SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અસંસ્કૃત ૧૩૩ અધ્યયન-૪: શ્લોક ૫ ટિ ૯-૧૦ જે ધન આ લોકમાં પણ રક્ષણ કરી શકતું નથી, તે પરલોકમાં રક્ષણરૂપ કેવી રીતે બનશે? આચાર્ય નેમિચન્દ્ર વિજ્ઞ–ધનના પરિણામોની ચર્ચા કરતાં એક શ્લોક ઉદ્ધત કર્યો છે – 'मोहाययणं मयकामवद्धणो जणियचित्तसंतावो । आरंभकलहहेऊ, दुक्खाण परिग्गहो मूलं ॥ પરિગ્રહ મોહનું નિવાસસ્થાન, અહંકાર અને કામવાસનાને વધારનાર, ચિત્તમાં સંતાપ પેદા કરનાર, હિંસા અને કલહનું કારણ તથા દુઃખોનું મૂળ છે. ૯. અંધારી ગુફામાં જેનો દીપક બુઝાઈ ગયો હોય (રીવMટ્ટ) નિર્યુક્તિકારે પ્રાકૃત અનુસાર “રીવ’ શબ્દના બે અર્થ કર્યા છે–‘આશ્વાસ-દ્વીપ’ અને ‘પ્રાગ-દ્વીપ'. જેનાથી સમુદ્રમાં ડૂબતાં મનુષ્યોને આશ્વાસન મળે છે તેને “આશ્વાસ-દ્વીપ’ અને જે અંધકારમાં પ્રકાશ ફેલાવે છે તેને ‘પ્રકાશ-દીપ’ કહેવામાં આવે છે. આશ્વાસ-દ્વીપના બે ભેદ છે–“સંકીન’ અને ‘પ્રસંડીન'. જે જળપ્લાવન વગેરેથી નાશ પામે છે તેને ‘સંદીન’ અને જે નાશ નથી પામતો તેને “અસંદીન' કહે છે. ચૂર્ણિકાર અનુસાર અસંદીન-દ્વીપ વિસ્તીર્ણ અને ઊંચો હોય છે, જેમકે–કોંકણ દેશનો દ્વીપ. પ્રકાશ-દીપના બે ભેદ છે–“સંગમ' અને “અસંમિ ', જે તેલ, વાટ વગેરેના સંયોગથી પ્રદીપ્ત થાય છે તે ‘સંયોગિમ કહેવાય છે અને સૂર્ય, ચન્દ્ર વગેરેના બિંબ ‘અસંયોગિમ' કહેવાય છે.” અહીં પ્રકાશ-દીપ અભિપ્રેત છે. કેટલાક ધાતુવાદીઓ ધાતુપ્રાપ્તિ માટે ભૂગર્ભમાં ગયા. દીપ, અગ્નિ અને ઇંધણ તેમની સે હતા. પ્રમાદવશ દીપ બુઝાઈ ગયો, અગ્નિ પણ બુઝાઈ ગયો. હવે તેઓ તેવા ગહન અંધકારમાં પહેલાં જે માર્ગ જોયો હતો તે માર્ગ જોઈ શક્યા નહિ. તેઓ અટવાઈ ગયા. એક જગ્યાએ મહાન વિષધર સર્પો હતા. તે ધાતુવાદીઓ તે જગ્યાએથી પસાર થયા. સાપો તેમને ડસ્યા. તેઓ ત્યાં જ એક ખાડામાં પડી ગયા અને તરત મરી ગયા.' સરપેન્ટિયર શાત્યાચાર્યના દ્વીપ-પરક અર્થને ખોટો માને છે.” પરંતુ શાન્યાચાર્યે નિયુક્તિકારના મતનું અનુસરણ કરીને “રીવ’ શબ્દના બે સંભાવિત અર્થની જાણકારી આપી છે. તેમાં પ્રસ્તુત અર્થ ‘પ્રકાશ-દીપ’ને જ માન્યો છે–ત્ર પ્રવીણવીરેનાધિકૃતમ્ | ૧૦. (શ્લોક ૧-૫) પ્રસ્તુત અધ્યયનના પ્રથમ પાંચ શ્લોકોમાં ભગવાન મહાવીરના અપરિગ્રહના દૃષ્ટિકોણની વ્યાખ્યા મળે છે. સંગ્રહની નિરર્થકતા બતાવવા માટે તેમણે પાંચ મહત્ત્વપૂર્ણ સૂત્રો આપ્યાં. તે આ પ્રમાણે છે ૧. જીવન સ્વલ્પ છે. તેને સાંધી શકાતું નથી, પછી આટલા નાનકડા જીવન માટે આટલો સંગ્રહ શા માટે? ૨. અશુદ્ધ સાધનો વડે, પાપકારી પ્રવૃત્તિઓ વડે ધનનું ઉપાર્જન અથવા સંગ્રહ દુ:ખ કે દુર્ગતિનો હેતુ છે. ૩. કૂતકર્મો વડે પ્રાણી છેદય છે–દંડિત થાય છે. કરેલા કર્મોને ભોગવ્યા વિના છૂટકારો મળતો નથી. ૧, સુવા , પત્ર ૮રૂ I ૬, The Uttaradhyayana Sutra, p. 295 : વીવUT २. उत्तराध्ययन नियुक्ति, गाथा २०६। is a composition of which the two parts have a ૩. ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૨૪-૨૫ : નો પુન સી વિચ્છિ- wrong position one to the other : the word णात्तणेण उस्सित्तणेण य जलेण ण छादेज्जति सो जीतिवत्थीणं ought to be gureau: But also thinks it possiत्राणाय, असंदीणो दीवो जह कोंकणदीवो। ble to explain go by a14-I think that would ૪. ઉત્તરાધ્યયન નિર્યુક્તિ, માથા ૨૦૭ી. give a rathar bad sense. પ. વૃત્તિ , પત્ર ૨૨, ૨૨૩ 1 ૭. વૃદત્ત, પત્ર ૨૨૨T Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy