SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) १८।२४ ३६।२६८ इइ पाउकरे बुद्धे इइ पाउकरे बुद्धे नायए परिनिबुडे नायए परिनिव्वुए। विज्जाचरण संपन्ने छत्तीसं उत्तरज्झाए सच्चे सच्चपरक्कमे ।। भवसिद्धीयसंमए ।। અઢારમા અધ્યયનના ચોવીસમા શ્લોકના પુર્વાદ્ધનો જે અર્થ વૃત્તિકારે કર્યો છે, તે જ અર્થ છત્રીસમા શ્લોકના પૂર્વાદ્ધના હોવો જોઈએ. વૃત્તિકારે ચોવીસમા શ્લોકના પૂર્વાદ્ધની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે – બુદ્ધ (અવગત તત્ત્વ), પરિનિવૃત (શીતીભૂત), જ્ઞાતપુત્ર મહાવીરે આ તત્ત્વની પ્રજ્ઞાપના કરી છે. આ અર્થના સંદર્ભમાં જયારે છત્રીસમા અધ્યયનનો અંતિમ શ્લોક જોઈએ છીએ, ત્યારે તેમાંથી એમ ફલિત નથી થતું કે જ્ઞાતપુત્ર મહાવીર છત્રીસ અધ્યયનોની પ્રજ્ઞાપના કરી પરિનિર્વાણને પ્રાપ્ત થયા. મહાવીરની પરંપરામાં જે અર્થ-પ્રતિપાદન કરાય છે, તે તેમની ધર્મદેશનાના આધારે કરવામાં આવે છે. આ જ પારંપરિક સત્યનો ઉલ્લેખ ઉત્તરાધ્યયના સંકલનકર્તાએ અંતિમ શ્લોકમાં કર્યો છે. ૧૨. મહાવીર-વાણીનું પ્રતિનિધિ સૂત્ર સમગ્ર ઉત્તરાધ્યયન ભગવાન મહાવીરની પ્રત્યક્ષ વાણી ભલે ન હોય, પરંતુ તેમાં ભગવાન મહાવીરની વાણીનું જે યથાયોગ્ય પદ્ધતિએ સંકલન થયું છે, તે જોઈને સહજપણએ જ એમ કહેવા મન લલચાય છે કે આ મહાવીર-વાણીનું પ્રતિનિધિ સૂત્ર છે. અહિંસા, અપરિગ્રહ આદિતત્ત્વો નવીન નથી અને ભગવાન મહાવીરના સમયમાં પણ નવીન ન હતાં. તેઓની પહેલાં અનેક તીર્થ કરો અને ધર્માચાર્યો તેમનો પ્રયોગ કરી ચૂક્યા હતા. પરંતુ ભગવાન મહાવીરે તાત્કાલિક પરિસ્થિતિઓ સંદર્ભમાં તેમની જે અભિવ્યક્તિ કરી, તે તેમનું નવીન રૂપ છે. ભગવાન મહાવીરના કાળની સામાજિક પરિસ્થિતિમાં અહિંસા અને અપરિગ્રહનાં મુખ્ય બાંધક તત્ત્વો આ હતાં– (૧) દાસ પ્રથા (૪) અમાપ સંગ્રહ (૨) જાતિવાદ (૫) દંડનો ઉછંખલ પ્રયોગ (૩) પશુ બલિ (૬) અનિયંત્રિત ભોગ આ બાધક તત્ત્વોના નિરસન માટે ભગવાન મહાવીરે જે વિચારધારાનું પ્રતિપાદન કર્યું તેનું હૃદયગ્રાહી સંકલન ઉત્તરાધ્યયનમાં થયું છે. પાર્શ્વનાથના સમયમાં ચાર મહાવ્રત હતા અને સામાયિક ચારિત્ર હતું. ભગવાન મહાવીરે મહાવ્રત પાંચ કર્યા અને છેદોપસ્થાપનીય ચારિત્રની વ્યવસ્થા કરી, છેદોપસ્થાપનીય નો અર્થ છે – વિભાગ મુક્ત ચારિત્ર. પૂજયપાદે (વિ. પ-૬ શતાબ્દી) લખ્યું છે – ‘ભગવાન મહાવીરે ચારિત્ર-ધર્મના તેર વિભાગ કર્યા– પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, આ વિભાગો પાર્શ્વનાથના સમયમાં ન હતા." ઉત્તરાધ્યયનમાં આનું સુવ્યવસ્થિત પ્રતિપાદન થયું પજીવનિકાયવાદ મહાવીરના તત્ત્વવાદનું મુખ્ય અંગ છે. જીવવિયક આટલું વ્યવસ્થિત અને વિસ્તૃત પ્રતિપાદન બીજી કોઈ ધર્મ-પરંપરામાં થયેલું ન હતું. આચાર્ય સિદ્ધસેને આને ભગવાન મહાવીરની સર્વજ્ઞતાની કસોટીરૂપે પ્રસ્તુત કર્યું ૧. ૩રાધ્યયન વૃક્રવૃત્તિ, પત્ર ૪૪૪ : રૂત્યેવં ‘પાડવ' fત્ત ૨. વારિત્ર , ૭ : प्रादुरकार्षीत्-प्रकटितवान् 'बुद्धः' अवगततत्तः सन् ज्ञात तिस्रः सत्तमगुप्तयस्तनुमनोभाषानिमित्तोदया: एव ज्ञातकः-जगत्प्रतीतः क्षत्रियो वा, स चेह प्रस्तावान्महावीर एव, 'परिनिर्वतः' कषायानलविध्यापनात् पंचेर्यादिसमाश्रयाः समितयः पंचव्रतानीत्यपि । समन्ताच्छीतीभूतः । चारित्रोपहितं त्रयोदशतयं पूर्व न दिष्टं परेराचारं परमेष्ठिनो जिनमतेर्वीरान् नमामो वयम् ॥ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy