SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રુમપત્રક અધ્યયન ૧૦: શ્લોક ૨૭-૨૮ ટિ ૧૭-૧૮ શારીરિક શક્તિ-પ્રાણબળ, બેસવા-ચાલવાની શક્તિ. વાચિક શક્તિ-સ્નિગ્ધ, ગંભીર અને સુસ્વરમાં બોલવાની શક્તિ, માનસિક શક્તિ-ગ્રહણ અને ધારણ કરવામાં સક્ષમ મનોબળ. શાન્તાચાર્યું પણ “સર્વવન ના બે અર્થ આપ્યા છે?— ૧. હાથ, પગ વગેરે શારીરિક અવયવોની શક્તિ. ૨. મન, વચન અને કાયાની ધ્યાન, અધ્યયન, ચંક્રમણ વગેરે ચેષ્ટાઓ. ૧૭. પિત્ત-રોગ (૩) ‘ગીત'ના અનેક અર્થ થાય છે. શાસ્પાચાર્ય આનો અર્થ ‘વાયુ વગેરે વડે ઉત્પન્ન થનાર ચિત્તનો ઉદ્દેશ કર્યો છે. પરંતુ આ શ્લોકમાં શરીરને વળગનાર રોગોનો ઉલ્લેખ છે. આ દષ્ટિએ અનુવાદમાં તેનો અર્થ ‘પિત્તરોગ’ કર્યો છે, ‘સતિ'નો અર્થ પિત્તરોગ પણ છે. ૧૮. વિપૂચિકા (કોલેરા) (વિવિા ) આ તે રોગ છે જે શરીરમાં સોયની માફક ભોંકાવાની પીડા કરે છે. વૃત્તિકારે આને અજીર્ણ-વિશેષ માનેલ છે. આજની ભાષામાં તેને કોલેરા કહી શકાય. પ્રસ્તુત શ્લોકના પ્રસંગમાં આચાર્ય નેમિચન્દ્ર અન્ય અનેક રોગોનાં નામો ગણાવ્યાં છે –શ્વાસ, ખાંસી, જવર, દાહ, કુક્ષિશૂળ, ભગંદર, હરસ, અજીર્ણ, દષ્ટિશૂળ, મુખશુળ, અરુચિ, અક્ષિવેદના, ખુજલી, કર્ણબાધા, જલોદર, કોઢ વગેરે. ૧૯. (શ્લોક ૨૮) આ શ્લોકમાં ભગવાને ગૌતમને સ્નેહ-મુક્ત થવાનો ઉપદેશ આપ્યો છે. ગૌતમ પદાર્થોમાં આસક્ત ન હતા. વિષયભોગોમાં પણ તેમનો અનુરાગ ન હતો. માત્ર ભગવાન પ્રત્યે તેમને સ્નેહ હતો. ભગવાન પોતે વીતરાગ હતા. તેઓ ઈચ્છતા ન હતા કે કોઈ પોતાના સ્નેહના બંધનમાં બંધાય. ભગવાનના આ ઉપદેશની પૃષ્ઠભૂમિમાં તે ઘટનાનો પણ સમાવેશ થાય છે, જેનો એક પ્રસંગે ભગવાને પોતે ઉલ્લેખ કર્યો હતો. ભગવાને કહ્યું હતું–‘ગૌતમ ! તું મારો ચિરકાલીન સંબંધી રહ્યો છે.” | પ્રસ્તુત શ્લોકનાં પ્રથમ બે ચરણો ધમ્મપદના માર્ગ-વર્ગ, શ્લોક ૧૩ સાથે સરખાવવા જેવાં છે– fછે સિનેમાનો મુદ્દે સાવિંa પાન " અર્થાત–પોતાના પ્રત્યેની આસક્તિને એવી રીતે કાપી નાખ જેવી રીતે શરદ ઋતુમાં હાથ વડે કમળનું ફૂલ ચૂંટી લેવામાં આવે છે. ૧, બૂર્વીત્ત, પન્ન ૨૨૮ ! (4) बृहवृत्ति, पत्र २३८ : विध्यतीव शरीरं ૨. એજન, પત્ર રૂરૂ૮ : “ગતિ: વાતનિશ્ચિત્તો: सूचिभिरिति विसूचिका-अजीर्णविशेषः । ૩. ચરસંહિતા, રૂ૦ ૬૮ : ૫. મુવવો, પત્ર ૬૩ : कमलां वातरक्तं च, विसर्प हच्छिरोग्रहम । सासे खासे जरे डाहे, कुच्छिमूले भगंदरे। उन्मादारत्यपस्मारान्, वातपित्तात्मकान् जयेत् ॥ अरिसा अजीरए दिट्ठीमुहसूले अगेयए । ૪. (ક) ઉત્તરાધ્યયન યૂઝિ, પૃ. ૨૨૬ : a अच्छिवेयण कंडू य, कत्रबाहा जलोयरे। विध्यतीति विसूचिका। कोढे एमाइणो रोगा, पीलयंति सरीरिणं ॥ ૬. માવતી, ૨૪૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy