SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વેતાંબર-સાહિત્યમાં અંગ-બાહ્ય શ્રુતના બે મુખ્ય વિભાગો છે – (૧) કાલિક અને (૨) ઉત્કાલિક, કાલિક સૂત્રોની ગણનામાં પહેલું સ્થાન ઉત્તરાધ્યયનનું અને ઉકાલિક સૂત્રોની ગણનામાં પહેલું સ્થાન દશવૈકાલિકનું છે.' ૯. ઉત્તરાધ્યયન આલોચ્યમાન આગમનું નામ ‘ત્તરાધ્યયન’ છે. તેમાં બે શબ્દો છે –. ઉત્તર’ અને ‘અધ્યયન', સમવાયાંગના – એ વાક્યમાં ઉત્તરાધ્યયના ‘છત્રીસ અધ્યયન’ પ્રતિપાદિત નથી થયેલ, પરંતુ ‘છત્રીસ ઉત્તર અધ્યયન’ પ્રતિપાદિત થયેલ છે. નંદીમાં પણ ‘રૂત્તર ન્યા' એવું બહુવચનાત્મક નામ મળે છે. ઉત્તરાધ્યયના અંતિમ શ્લોકમાં પણ– ‘છા ૩ત્તરજ્ઞા – એવું બહુવચનાત્મક નામ મળે છે. નિર્યુક્તિકારે ‘ઉત્તરાધ્યયન'નો બહુવચનમાં પ્રયોગ કર્યો છે. “ ચૂર્ણિકારે છત્રીસ ઉત્તરાધ્યયને એક શ્રુતસ્કંધ (એક ગ્રંથરૂપ)માં સ્વીકાર કર્યો છે. છતાં પણ તેમણે તેનું નામ બહુવચનાત્મક માન્યું છે.” આ બહુવચનાત્મક નામથી એવું ફલિત થાય છે કે ઉત્તરાધ્યયનું અધ્યયનોનો સંગ્રહમાત્ર છે, એક-કક એક ગ્રંથ નથી. ‘ઉત્તર' શબ્દ ‘પૂર્વ’ સાપેક્ષ છે. ચૂર્ણિકારે પ્રસ્તુત અધ્યયનોની ત્રણ રીતે યોજના કરી છે – (૧) સ ઉત્તર – પહેલું અધ્યયન (૨) નિરુત્તર – છત્રીસમું અધ્યયન (૩) સ-૩ત્તર વચ્ચેના બધાં અધ્યયન પરંતુ ઉત્તર' શબ્દથી આ અર્થ-યોજના ચૂર્ણિકારની દૃષ્ટિએ અધિકૃત નથી. તેમની દષ્ટિએ અધિકૃત અર્થ એ જ છે જે નિર્યુક્તિકારે પ્રસ્તુત કરેલ છે. નિર્યુક્તિકાર અનુસાર પ્રસ્તુત અધ્યયનો આચારાંગના ઉત્તરકાળમાં વાંચવામાં આવતા હતા. એટલા માટે તેમને ‘ઉત્તર અધ્યયનો' કહેવામાં આવ્યાં.“ શ્રુતકેવળી શયંભવ (વીર-નિર્વાણ સં. ૯૮)ની પછી આ અધ્યયનો દશવૈકાલિકના ઉત્તરકાળમાં વંચાવા લાગ્યાં. એટલા માટે તે ‘ઉત્તર અધ્યયનો’ જ બની રહ્યાં. આ ‘ઉત્તર’ શબ્દની આ વ્યાખ્યા સંગત પ્રતીત થાય છે. દિગંબર આચાર્યોએ પણ ‘ઉત્તર' શબ્દની અનેક દષ્ટિકોણથી વ્યાખ્યા કરી છે. ધવલાકાર (વિ. ૯મી શતાબ્દી)ના મતાનુસાર ‘ઉત્તરાધ્યયન' ઉત્તર-પદોનું વર્ણન કરે છે. આ ‘ઉત્તર’ શબ્દ સમાધાન-સૂચક છે.૧૦ ઉTVત્તિ (વિ. ૧૬મી શતાબ્દી)ના આધારે ઉત્તર' શબ્દના બે અર્થો ફલિત થાય છે – (૧) ઉત્તર – કોઈ ગ્રંથની પછી વાંચવામાં આવનાર અધ્યયન ૧. ને, મૂત્ર ૭૭, ૭૮ : से किं तं उकालियं ? उक्मलियं अणेगविहं पण्णतं, से किं तं कालियं ? कालियं अणेगविहं पण्णत्तं, તે નદી-ઝરાયUTછું...! ૨. સમવા, જમવારૂદ્ ! ૩. તં, મૂત્ર ૭૮ ४. उत्तराध्ययन ३६।२६८॥ ५. उत्तराध्ययन नियुक्ति, गाथा ४ । ६. उत्तराध्ययन चूर्णि, पृष्ठ ८ : एतेसिं चेव छत्तीसाए उत्तरज्झयणाणं समुदयसमितिसमागमेणं उत्तरज्झयणभावसुतक्खंधेति लब्भइ, ताणि पुण छत्तीसं उत्तरज्झयणाणि इमेहिं नामेहिं अणुगंतव्वाणि । ७. उत्तराध्ययन चूर्णि, पृष्ठ ६ : विणयसुर्य सउत्तरं जीवाजीवाभिगमो णिस्तरो, सर्वोत्तर इत्यर्थः सेसज्झयणाणि सुउत्तराणि णिरुत्तराणि य, कहं ? परीसहा विणयसुयस्स उत्तरा चउरंगिज्जस्स तु पुव्वा इति काउं णिस्तरा । ૮. ૩રાધ્યયન નિર્યુ,િ થી : कमउत्तरेण पगयं आयारस्सेव उवरिमाइं तु । तम्हा उ उत्तरा खलु अज्झयणा हुंति णायव्वा ।। ४. उत्तराध्ययन बृहद्वत्ति, पत्र ५, : विशेषश्चायं यथा-शय्यम्भव यावदेष क्रमः, तदाऽऽरतस्तु दशवैकालिकोत्तरकालं पठ्यन्त રૂતિ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy