमिति भावः । ७. बृहद्वृत्ति, पत्र ४०४ : यद्वाऽनागतं यत्र मृत्योरागति स्ति तन्न किंचित्स्थानमस्ति। ૮. એજન, પત્ર ૪૦ : વશિષ્ટિ ! –વશિત્રામ, गौरवख्यापनार्थं गोत्राभिधानम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy